SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ લલિતવિસ્તરા ભાગ-૩ પ્રતિપાદિતપણું છે. અહીં પ્રશ્ન થાય કે બે પ્રકારના કાઉસ્સગ્નમાં જેમ અભિભવ કાઉસ્સગ્ગ શ્વાસોચ્છવાસના પ્રમાણ વગર એક રાત્રિની આદિ પ્રતિમામાં કરાય છે, તેમ પ્રસ્તુત દંડક સૂત્રથી કરાતો કાયોત્સર્ગ પણ આઠ શ્વાસોશ્વાસ પ્રમાણ ન ગ્રહણ કરતાં ભુજાના પ્રલંબમાત્ર સ્વીકારી શકાશે, તેના નિવારણ માટે કહે છે – અને તેનું શ્વાસોચ્છવાસના પ્રમાણને છોડીને કરાતા કાઉસ્સગ્ગનું, અધિકતર ગુણાંતરના ભાવ વગર તે પ્રકારે કરણમાં વિરોધ છે અભિભવ કાયોત્સર્ગ વિશિષ્ટ સ્થ માટે કરાય છે તેવા ગુણાંતરનું કારણ ન હોય ત્યારે ચેષ્ટા કાયોત્સર્ગ કરાય છે અને તે ચેષ્ટા કાયોત્સર્ગને અભિભવ કાયોત્સર્ગ સમાન શ્વાસોચ્છવાસ છોડીને કરવામાં આવે તો સૂત્રનો વિરોધ છે. (માટે તે પ્રકારના કાઉસ્સગ્નનું કરણ અસાવધ નથી, પરંતુ સાવધ જ છે.) અને અન્યો વહે અનિવારિત નથી=પ્રસ્તુત દંડક સૂત્રથી કરાતો કાઉસ્સગ્ગ આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણને ગ્રહણ કર્યા વગર ભુજપ્રલંબમાત્ર જે કરાય છે તે અન્ય સુવિહિતો વહે અનિવારિત નથી; કેમ કે તેના આસેવનમાં તત્પર એવા આગમના જાણનારા સુવિહિતો વડે નિવારિતપણું છે=આગમ અનુસાર કાયોત્સર્ગના સેવનમાં તત્પર એવા આગમના જાણનારાઓ વડે નિવારણ કરાયું છે, આથી જ બહુમત પણ નથી=બધા સુવિહિતોને સંમત પણ નથી, એ પ્રમાણે ભાવન કરવું જોઈએ, પ્રસંગથી સર્યું, અહીં=પ્રસ્તુત દંડકમાં, યથા ઉદિતમાનવાળો જ=આઠ ઉચ્છવાસ પ્રમાણવાળો જ, કાયોત્સર્ગ છે. પંજિકા - 'उक्तार्थे त्यादि, उक्तो व्याख्यातः कायोत्सर्गलक्षणो अर्थः अभिधेयं, यस्य प्रकृतदण्डकस्य तद्भावस्तत्ता, तस्यां, 'च' पुनरर्थे; 'उक्ताविरोधात्'=अष्टोच्छ्वासमानकायोत्सर्गाविरोधात्। 'अथेति पराकूतसूचनार्थः, 'भवतु' प्रवर्त्तताम्, 'अयं नियतप्रमाणकायोत्सर्गलक्षणो, 'अर्थः' वन्दनाद्यर्थः 'कायोत्सर्गकरणे' अभ्युपगम्यमाने, एवं तर्हि किमत्र क्षुण्णमिति? आह- 'न पुनः'=न तु, 'अयं' दण्डकार्थः, '=ોત્સા, “ક્તિઃ' પરવવ્યતામાર્થ પંજિકાર્ય : “સાર્વે'સાહિ. પરંવધ્યતાના | સર્વેરિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેનો અર્થ સ્પષ્ટ કરે છે – શબ્દ પુનઃ અર્થમાં છે, તેથી વળી, ઉક્ત=વ્યાખ્યાન કરાયેલ, કાયોત્સર્ગરૂપ અર્થ છે અભિધેય છે, જે પ્રસ્તુત દંડકને તે ઉક્તાર્થવાળો છે તેનો ભાવ તતા=ક્તિાર્થતા, તેમાંaઉક્તાર્થતામાં, ઉક્તનો અવિરોધ હોવાથી=આઠ ઉચ્છવાસમાન કાયોત્સર્ગનો અવિરોધ હોવાથી, અધિકૃત કાયોત્સર્ગ સૂત્રનો અવ્ય અર્થ નથી, પરંતુ આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ છે એમ યોજન છે. ગઈ એ લલિતવિસ્તરાનું પ્રતીક છે અને પરના ઈરાદાના સૂચન અર્થવાળું છે અર્થાત કાયોત્સર્ગ વિષયમાં પ્રમાદમદિરાવાળા જે કહે છે તેના ઇરાદાના સૂચન અર્થવાળું છે, આ=નિયત પ્રમાણ
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy