SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ લલિતવિસ્તરા ભાગ-૧ ૨૫૮ शुभ्योऽपि तत्त्वोपलम्भाभावात्; समवसरणेऽपि सर्वेषां प्रबोधाश्रवणात्; इदानीमपि तद्वचनतः प्रबोधा વર્ણનાત્ લલિતવિસ્તરાર્થ : તે પ્રકારે લોકપ્રદીપ એવા ભગવાનને નમસ્કાર થાઓ, અહીં=લોકપ્રદીપ શબ્દમાં, લોક શબ્દથી તેમનાં દેશનાદિ કિરણોથી=ભગવાનનાં દેશનાદિ કિરણોથી, મિથ્યાત્વરૂપી અંધકારના અપનયન વડે યથાયોગ્ય પ્રકાશિત જ્ઞેયભાવવાળો વિશિષ્ટ જ સંતિલોક ગ્રહણ કરાય છે; કેમ કે વળી જે=જે સંતિલોક, આવા પ્રકારનો નથી=યથાયોગ્ય પ્રકાશિત જ્ઞેયભાવવાળો નથી, તેમાં=તે સંજ્ઞિલોકમાં, તત્ત્વથી=પરમાર્થથી, પ્રદીપત્વનો અયોગ છે=ભગવાનના પ્રદીપત્વનો અયોગ છે, અંધ પ્રદીપના દૃષ્ટાંતથી=અંધપુરુષ પ્રત્યે પ્રદીપના દૃષ્ટાંતથી, જે પ્રમાણે અંધને પ્રદીપ તત્ત્વથી અપ્રદીપ જ છે; કેમ કે તેના પ્રત્યે=અંધ પ્રત્યે, સ્વકાર્યનું અકરણ છે=પ્રદીપના કાર્યનું અકરણ છે, અને તત્કાર્યકૃત જ પ્રદીપત્વની ઉપપત્તિ છે=પ્રદીપના કાર્યકૃત જ પ્રદીપમાં પ્રદીપત્વની ઉપપત્તિ છે. કેમ અંધ પ્રત્યે પ્રદીપ પ્રદીપનું કાર્ય કરતો નથી એટલા માત્રથી તેમાં પ્રદીપત્વ નથી ? તેમાં હેતુ કહે છે. અન્યથા=પ્રદીપનું કાર્ય ન થતું હોય છતાં તેને પ્રદીપ કહેવામાં આવે તો, અતિપ્રસંગ છે=પ્રદીપના કાર્યને નહિ કરનાર ઘટમાં પણ પ્રદીપત્વ સ્વીકારવાનો અતિપ્રસંગ છે, અને યથાઉદિત લોકથી વ્યતિરિક્ત=પૂર્વમાં વિશિષ્ટ સંજ્ઞિલોક કહ્યો એવા સંતિલોથી વ્યતિરિક્ત એવો, તદન્યલોક અંધકલ્પ છે; કેમ કે તેમનાં દેશનાદિ અંશુઓથી પણ=દેશના-ભગવાનનાં વચનો કે ભગવાનની મૂર્તિરૂપ કિરણોથી પણ, તત્ત્વના ઉપતંભનો અભાવ છે. કેમ ભગવાનની દેશના આદિથી તત્ત્વનો ઉપલંભ નથી ? તેમાં હેતુ કહે છે સમવસરણમાં પણ બધા જીવોને પ્રબોધનું અશ્રવણ છે=સમવસરણમાં બેઠેલા બધા જીવોને તત્ત્વની પ્રાપ્તિ થાય છે એ પ્રમાણે શાસ્ત્રમાં સંભળાતું નથી, હમણાં પણ તેમના વચનથી=વર્તમાન કાળમાં પણ ભગવાનના વચનથી પ્રબોધનું અદર્શન છે=યોગ્ય ઉપદેશક શ્રોતાની બુદ્ધિ અનુસાર આત્માના હિતને અનુકૂળ ઉચિત ઉપદેશ આપતા હોય છતાં તત્ત્વને જોવામાં અંધકલ્પ જીવોને તત્ત્વનો બોધ થતો નથી તેમ દેખાય છે. ભાવાર્થ: લોગપઈવાણું શબ્દમાં લોક શબ્દથી વિશિષ્ટ સંશિલોક ગ્રહણ કરાય છે, કેવો વિશિષ્ટ સંશિલોક ગ્રહણ કરાય છે ? તેથી કહે છે - જે જીવોની ઉપદેશના બળથી તત્ત્વને યથાર્થ સમજી શકે તેવી નિર્મળ અંતરંગ ચક્ષુ છે અને ઉપદેશ વગર સ્વયં તત્ત્વને જોઈ ન શકે તેવી મતિ છે તેવા જીવોને ભગવાનનો ઉપદેશ પ્રાપ્ત થાય તો ભગવાનના વચનના બળથી તત્ત્વને જોવામાં જે વિપર્યાસને કરનાર મિથ્યાત્વરૂપી અંધકાર વર્તે છે તે તેઓની યોગ્યતા અનુસાર
SR No.022463
Book TitleLalit Vistara Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy