________________
સિલલિત-વિસરા - - Rભવસાર રચિત
૧૨૯ अन्यथा तथाभिधानाप्रवृत्तेः, नैवमभिधेयमपि तथाऽक्रमवदसदित्युक्त वद्, अक्रमवत्त्वासिद्धेः, क्रमाक्रमव्यवस्थाभ्युपगमाच्च, अन्यथा न वस्तुनिबन्धना शब्दप्रवृत्तिरिति स्तववैयर्थ्यमेव, ततश्चान्धकारनृत्तानुकारी प्रयास इति, पुरुषवरगन्धहस्तिन इति ९
ભાવાર્થ-દ્રવ્યરૂપે એકરૂપ અને પર્યાયરૂપે અનેકરૂપ વસ્તુ હોવાથી અર્થાત્ એકાનેક સ્વભાવવાળી પદાર્થસ્થિતિ હોવાથી જ, અધિકગુણવાળી ઉપમાનો ઉપન્યાસ પહેલાં કરી પછીથી હનગુણવાળી ઉપમાના ઉપન્યાસમાં (વાક્યપ્રયોગમાં) પણ વાચકરૂપ શબ્દના ક્રમનો વ્યત્યય-વિપર્યાસ કે ભંગ થતો નથી. કારણ કે; સ્વસ્વપદાર્થવૃત્તિ, સર્વ સ્વસ્વપર્યાયો-ગુણો સ્વસ્વપદાર્થમાં સંસર્ગરૂપેણ પરસ્પર ભેગા મળેલા છે. અર્થાત્ જીવગત તમામ સ્વગુણોપર્યાયો જીવરૂપ એક આશ્રમમાં સંસર્ગરૂપે પરસ્પર ભેગા મળેલા છે. એટલે સ્વપદાર્થરૂપ અધિકરણમાં પરસ્પર સંસર્ગરૂપ સંબંધવાળા તમામ સ્વપર્યાયો છે. અને વળી તે સર્વ ગુણો-પર્યાયોનો સ્વભાવ, વ્યવહારનયે માનેલ પૂર્વાનુપૂર્વી-અનાનુપૂર્વીરૂપ ક્રમથી (ઢબપદ્ધતિ કે પ્રણાલિકાથી) અભિધેય નામક અર્થાતુ અભિધાનસંકેત, કથન કે શબ્દના વિષયભાવે-વિષયપણાએ પરિણમન પામનારો અભિધેયનામનો સ્વભાવ છે. જ્યારે સર્વ ગુણોપર્યાયો પરસ્પર સંવલિત (સંબંધિત-અભિન્ન) છે. ત્યારે નિશ્ચિતક્રમાદિમાંથી-પૂર્વનુપૂર્વી-પશ્ચાનુપૂર્વી-અનાનુપૂર્વીમાંથી કોઈ એક-પૂર્વાનુપૂર્વીરૂપ એક જ નિશ્ચયરૂપથી છે. એમ નહીં પરંતુ યથાયોગ્ય ત્રણેય ઘટી શકે છે. જો પૂર્વાનુપૂર્વી આદિત્રયીથી ગુણો-પર્યાયો વાચ્ય નથી એમ માનો તો અર્થાત્ પૂર્વાનુપૂર્વી આદિ અન્યમથી ગુણોમાં અભિધેય નામક સ્વભાવનો અભાવ માનવામાં આવે તો પૂર્વાનુપૂર્વી આદિત્રયીના ક્રમથી અભિધાયકવાચક-શબ્દોની પ્રવૃત્તિનો અભાવ થઈ જાય ! વાસ્તુ પૂર્વાનુપૂર્વી આદિત્રયીરૂપ પ્રણાલિકા માનવાથી અભિધાનના ક્રમનો અભાવ થશે નહીં પરંતુ અભિધાન (વાવાચક) ક્રમ, બરોબર જળવાઈ રહેશે જ. કારણ કે; અભિધાન વ્યવહાર, (શબ્દપ્રયોગ) અભિધેયપણાએ પરિણતિની અપેક્ષા રાખનાર છે. જેવી જેવી અભિધેયપણાએ (અભિધાન, કથન કે શબ્દના વિષયપણાએ) અભિધેયની (ગુણપર્યાયરૂપ વાચ્ય-અર્થની) પરિણતિ, (પરિણમનપરિણમવું) તેવી તેવી તદ્દાચક શબ્દની પ્રવૃત્તિ છે. એમ નિયમ છે.
જે વાદીએ પહેલાં અભિધાન (શબ્દક્રમ) ના ન્યાયથી અભિધેય (વાચ્ય-અર્થ) પણ અક્રમવાળો હોઈ અવસ્તુ-અસત્ છે. એમ ઉપન્યાસ કર્યો હતો તે પણ ઉપર કહેલ નીતિરીતિથી તપાસતાં બરોબર નથી. તથાહિ-પૂર્વાનુપૂર્વી-પશ્ચાનુપૂર્વી-અનાનુપૂર્વારૂપ પ્રણાલિકારૂપ અભિધાન-ક્રમના વિષયભૂત, ક્રમવાળા અભિધેયની ક્રમ કે ઉત્ક્રમ વિગેરે રૂપ પ્રકારે અભિધાનને યોગ્ય સ્વભાવમાં પરિણતિ હોવાથી અભિધેયમાં સર્વથા ક્રમરહિતપણું
પ્રતાપ, ભૂમિ પર પ્રસરતે છતે, દુષ્ટ વ્યંતર શાકિની પ્રમુખથી ઉત્પન્ન થતા મારી (પ્લેગ) વિગેરે જગતુના કાલ જેવા રોગ ઉપદ્રવ પેદા થતા જ નથી. ૭. વિશ્વના એક વત્સલ આપ લોકોના મનોવાંછિતદાયક વિદ્યમાન હોતે, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ લોકોને સંતાપકારી થતી જ નથી. ૮. સ્વચક્ર અને પરચક્ર (સ્વરાજ્ય કે પરરાજ્ય) થી થયેલા ક્ષુદ્ર ઉપદ્રવો સિંહનાદથી જેમ હાથીઓ નાશી જાય છે. તેમ આપના પ્રભાવથી તત્કાળ નાશી જાય છે. ૯. સર્વ કરતાં અભૂત પ્રભાવશાલી આપ જંગમ કલ્પવૃક્ષ પૃથ્વી પર વિચરતે છતે દુકાળ દૂર થઈ જાય છે. ૧૦.
૧. કંજરને સુંઢને સંસ્કૃત ભાષામાં હસ્ત કહે છે. તે હસ્તવાળો “હસ્તી' કહેવાય છે. તેના ભદ્ર, મંદ્ર મૃગ આદિ ભેદો પ્રસિદ્ધ છે. તેમાં જે હાથીની ગંધ માત્રથી સામાન્ય હાથીઓ દૂર ભાગી જાય તે ગજેન્દ્ર “ગંધહસ્તી' કહેવાય છે.
જરાતી અનુવાદ
સાકરસૂરિ મ