SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર નહિ=૫૨ વડે અને સ્ત્રીઓને છઠ્ઠી નરક છે, એ પ્રકારનું વચન છે, તેની જેમ=પ્રકૃત રૌદ્રધ્યાનની જેમ=સ્ત્રીઓને સાતમી નરકયોગ્ય પ્રકૃષ્ટ રૌદ્રધ્યાનનો અભાવ છે એ રૂપ પ્રકૃત રૌદ્રધ્યાનની જેમ, પ્રકૃષ્ટ શુભધ્યાનનો અભાવ છે=મોક્ષનો હેતુ એવા શુક્લરૂપ ધ્યાનનો અભાવ છે, એ પ્રમાણે પૂર્વપક્ષી એમ કહે તારો અશ્રુપગમ છે, આવા પરિહારને કહે છે=પૂર્વપક્ષીના સ્વીકારના પરિહારને કહે છે કહેવાયેલું આ નથી, કયા કારણથી નથી ? એથી હેતુ કહે છે – તેની સાથે તેના પ્રતિબંધનો અભાવ છે=પ્રકૃત રૌદ્રધ્યાનની સાથે પ્રકૃત શુભધ્યાનના અવિનાભાવનો અયોગ છે, =િજે કારણથી, તેના પ્રતિબંધની સિદ્ધિ થયે છતે=પ્રકૃષ્ટ રૌદ્રધ્યાનની સાથે પ્રકૃષ્ટ શુભધ્યાનના પ્રતિબંધની સિદ્ધિ થયે છતે, વ્યાપક કારણ એવા વૃક્ષત્વ અને ધૂમધ્વજની નિવૃત્તિ હોતે છતે=શિશપા અને ધૂમના વ્યાપક કારણ એવા વૃક્ષત્વ અને અગ્નિની નિવૃત્તિ હોતે છતે, શિશપા અને ધૂમની નિવૃત્તિની જેમ પ્રકૃષ્ટ રૌદ્રધ્યાનના અભાવમાં પ્રકૃષ્ટ શુભધ્યાનનો અભાવ ઉપન્યાસ કરવા માટે યુક્ત થાય, (તે અત્યંત અનુચિત છે.) અને પ્રતિબંધ નથી, કયા કારણથી રૌદ્રધ્યાનની સાથે શુભધ્યાનનો પ્રતિબંધ નથી, એમાં હેતુ કહે છે તેના ફ્ળની જેમ=તે પ્રકૃષ્ટ શુભધ્યાનનું લ જે મુક્તિગમન તેની જેમ, ઇતર ફલના ભાવથી=સાતમી નરકના ગમનરૂપ પ્રકૃત રૌદ્રધ્યાનના ફલના ભાવથી અર્થાત્ યુગપત્ સત્તાથી, અનિષ્ટનો પ્રસંગ છે=પરમ પુરુષાર્થરૂપ મોક્ષના ઉપઘાત સ્વરૂપ અનિષ્ટનો પ્રસંગ છે, =િજે કારણથી, પ્રતિબંધ સિદ્ધ થયે છતે=પ્રકૃષ્ટ રૌદ્રધ્યાનની સાથે પ્રકૃષ્ટ શુભધ્યાનનો પ્રતિબંધ સિદ્ધ થયે છતે, શિશપાત્વમાં વૃક્ષત્વની જેમ અથવા ધૂમમાં ધૂમધ્વજની જેમ પ્રકૃષ્ટ શુભધ્યાનના ભાવમાં સ્વલને કરનાર અવસ્થંભાવી પ્રકૃત રૌદ્રધ્યાનનો ભાવ સ્વકાર્ય કરનાર થાય; કેમ કે વસ્તુનું સ્વકાર્યકારીપણું છે=પ્રકૃત રૌદ્રધ્યાનરૂપ વસ્તુનું સાતમી નરકને યોગ્ય કર્મબંધરૂપ કાર્યનું કરવાપણું છે, સ્વકાર્યને આક્ષેપ કરતું=પ્રકૃષ્ટ શુભધ્યાનની સાથે નિયત વ્યાપ્તિવાળું પ્રકૃષ્ટ રૌદ્રધ્યાન પોતાના કાર્યને આક્ષેપ કરતું, કેમ પરમ પુરુષાર્થને હણે નહિ ? - ૨૦૦ શ્રેણીત્યાવિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, શ્રેણિ પરિણત થયે છતે વળી=ક્ષપકશ્રેણિનો પરિણામ થયે છતે, વેદમોહનીય ક્ષયના ઉત્તરકાળમાં કાલગર્ભની જેમ કાલે=ઋતુની પ્રવૃત્તિને ઉચિત પ્રૌઢકાળમાં, ઉદરસત્ત્વની જેમ=ગર્ભધારણની જેમ, ભાવથી=દ્વાદશાંગના અર્થના ઉપયોગરૂપ ભાવથી, ભાવ= દ્વાદશાંગીની સત્તા, અવિરુદ્ધ છે=દોષવાત નથી, પરંતુ શબ્દથી પણ ભાવ નથી=દ્વાદશાંગીનો ભાવ નથી. સ્ત્રીઓને પણ અહીં=શ્રેણિની પરિણતિમાં ભાવથી દ્વાદશાંગી છે એ કથનમાં, આ તાત્પર્ય છે પ્રકૃત યુક્તિથી=યાપનીયતંત્રમાં બતાવેલી યુક્તિથી, કેવલની પ્રાપ્તિ છે જ અને તે=કેવલજ્ઞાન, શુક્લધ્યાન સાધ્ય છે; કેમ કે શુક્લધ્યાનના આદ્યભેદદ્રયના અવસાનમાં ઉત્તરભેદદ્વયના અનારંભરૂપ ધ્યાનાંતરિકામાં વર્તતા જીવને કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે, એ પ્રકારનું વચનનું પ્રામાણ્ય છે અને પૂર્વગત શ્રુતજ્ઞાન વગર શુક્લધ્યાનના આદ્ય બે ભેદો નથી; કેમ કે આદ્ય બે શુક્લધ્યાનો પૂર્વવિદ્ન હોય છે–ચૌદપૂર્વધરને હોય છે, એ પ્રકારનું વચન છે, અને સ્ત્રીઓને દૃષ્ટિવાદ નથી, એ પ્રકારનું વચન છે, આથી=ચૌદપૂર્વ વગર શુક્લધ્યાન
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy