________________
અરિહંત ચેઈયાણં સૂત્ર
बलाभियोगादिना, श्रद्धा-निजोऽभिलाषः मिथ्यात्वमोहनीयकर्म्मक्षयोपशमादिजन्यश्चेतसः प्रसाद इत्यर्थः, अयं च जीवादितत्त्वार्थानुसारी समारोपविघातकृत् कर्म्मफलसम्बन्धास्तित्वादिसंप्रत्ययाकारः चित्तकालुष्यापनायी धर्म्मः, यथोदकप्रसादको मणिः सरसि प्रक्षिप्तः पङ्कादिकालुष्यमपनीयाच्छतामापादयति, एवं श्रद्धामणिरपि चित्तसरस्युत्पन्नः सर्व्वं चित्तकालुष्यमपनीय भगवदर्हत्प्रणीतमार्गं सम्यग्भावयतीति । લલિતવિસ્તરાર્થ :
અને આ કરાતો પણ કાયોત્સર્ગ=પ્રસ્તુત સૂત્રથી વંદનાદિ નિમિત્તે ઈત્યાદિ બોલીને કરાતો પણ કાયોત્સર્ગ, શ્રદ્ધાદિ વિકલ પુરુષને અભિલષિત અર્થના પ્રસાધન માટે સમર્થ નથી=પ્રસ્તુત સૂત્રમાં બોલાયેલ કે મને બોધિલાભ થાવ અને બોધિલાભ મોક્ષ માટે થાવ એ પ્રકારના અભિલષિત અર્થને સાધવા માટે સમર્થ થતો નથી, આથી કહે છે=સૂત્રમાં કહે છે વધતી જતી શ્રદ્ધાથી, મેઘાથી, ધૃતિથી, ધારણાથી, અનુપ્રેક્ષાથી હું કાઉસ્સગ્ગમાં રહું છું.
શ્રદ્ધાનો અર્થ કરે છે -
૨૯
હેતુભૂત એવી શ્રદ્ધાથી હું કાઉસ્સગ્ગ કરું છું, પરંતુ બલાભિયોગાદિથી નહિ, શ્રદ્ધા પોતાનો અભિલાષ છે, મિથ્યાત્વમોહનીયકર્મના ક્ષયોપશમ આદિથી જન્ય ચિત્તનો પ્રસાદ છે એ પ્રકારે શ્રદ્ધાનો અર્થ છે, અને આ=ચિત્તના પ્રસાદરૂપ શ્રદ્ધા, જીવાદિ તત્ત્વના અર્થને અનુસરનાર, સમારોપના વિઘાતને કરનાર, કર્મ અને ફ્ળ એ બેના સંબંધના અસ્તિત્વાદિ સંપ્રત્યયના આકારવાળો ચિત્તના કાલુષ્યને દૂર કરનાર ધર્મ છે, જે પ્રમાણે ઉદના પ્રસાદને કરનારો મણિ=પાણીને સ્વચ્છ કરનારો મણિ, સરોવરમાં નંખાયેલો કાદવ આદિના કાલુષ્યને દૂર કરીને અચ્છતાને=જલની નિર્મળતાને, પ્રાપ્ત કરાવે છે, એ રીતે શ્રદ્ધારૂપી મણિ પણ ચિત્તરૂપી સરોવરમાં ઉત્પન્ન થયેલા સર્વ ચિત્તકાલુષ્યને દૂર કરીને ભગવાન અરિહંતપ્રણીત માર્ગને સમ્યગ્ ભાવન કરાવે છે.
પંજિકા ઃ
'श्रद्धा०' । 'समारोपे 'त्यादि, समारोपविघातकृत् = समारोपो नामासतः स्वभावान्तरस्य मिथ्यात्वमोहोदयात्तध्ये वस्तुन्यध्यारोपणं, काचकामलाद्युपघाताद् द्विचन्द्रादिविज्ञानेष्विवेति, तद्विघातकृत् = तद्विनाशकारी । 'कर्म्मफलसम्बन्धास्तित्वादिसंप्रत्ययाकार' इति, कर्म्म- शुभाशुभलक्षणं, फलं च तत्कार्यं तथाविधमेव, तयोः संबन्धः आनन्तर्येण कार्यकारणभावलक्षणो वास्तवः संयोगो, न तु सुगतसुतपरिकल्पितसन्तानव्यवहाराश्रय इवोपचरितो, यथोक्तं तैः - 'यस्मिन्नेव हि सन्ताने, आहिता कर्म्मवासना । फलं तत्रैव सन्धत्ते, कार्पासे रक्तता यथा । ' तस्य अस्तित्वं= सद्भावः, 'आदि' शब्दाद् 'आत्मास्ति स परिणामी, बद्धः सत्कर्म्मणा विचित्रेण । मुक्तश्च तद्वियोगाद्, हिंसाऽहिंसादि तद्धेतुः । । १ । । इत्यादि, ' इत्यादिचित्रप्रावचनिकवस्तुग्रहः। तस्य सम्प्रत्ययः= सम्यक् श्रद्धानता प्रतीतिः, स आकारः = स्वभावो यस्य स तथा ।