________________
૨૫
હિતોપદેશ લલિતવિસ્તરાર્થ -
તે કારણથી પૂર્વમાં તેત્રીશ કર્તવ્યો બતાવ્યાં તે સેવીને યોગ્ય જીવો ચૈત્યવંદન કરવા સમર્થ થાય છે અને પ્રાંતમાં જયવીયરાય સૂત્ર દ્વારા આઠ વસ્તુની ચાયના કરીને તેના બળથી જન્માંતરમાં મોક્ષસાધક સર્વ યોગોને પ્રાપ્ત કરીને સુખપૂર્વક સંસારનો અંત કરશે તે કારણથી, આને પ્રસ્તુત ગ્રંથને, આદરથી સાંભળવો જોઈએ, સૂકમબુદ્ધિથી ભાવન કરવું જોઈએ, સૂકી શેરડી ચાવવા જેવું અવિજ્ઞાત અર્થવાળું અધ્યયન છે, કિજે કારણથી, અહીં ગ્રંથઅધ્યયનમાં, રસતુલ્ય અર્થ છે, તે=અધ્યયનનો અર્થ, અંતરાત્માને પ્રીતિ ઉત્પન્ન કરે છે; કેમ કે તેનાથી=અર્થના બોધથી, સંવેગ આદિની સિદ્ધિ છે, વળી, અન્યથા અર્થના બોધ વગર માત્ર સૂત્રનું અધ્યયન કરવામાં આવે તો, અદર્શન છે=સંવેગ આદિનું અદર્શન છે, અને તેના માટે સંવેગ આદિની સિદ્ધિ માટે, આ પ્રયાસ છે=પ્રસ્તુત લલિતવિસ્તરા ગ્રંથની રચનાનો પ્રયાસ છે, એથી પ્રારબ્ધને પ્રતિકૂળ આસેવન કરવું જોઈએ નહિ=પ્રસ્તુત ગ્રંથ અપુનબંધક આદિ જીવોને અર્થનો બોધ કરાવીને સંવેગ આદિ પ્રગટ કરાવશે તે માટે ચૈત્યવંદનસૂત્રની ટીકા રચાયેલી છે તેને જેમતેમ ભણીને પ્રતિકૂલ આસેવન કરવું જોઈએ નહિ અર્થાત્ તેનું હાર્દ પ્રાપ્ત થાય તે રીતે જાણવા યત્ન કરવો જોઈએ, અને પ્રકૃતિથી સુંદર ચિંતામણિ રત્ન જેવું સંવેગ છે કાર્ય જેને એવું આ=પ્રસ્તુત ગ્રંથનું નિર્માણ છે, એથી મહાકલ્યાણનું વિરોધી ચિંતવન કરવું જોઈએ નહિ, સમ્યગુ જ્ઞાતગુણવાળા પષને જ ચિંતામણિ રત્નમાં પણ શ્રદ્ધાદિના અતિશય ભાવથી અવિધિના વિરહપૂર્વક મહાકલ્યાણની સિદ્ધિ છે, એથી પ્રસંગથી સયુંકચૈત્યવંદનની સિદ્ધિ માટે તેત્રીશ કર્તવ્યોથી માંડીને અત્યાર સુધી બતાવ્યું તે પ્રાસંગિક કથનથી સર્યું. પંજિકા -
एतदिति इदमेव प्रकृतं चैत्यवन्दनव्याख्यानम् इति, 'महे'त्यादि, महतः सच्चैत्यवन्दनादेः, कल्याणस्यकुशलस्य, विरोधि-बाधकम् अवज्ञाविप्लावनादि, न-नैव, चिन्तनीयम्=अध्यवसेयं, कुत इत्याह-'चिन्तामणी'त्यादि सुगमम् । इति श्रीमुनिचन्द्रसूरिविरचितायां ललितिवस्तरापञ्जिकायां सिद्धमहावीरादिस्तवः समाप्तः ।
तत्समाप्तौ समाप्ता चेयं ललितिवस्तरापञ्जिका ।। कष्टो ग्रन्थो मतिरनिपुणा, संप्रदायो न तादृक्, शास्त्रं तन्त्रान्तरमतगतं, सन्निधौ नो तथापि । स्वस्य स्मृत्यै परहितकृते, चात्मबोधानुरूपं, मागामागःपदमहमिह व्यापृतश्चित्तशुद्ध्या ॥१॥