SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ લિત-વિરારા ટચ CRભદ્રસારિ રચિત (૨૦૧૨) ભાવાર્થ–(પૂર્વપક્ષ) ઇષ્ટ (ઇશ્વરને ઉપયોગી) તત્ત્વ વિષયકદર્શનવાદી કેટલાક બૌદ્ધો “આ ઈશ્વર અથવા અરિહંત ભગવંત તીર્થકરો, ઈષ્ટતત્ત્વભિન્ન-અન્યતત્ત્વમાં પ્રતિહત-અલિત જ્ઞાનદર્શનને ધારણ કરનારા જ છે. ઈષ્ટતત્ત્વભિન્ન અન્યતત્ત્વ-વિષયક અજ્ઞાતા-અદ્રષ્ટા જ છે' એમ માને છે. વળી તે બૌદ્ધોનું શાદીરૂપ વચન છે. કે “ઈશ્વર, સમસ્તપદાર્થોને દેખે કે ન દેખે, પણ ઈષ્ટતત્ત્વને દેખે એટલું જ પર્યાપ્ત છે. જો દૂર સુધી દેખનારો જ પ્રમાણભૂત મનાય તો, પછી અમારે ગીધ પક્ષીઓની ઉપાસના કરવી જોઇએ કહેવાનું રહસ્ય એવું છે કે, કેટલાક બૌદ્ધો, ઈશ્વરને ધર્મનાયક-તીર્થંકર આરિરૂપે માને છે. પરંતુ સકલદ્રવ્યપર્યાયવિષયક લાતાદ્રરૂપે માનતા નથી. –ઈશ્વર, ઈષ્ટતત્ત્વવિષયકજ્ઞાનદર્શનવાનું છે, સર્વપદાર્થ વિષયકજ્ઞાનદર્શનવાનું નથી' આવા બૌદ્ધ વિશેષના મતનું ખંડન કરવાના ઇરાદાથી કરાતું પ્રકૃતિપદનું પ્રતિષ્ઠાપન અને સવિગ્રહ, સમાસવાળા પ્રકૃતિ પદના અર્થનું નિરૂપણ एतनिराचिकीर्षयाऽऽह-"अप्रतिहतवरज्ञानदर्शनधरेभ्यः" अप्रतिहते-सर्वत्राप्रतिस्खलिते क्षायिकत्वादरे-प्रधाने ज्ञानदर्शने-विशेष सामान्यावबोधरूपे धारयन्तीति समासः. | ભાવાર્થ-પૂર્વોક્તપૂર્વપક્ષના ખંડનની ઈચ્છાથી સૂત્રકાર મહર્ષિ કહે છે કે “અપ્રતિહત-વર-જ્ઞાન અને દર્શનને ધારણ કરનાર અરિહંત ભગવંતને નમસ્કાર હો !” સવિગ્રહ પ્રકૃતિ સમસ્ત પદાર્થનિરૂપણ=અપ્રતિહત-સર્વત્ર અપ્રતિમ્મલિત (જેટલા સપર્યાય પદાર્થો છે. તેટલા તમામ સપર્યાય પદાર્થોમાં-લોક અલોકમાં સઘળે ઠેકાણે કોઇથી પણ વ્યાઘાત - સ્કૂલના -પરાભવને નહીં પામનારૂ) વર-ક્ષાયિકભાવરૂપ હોઈ પ્રધાન (સમસ્ત શેયપદાર્થોને ગ્રહણ કરનાર તેમજ સકલ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી ઉત્પન્ન થતા ભાવને “ક્ષાયિકજ્ઞાન' કહેવામાં આવે છે. આનું બીજાં નામ “કેવલજ્ઞાન છે.' તથા સકલ દર્શનાવરણીય કર્મનો ક્ષય થતાં જે ભાવ ઉત્પન્ન થાય છે, તે “ક્ષાયિકદર્શન' છે. આનું બીજાં નામ “કેવલદર્શન' છે.) અર્થાતુ અપ્રતિહત અને વર ૧ બૌદ્ધભેદોની ટુંકી રૂપરેખા-(૧) વૈભાષિક-ઘટપટ વિગેરે બાહ્યરૂપ અને જ્ઞાન આદિ આંતરરૂપ વસ્તુતત્ત્વને સત્ય તરીકે માને છે. (૨) સૌત્રાન્તિક-જોકે આ બાહ્ય અને આંતરરૂપ એમ બે પ્રકારે તત્ત્વ માને છે. તો પણ બાહ્ય પદાર્થોનું પ્રત્યક્ષ (પ્રત્યક્ષાત્મકજ્ઞાન) માનતો નથી. અનુમાનથી બાહ્ય પદાર્થોનું જ્ઞાન છે એમ બોલે છે. (ઘટપટઆદિ નાના આકારવાળું શાન છે અને આ જ્ઞાનથી “બાહ્ય પદાર્થો છે' એમ અનુમાન કરી માને છે) (૩) યોગાચાર-બાહ્યપદાર્થોનો સર્વથા અપલાપ કરે છે. અર્થાતુ બાહ્ય પદાર્થ જ નથી એમ માને છે. ફકત આંતરરૂપજ્ઞાન નામનું જ તત્ત્વ છે એમ માને છે. ગ્રાહ્યગ્રાહકરૂપ શાન જ પ્રતિભાસે છે-માલુમ પડે છે. વસ્તુતઃ-દર અસલમાં બાહ્ય પદાર્થો નથી એમ સિદ્ધાન્ત કરે છે. (૪) માધ્યમિક સર્વ, ન્ય છે એમ બોલે છે. સર્વ શૂન્યવાદનો સ્વીકાર કરે છે. સર્વથા પ્રમાણનો અભાવ હોઇ પ્રમેયનો અભાવ છે. વાસ્ત સર્વસઘળુંય શૂન્ય છે, અભાવરૂપ છે. આ રાતી અનુવાદક - , ભદ્રકરસૂરિ મ. સા વ
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy