SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ લલિતવિસ્તરા ભાગ-૧ ये થાનાત્'-તેષાં=માવતામ્, અસાધારળા:-સિંહાવો વવચિવન્યત્ર અવૃત્તા (પ્રત્યુત્તરે ‘અપ્રવૃત્તા’) જે મુળા:शौर्यादयस्तेषाम्, अभिधानात् = प्रत्यायनात्, ननु तदसाधारणगुणाभिधायिन्युपायान्तरे सत्यपि किमर्थ - मित्थमुपन्यासः कृतः ? इत्याह विनेयविशेषानुग्रहार्थमेतत्-विनेयविशेषानुग्रहीतुमिदं सूत्रमुपन्यस्तम् । एतदेव भावयति - इत्थमेव = प्रकृतोपमोपन्यासेनैव, केषाञ्चिद् = विनेयविशेषाणाम्, 'उक्तगुणप्रतिपत्तिदर्शनात्', उक्तगुणाः-असाधारणाः शौर्यादय:, तेषां ('प्रतिपत्तिदर्शनात् '-) प्रतीतिदर्शनात् । कुत एतदेवमित्याह चित्रो = નૈરૂપો, દિઃ=યસ્માત્, સત્ત્વાનાં પ્રાળિનાં, ક્ષયોપશમ:=જ્ઞાનાવરનાવિવધર્મનાં ક્ષયવિશેષનક્ષળઃ, તતઃ = क्षयोपशमवैचित्र्यात्, कस्यचिद्विनेयस्य कथञ्चित् = प्रकृतोपमोपन्यासादिना प्रकारेण, आशयशुद्धिभावात्= चित्तप्रसादभावात्, नैवमुपमा मृषा इति योगः । ૧૯૨ પંજિકાર્થ : ‘ન એવમ્’ મૃષા રૂતિ યોગઃ ।। ‘ન ચેવમ્' ઇત્યાદિ પ્રતીક છે, આ રીતે=ઉક્ત પ્રકારથી=પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારથી, સિંહના સાદ્દશ્યરૂપ ઉપમા મૃષા નથી જ, કેમ મૃષા નથી ? એથી કહે છે ..... તેના દ્વારા=સિંહની ઉપમા દ્વારા, તત્ત્વથી=પરમાર્થને આશ્રયીને, શાબ્દ વ્યવહારથી નહિ=સિંહમાં જેવા બાહ્ય ક્રૂર આદિ ભાવો છે તે રૂપ શબ્દવ્યવહારથી નહિ પરંતુ અંતરંગ શત્રુઓ પ્રત્યે ભગવાનના ક્રૂર આદિ ભાવો છે તે રૂપ પરમાર્થને આશ્રયીને, તેમના અસાધારણ ગુણોનું અભિધાન હોવાથી= ભગવાનના અસાધારણ ગુણો અર્થાત્ અન્યત્ર કોઈક સ્થાનમાં અપ્રવૃત્ત અર્થાત્ સિંહથી કે ભગવાનથી અન્ય સ્થાનમાં અપ્રવૃત્ત એવા સિંહાદિમાં જે શૌર્યાદિ ગુણો તેઓનું અભિધાન હોવાથી અર્થાત્ પુરુષસિંહ શબ્દથી ઉપસ્થિતિ હોવાથી, ઉપમા મૃષા નથી એમ અન્વય છે. ‘નનુ’થી શંકા કરે છે – તેમના અસાધારણ ગુણના કહેનારા ઉપાયાંતર વિદ્યમાન હોતે છતે પણ= ભગવાનના અસાધારણ ગુણો ઉપમા વગર સાક્ષાત્ તદ્વાચક શબ્દોરૂપ ઉપાયાંતરથી કહી શકાય એવા હોવા છતાં પણ, કેમ આ પ્રમાણે=સિંહની ઉપમા દ્વારા કહ્યું એ પ્રકારે, ઉપન્યાસ કરાયો છે ? એથી કહે છે – શિષ્ય વિશેષોના અનુગ્રહ માટે આ છે=શ્રોતાવિશેષોને અર્થાત્ સિંહની ઉપમા દ્વારા ભગવાનના તે ગુણોને સુખપૂર્વક પ્રતિસંધાન કરીને તે ગુણોથી આત્માને ભાવિત કરી શકે તેવા શ્રોતાવિશેષોને ઉપકાર કરવા માટે આ સૂત્ર ઉપન્યસ્ત છે=પ્રસ્તુત નમ્રુત્યુણં સૂત્ર ઉપત્યસ્ત છે. આને જ=પ્રસ્તુત સૂત્રથી વિનેયવિશેષને અનુગ્રહ થાય છે એને જ, ભાવન કરે છે અર્થાત્ સ્પષ્ટ કરે છે. આ રીતે જ=પ્રકૃત ઉપમાના ઉપન્યાસથી જ=સિંહની ઉપમાના ઉપન્યાસથી જ, કેટલાક શિષ્યવિશેષોને ઉક્ત ગુણની પ્રતિપત્તિનું દર્શન છે અર્થાત્ ઉક્ત એવા અસાધારણ શૌર્યાદિ ગુણો તેઓની પ્રતીતિનું દર્શન છે, તેથી આ પ્રમાણે ઉપન્યાસ છે એમ અન્વય છે. કેમ આ પ્રમાણે છે ?=પુરુષસિંહ શબ્દ દ્વારા તે જીવોને ભગવાનના શૌર્યાદિ ગુણોની પ્રતીતિ છે, અન્ય રીતે નથી. એ પ્રમાણે કેમ છે ? એથી કહે છે—
SR No.022463
Book TitleLalit Vistara Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy