SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિખરા ? આ હરિભદ્રસાર રશ્ચિત ભાવાર્થ-યથોક્ત (પૂર્વોક્ત) કર્મપરમાણુ આદિમાં “અલોક આકાશની સાથે સંબંધ યોગ્ય સ્વભાવ છે' એ રૂપ તથા કલ્પના માન્ય છતે પણ (તથા કલ્પનાના અભાવમાં તો પૂછવું જ શું એમ અપિ શબ્દ, ઘોતન કરે છે.) પ્રસિદ્ધ-અલોક આકાશની સાથે અવગાહા અવગાહક લક્ષણસંબંધ (કર્મપરમાણુ આદિમ) ઘટતો નથી. કારણ કે; અલો ક આકાશમાં કર્મ પરમાણું આદિ સાથે સંબંધ યોગ્ય સ્વભાવનો અભાવ સારાંશ કે; જેમ, કર્મ પરમાણુ આદિમાં અલોક આકાશની સાથે સંબંધ યોગ્ય સ્વભાવ માન્ય છો, અલોક આકાશમાં સંબંધ યોગ્ય સ્વભાવ નહી હોય, કર્મ પરમાણુ આદિ અને અલોક આકાશનો સંબંધ થતો નથી તેમ આત્મામાં સંબંધ યોગ્ય સ્વભાવ નથી એમ માને છતે અને કર્મ પરમાણુ આદિમાં આત્માની સાથે સંબંધ યોગ્ય સ્વભાવ માન્ય છતે કર્મ પરમાણુ આદિ અને આત્માના સંબંધની સિદ્ધિ નહી થાય કેમ કે; અલ ક આકાશની જેમ આત્મામાં સંબંધ યોગ્ય સ્વભાવ નથી એમ માનેલ છે. આ પ્રમાણે ભલે હો ! તો પણ પ્રકૃતિ કલ્પના વિરો ઘ છે. એ વાતને કહે છે. अतत्स्वभावे चालोकाकाशे विरुध्यते काण्वादेस्तत्स्वभावताकल्पनेति न्यायानुपपत्तिः, ભાવાર્થ-તથાચ કર્મ પરમાણુ આદિ સાથે સંબંધના અયોગ્ય સ્વભાવવાળો જ્યારે અલોક આકાશ છે. ત્યારે અસંબંધ દ્વારથી આવેલ અતસ્વભાવ કલ્પના દ્વારા, કર્મ પરમાણુ આદિમાં અલોક આકાશના સંબંધ યોગ્ય સ્વભાવની જે કલ્પને, તેનું નિરાકરણ થાય છે. આ પ્રમાણે પૂવૉ ફક્ત રૂપ ન્યાયની અનુપત્તિઅઘટના જાણવી. તથા હિ; પ્રયોગ-નિયમ-વ્યાપ્તિ આ પ્રમાણે છે કે; જે જેની સાથે સ્વયં સંબંધ યોગ્ય સ્વભાવવાળો નથી તે કલ્પિત સંબંધ યોગ્ય સ્વભાવવાળાની સાથે પણ સંબંધવાળો થતો નથી. જેમકે; અલોક આકાશ, કર્મ પરમાણુઓની સાથે સ્વતઃ સંબંધ યોગ્ય સ્વભાવવાળો નથી. તેથી તે અલોક આકાશ કલ્પિત સંબંધ યોગ્ય સ્વભાવવાળા કર્મ પરમાણુઓની સાથે પણ, સંબંધવાળો થતો નથી. તેવી જ રીતે આત્મા, કર્મ પરમાણુઓની સાથે સ્વતઃ સંબંધ યોગ્ય સ્વભાવવાળો નથી. તેથી તે આત્મા, કલ્પિત સંબંધ યોગ્ય સ્વભાવવાળા કર્મ પરમાણુઓની સાથે પણ સંબંધવાળો નથી. મતલબ કે જેમ અલોક આકાશ, કર્મ પરમાણુઓની સાથે કલ્પિત સંબંઘિયોગ્ય સ્વભાવ વાળો નથી. - કેમ કે; અલોક આકાશમાં સ્વયં સંબંધ યોગ્ય સ્વભાવ નથી . તેમ, આત્મા, કર્મપરમાણુઓની સાથે કલ્પિત સંબંઘ યોગ્ય સ્વભાવવાળો નથી કેમકે, આત્મામાં સ્વયં યોગ્ય સ્વભાવ નથી. આ વ્યાપક અનુપલબ્ધિ રૂપ હેતુના બલથી પ્રાપ્ત પૂર્વોક્ત ન્યાય અનુ૫પત્તિ હોઈ) ૧ જે વસ્તુનો પ્રતિષેધ સિદ્ધ કરવાનો હોય તેના અવિરુદ્ધ વ્યાપકના સ્વભાવરૂપ હેતુને અવિરૂદ્ધ વ્યાપકાનુપલબ્ધિ કહે છે. જેમકે, આ પ્રદેશમાં પનશ નથી. કારણ કે, ઝાડ દેખાતું નથી. આમાં પનસ એ વ્યાપ્ય છે. ઝાડ એ અવિરૂદ્ધ બારાતી અનુવાદક - , ભકરિ મ સા
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy