________________
૧૫૪
લલિતવિસ્તરા ભાગ-૩ સમર્થકને કહે છે=અવચનપૂર્વક કોઈક સર્વજ્ઞ થાય છે તેના સમર્થક હેતને કહે છે – મરુદેવી આદિનું સ્વયં જ પક્વ ભવ્યત્વવાળા પ્રથમ જિનની માતા વગેરેનું, તે પ્રકારે શ્રવણ છે શબ્દરૂપ વચનની અપેક્ષાથી જ સર્વદર્શિત્વનું શ્રવણ છે, હવે તપૂર્વક અરિહંતો છેઃવચનપૂર્વક અરિહંતો છે, એ વચનને સમર્થન કરતાં કહે છે – વચનના અર્થતી પ્રતિપત્તિથી જ=જ્ઞાન અનુષ્ઠાનરૂપ વચનથી સાધ્ય સામાયિક આદિ અર્થતી પ્રતિપત્તિથી જ અર્થાત્ અંગીકરણથી જ, તેઓના પણ=મરુદેવી આદિના પણ, તત્વથી=નિશ્ચયવૃત્તિથી, તથાત્વની સિદ્ધિ છે=સર્વદર્શિત્વની સિદ્ધિ છે, અન્યથા તથી=વચનના અર્થની પ્રતિપત્તિ વગર મરુદેવી આદિને સર્વજ્ઞત્વની સિદ્ધિ નથી, તેવામાપમાં રહેલા
જ શબ્દથી ઋષભાદિને પણ વચનાર્થતી પ્રતિપત્તિથી જ સર્વજ્ઞત્વની સિદ્ધિ છે તેનો સમુચ્ચય છે, તત્વથીનો અર્થ કર્યો કે નિશ્ચયવૃત્તિથી તેને સ્પષ્ટ કરે છે – વ્યવહારથી પણ નહિષૅનિશ્ચયવૃત્તિથી વચનાર્થ પ્રતિપત્તિથી જ તેઓને સિદ્ધિ હોવાથી વચનપૂર્વકપણું છે.
આને જ ભાવન કરે છેઃવચન વગર અર્થના બોધથી પણ કેટલાકને તત્વનો બોધ થાય છે એને જ સ્પષ્ટ કરે છે – અને વિશિષ્ટ ક્ષયોપશમ આદિથી=વિશિષ્ટ દર્શનમોહનીય આદિ વિષયક ક્ષયલયોપશમ-ઉપશમથી, માર્ગાનુસારી બુદ્ધિવાળાને સમ્યગ્દર્શન આદિ મોક્ષમાર્ગને અનુસરનારી પ્રજ્ઞાવાળાને, વચન વગર પણ=સર્વજ્ઞથી કહેવાયેલા સ્વરૂપવાળા વચન વગર પણ, તેના અર્થની પ્રતિપતિ=વચનના અર્થનો બોધ, થાય છે, કયા કારણથી ? એથી કહે છે=કયા કારણથી સર્વાના વચન વગર અર્થનો બોધ થાય છે ? એમાં હેતુ કહે છે – ક્વચિત પ્રજ્ઞાપનીય વસ્તુના વિષયમાં તે પ્રકારે દર્શન છે= વચનાર્થની પ્રતિપતિનું દર્શન છે, કયા કારણથી આ છે ? એથી કહે છે=કયા કારણથી કોઈક પ્રજ્ઞાપનીય વસ્તુમાં વચન વગર પણ વચનના અર્થનો બોધ કોઈકને થાય છે? એમાં હેતુ કહે છે – સંવાદની સિદ્ધિ છે=જે આ તારા વડે કહેવાયું તે મારા વડે સ્વતઃ જ જ્ઞાત છે અથવા કરાયેલું છે એ પ્રકારે પ્રકૃત અર્થના અવ્યભિચારની સિદ્ધિ છે= થાર્થ વક્તાના પ્રકૃતિ અર્થના અવ્યભિચારની સિદ્ધિ છે, અને વ્યક્તિની અપેક્ષાથી એક એક સર્વદર્શીની અપેક્ષા રાખીને, આ રીતે વચનનું પૌરુષેયપણું હોતે છતે અનાદિ શુદ્ધવાદની આપત્તિ નથી=કોઈ એક અનાદિ શુદ્ધ સર્વદર્શી વક્તા પ્રાપ્ત નથી, કયા કારણથી ? એથી કહે છે=કોઈ સર્વજ્ઞતા અનાદિ શુદ્ધવાદની આપત્તિ કયા કારણથી નથી ? એમાં હેતુ કહે છે – સર્વ સર્વદર્શીતું તે પ્રકારે=પૂર્વમાં કહ્યું તે પ્રકારે=વચનપૂર્વક અથવા અર્થપૂર્વક બેમાંથી કોઈપણ પ્રકારે, તપૂર્વકપણું છેઃવચનપૂર્વકપણું છે, વળી, પ્રવાહથી=પરંપરાની અપેક્ષાએ, અનાદિ શુદ્ધ ઈચ્છાય છે જ; કેમ કે પ્રવાહનું અનાદિપણું છે, એ રીતે=પ્રવાહથી અનાદિ શુદ્ધ છે વ્યક્તિથી અનાદિ શુદ્ધ નથી એ રીતે, મને પણ તત્વથી અપૌરુષેય વચન જે તારા વડે પ્રસંગ અપાયો એ તથી=પૂર્વપક્ષી દ્વારા સ્યાદ્વાદીને અપૌરુષેય વચનનો જે પ્રસંગ અપાયો તે તત્વથી અર્થાત્ સર્વથા, અપૌરુષેય વચન સ્વીકારવાનો પ્રસંગ મને અર્થાત્ સ્યાદ્વાદીને પણ નથી, આ=સ્યાદ્વાદીને અપૌરુષેય વચન સ્વીકારવાનો પ્રસંગ નથી એ, અન્યત્ર=સર્વજ્ઞસિદ્ધિ આદિ ગ્રંથોમાં, પ્રપંચિત છે, એથી અહીં પ્રયાસ=પ્રયત્ન નથી. [૧]