SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ આઈગરાણ ૧૩૯ થતો નથી, એવું કયા કારણથી છે? એથી કહે છે – તેના સંબંધના સ્વભાવવતો અયોગ હોવાથી અર્થાત તેના=અલોકાકાશના, તેની સાથે=કમણુ આદિ સાથે, સંબંધનું સ્વભાવપણું, તેનો તે સ્વભાવપણાનો, અયોગ હોવાથી, કર્માણ આદિનો અલોકાકાશ સાથે સંબંધ થતો નથી, એમ અવય છે. આમ થાઓ અલોકાકાશનો કર્માણ આદિ સાથે સંબંધને યોગ્ય સ્વભાવ નહીં હોવાથી તે પ્રકારની કલ્પનામાં પણ કર્માણ આદિનો અલોકાકાશ સાથે સંબંધ થતો નથી એમ થાઓ, તોપણ પ્રકૃત કલ્પનાનો વિરોધ કઈ રીતે છે? એથી કહે છે – અને અતસ્વભાવવાળા અલોકાકાશમાં=કમણુ આદિ સાથે સંબંધને અયોગ્ય સ્વભાવવાળા અલોકાકાશમાં, કર્માણ આદિની તસ્વભાવતાની કલ્પના=અલોકાકાશ સાથે સંબંધને યોગ્ય સ્વભાવપણાની કલ્પના, વિરોધ પામે છે અસંબંધ દ્વારથી આવેલી અતવભાવતાની કલ્પના વડે નિરાકરણ કરાય છે અલોકાકાશના સંબંધને અયોગ્ય સ્વભાવ દ્વારા પ્રાપ્ત થયેલી કમાણ આદિલી સંબંધને અયોગ્ય સ્વભાવપણાની કલ્પના વડે કમણ આદિની સંબંધને યોગ્ય સ્વભાવપણાની કલ્પના વિરાકૃત થાય છે. એ પ્રકારે ન્યાયની અનુપપતિ =કહેવાયેલ લક્ષણવાળા વ્યાયની અનુપપતિ છે. અને પ્રયોગ – “જે જેની સાથે સ્વયં અસંબંધને યોગ્ય સ્વભાવવાળો છે, તે તેની સાથે કલ્પિત સંબંધને યોગ્ય સ્વભાવથી પણ સંબંધ પામતો નથી.” જે પ્રમાણે અલોકાકાશ કર્માણ આદિ સાથે અર્થાત્ કર્માણ આદિના અલોકાકાશ સાથે કલ્પના કરાયેલ સંબંધને યોગ્ય સ્વભાવથી અલોકાકાશ કમણુ આદિ સાથે સંબંધને પામતો નથી અને તે પ્રમાણે આત્મા કમ આદિ સાથે જ અર્થાત જેમ અલોકાકાશ કમણુ આદિ સાથે સંબંધ પામતો નથી, તેમ કમણ આદિના આત્મા સાથે કલ્પના કરાયેલ સંબંધને યોગ્ય સ્વભાવથી પણ આત્મા કર્માણ આદિ સાથે સંબંધ પામતો નથી, એ પ્રકારના વ્યાપકની અનુલબ્ધિ છે. પૂર્વમાં કહ્યું કે આત્માને અકર્તા સ્વીકારીએ અને આત્મામાં કર્માણ આદિ સાથે સંબંધયોગ્ય સ્વભાવ ન સ્વીકારીએ તો, કર્માણ આદિની આત્મા સાથે સંબંધયોગ્ય સ્વભાવની કલ્પનામાં પણ આત્મા કર્માણ આદિ સાથે સંબંધ પામતો નથી, આ પ્રકારના વ્યાપકની અનુપલબ્ધિરૂપ દોષ હોવાથી સંસારમાં દેખાતો એવો આત્માનો જન્માદિપ્રપંચ સંગત થાય નહીં, તે દોષના નિવારણ માટે મૌલિક સાંખ્યો કહે છે – આ રીતે તો પૂર્વમાં બતાવ્યું એ રીતે તો, તેના સ્વભાવવાળો પણ આ અંગીકરાશેઃકર્માણ આદિ સાથે સંબંધને યોગ્ય સ્વભાવવાળો પણ આત્મા સ્વીકારાશે. એથી કહે છે – અને તસ્વભાવતાના અંગીકરણમાં કર્માણ આદિ સાથે સંબંધને યોગ્યરૂપતસ્વભાવપણાના અભ્યપગમમાં, આને આત્માને, અસ્પદભ્યાગતની આપત્તિ છે–અમારા વડે સ્વીકારાયેલ કર્તુત્વની આપત્તિ છે=પ્રસંગ છે.
SR No.022463
Book TitleLalit Vistara Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy