SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ લલિતવિસ્તર ભાગ-૧ તેની=વસ્તુત્વની, અસિદ્ધિ છે અર્થાત્ આ કથનથી અનુમાનનો આકાર આ પ્રમાણે પ્રાપ્ત થાય, જીવાદિ વસ્તુ પણ છે, એક-અનેક સ્વભાવ સાધ્ય છે અને અન્યથા તતત્વની અસિદ્ધિ હોવાથી એ હેતુ છે, તેથી એ પ્રાપ્ત થાય કે વસ્તુને એક-અનેક સ્વભાવવાળી ન સ્વીકારવામાં આવે તો વસ્તુના વસ્તુત્વની અસિદ્ધિ થાય અને વસ્તુ છે માટે વસ્તુ એક-અનેક સ્વભાવવાળી છે અર્થાત્ દ્રવ્યરૂપે એક છે અને પર્યાયરૂપે અનેક છે.. આના ભાવ માટે જ–વસ્તુને એક-અનેક સ્વભાવવાળી સ્વીકાર્યા વગર વસ્તુત્વની અસિદ્ધિ છે એના ભાવ માટે જ, કહે છે=લલિતવિસ્તરામાં કહે છે – સત્વ-અમૂર્તત્વ-ચેતનત્યાદિ ધર્મરહિત વસ્તુના જીવતાદિનો અયોગ છે એમ અવય છે, સત્વનો અર્થ સ્પષ્ટ કરે છે – સત પ્રત્યયતા અભિધાનનું કારીપણું સત્વ છે=વસ્તુને જોઈને આ છે એ પ્રકારની પ્રતીતિ કરાવનાર જે ધર્મ વસ્તુમાં છે તે ધર્મ સત્વ છે, અમૂર્તત્વ=પાદિ રહિતપણું, ચેતનત્વ=ચૈતન્યવાનપણું, ‘ગારિ' શબ્દથી=લલિતવિસ્તરામાં “સત્તાકૂર્તત્વવેતનત્વાદિમાં રહેલા ગરિ શબ્દથી, પ્રમેયત્વ પ્રદેશત્વ આદિ અનેક ધર્મોનું ગ્રહણ છે, તેનાથી=સત્યાદિ અનેક ધર્મોથી, રહિતના= અવિશિષ્ટકૃત વસ્તુના, જીવતાદિનો અયોગ છે પરસ્પર વિભિન્ન એવા જીવત્યાદિ ચિત્રરૂપનો અભાવ છે, આ વ્યાયમુદ્રા યુક્તિની મર્યાદા વર્તે છે; કેમ કે પ્રજ્ઞાધન એવા પણ પર વડે તર્ક કરવામાં કુશળ બુદ્ધિવાળા પણ એકાંતવાદીઓ વડે, ઉલ્લંઘન કરવા માટે અશક્યપણું છે=સત્યાદિ ધર્મથી રહિત વસ્તુના જીવતાદિનો અયોગ છે એ પ્રકારની ન્યાયમુદ્રાને ઉલ્લંઘન કરી શકે તેમ નથી. નનુ'થી શંકા કરે છે – અમૂર્તતાદિના સત્વરૂપનો અતિક્રમ હોવાથી કેવી રીતે વિધમાન સત્વ હોતે છતે જીવવાદિતો અયોગ છે? અર્થાત વિદ્યમાન સત્વ હોતે છતે જીવવાદિનો અયોગ સ્વીકારી શકાય નહિ એ પ્રકારની આશંકા કરીને કહે છે=લલિતવિસ્તરામાં કહે છે – સત્વ જ શુદ્ધ સંગ્રહ તથ અભિમત સતામાત્ર જ, અમૂર્તવાદિ જીવાદિગત અમૂર્તત્વ-ચેતતત્વ આદિ, નથી જ, કેમ=સત્વ જ અમૂર્તવાદિ કેમ નથી ? એથી હેતુ કહે છે – સર્વત્ર=સત્વ એવા ઘટાદિમાં, તેનો પ્રસંગ છે અમૂર્તત્વ-ચેતનતાદિની પ્રાપ્તિ છે. કેમ સત્ત્વને જ અમૂત્વાદિ સ્વીકારીએ તો સર્વત્ર અમૂર્તવાદિની પ્રાપ્તિ છે? તેમાં હેતુ કહે છે – સત્ત્વનું એકરૂપપણું હોવાથી સર્વથા અવ્યતિરેકની પ્રાપ્તિ થવાથી=દરેક પદાર્થમાં સત્વની સાથે સર્વથા અમૂર્તત્વ ચેતનત્વ આદિનો અવ્યતિરેક હોવાથી, ઘટાદિમાં પણ અમૂર્તવાદિની પ્રાપ્તિ છે, જો એમ છે તેનાથી શું પ્રાપ્ત થાય? એથી કહે છે=લલિતવિસ્તરામાં કહે છે - અને આ રીતે સત્વમાત્ર સ્વીકાર કરાયે છતે=જગતમાં સત્વમાત્ર છે અન્ય કાંઈ નથી એમ સ્વીકાર કરાયે છતે, મૂર્તત્વઅચેતવ્ય આદિનો અભાવ થાય અને તેના અભાવમાં=ઘટાદિ વસ્તુમાં મૂર્તિત્વ અચેતવ્ય આદિના અભાવમાં, તેનું પ્રતિપક્ષરૂપપણું હોવાથી અમૂર્તવાદિનો પણ અભાવ પ્રાપ્ત થાય અને તે રીતે પદાર્થમાં સત્વથી અતિરિક્ત મૂર્તત્વ અચેતનત્વ અને તેના પ્રતિપક્ષભૂત અમૂર્તવાદિનો પણ અભાવ સિદ્ધ
SR No.022463
Book TitleLalit Vistara Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy