SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ vv प्रमाणनयतत्वलोकालङ्कारः પરિણામ છે. તે નહિં સ્વીકારવામાં પણ મૂખ્ય કારણ હોય તો આગ્રહ અપેક્ષા ભેદ કે અજ્ઞાન. એક પદાર્થની બે બાબતો બે પુરૂષ બરાબર જાણે છે છતાં તે વિષે બનને આગ્રહી બની જાય છે તે નયમાર્ગથી ભ્રષ્ટ બને છે અને તેમનું જ્ઞાન કલેશમય બને છે અને આવા આગ્રહના વશથી અજ્ઞાનથી કે અપેક્ષા ભેદથી જુદા જુદા ધર્મના ફાંટાઓ બનવા સંભવ છે. એટલે જાણેલા પદાર્થના એક ધર્મનું જ્ઞાન તે નય. એટલે અભિપ્રાયભેદેને પૃથક્કકરણ કરનારૂં શાસ્ત્ર ને નયશાસ્ત્ર છે. તત્વ-તત્વ એટલે અસાધારણ સ્વરૂપ. તત્વને અર્થ પદાર્થ લઈએ તે પ્રમાણ નય ને પદાર્થ એ ત્રણને માટે આ શાસ્ત્ર શરૂ કરીએ છીએ એમ બરાબર ઘટી શકે. પરંતુ પ્રમાણ કે નય પદાર્થરૂપ પ્રમેય ઉપરજ જવામાં આવે છે કારણકે તેના વિના તે ઘટી શકે નહિ માટે તત્વને અર્થ પદાર્થ એવો ન લઈ શકાય. શાસ્ત્રના પ્રકાર–શાસ્ત્રના બે પ્રકાર છે એક અર્થ સબંધી અને બીજું શબ્દ સબંધી. અર્થબોધ ઉચ્ચારણ કરાતે નથી તેનું ભાન તે હૃદયગતજ હોય છે. અર્થાત તેનું બીજું નામ અત:શાસ્ત્ર. શબ્દ તેબહિશાસ્ત્ર. અને જે અન્તરશાસ્ત્ર નું કારણ છે. કારણ કે પ્રથમ શબ્દ બોલાય છે અને ત્યારબાદ અર્થબોધ થાય છે. આ બહિઃશાસ્ત્રજ અહિં પ્રારંભાય છે અને શબ્દરૂપ બહિ:શાસ્ત્ર તેજ આ ગ્રંથનું મૂખ્ય પ્રયેાજન છે. પ્રજનના પ્રકાર–પ્રયેાજન બે પ્રકારનું છે. કર્તાનું ને શ્રોતાનું. ગ્રંથકારનું પ્રોજન (પ્રમાનિયતત્વ ચેપન) પ્રમાણ ને નયનું વ્યસ્થાપન. શ્રોતાનું પ્રજન તે પ્રમાણને
SR No.022423
Book TitlePramannay tattvalolankar
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherMafatlal Zaverchand Gandhi
Publication Year1933
Total Pages298
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy