SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ स्याद्वादमंजरी १६९ (અનુવાદ). અહીં નિત્યશષ્યવાદી મીમાંસકમતના અનુસારે શબ્દ સર્વથા એકરૂપ છે અને અનિત્ય- શબ્દવાદી બૌદ્ધમતના અનુસારે શબ્દ સર્વથા અનેકરૂપ છે. આ બન્ને પક્ષોનું પૂર્વોક્ત યુક્તિદ્વારા ખંડન થાય છે. અથવા વાગ્યરૂપ ઘટાદિ પદાર્થનું સામાન્ય-વિશેષ ઉભયરૂપ સિદ્ધ થવાથી વાચક શબ્દમાં પણ સામાન્ય વિશેષ ઉભયરૂપ સિદ્ધ થાય છે. કેમ કેશબ્દ (વાચક) અને અર્થ (વાય)ને કંથચિત્ તાદાત્મ સંબંધ માનવામાં આવ્યો છે. ભદ્રબાહુસ્વામી કહે છે: “વાચક (શબ્દ) વાચ્ય (અર્થ)થી ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે. જેમ છુરી, અગ્નિ અને મેદિકના ઉચ્ચારણથી વક્તાનું મુખ તથા શ્રેતાના કાન છેદાતા નથી. કે બળતા નથી, ભેદક શબ્દથી મુખ ભરાઈ જતું નથી! વાચક (શબ્દ) વાગ્યથી કથંચિત ભિન્ન છે, અને માદક શબ્દથી માદકનું જ જ્ઞાન થાય છે. અગ્નિનું નહીં, માટે વાચક વાગ્યથી કંથચિત અભિન્ન છે. આ કથન દ્વારા “વિકલ્પથી શબ્દ ઉત્પન્ન થાય છે, અને શબ્દથી વિકલ્પ ઉત્પન્ન થાય છે, આ રીતે તે બન્નેને કાર્યકારણુભાવરૂપ સંબંધ છે. પરંતુ શબ્દ અર્થને સ્પર્શ કરતા નથી. અર્થાત શબ્દથી અર્થ (પદાર્થ) સર્વથા ભિન્ન છે.” આવું અન્ય દર્શનકારનું કથન ખંડિત થાય છે. વળી અર્થ, શબ્દ અને જ્ઞાન એ પર્યાયવાચી શબ્દ છે. (દા.ત.) બાહ્ય જે પૃથુબુદનોદરાદિ આકારવાળા પદાર્થમાં ઘટને વ્યવહાર થાય છે. અને તે ઘટ અથનો વાચક શબ્દ પણ ઘટ છે. તેવી રીતે તેના જ્ઞાનરૂપ પ્રત્યય પણ ઘટ છે. આથી શબ્દ અર્થ અને જ્ઞાનનું કથંચિત્ અભિન્નપણું છે. જ્યારે વાચક(શબ્દ)વાય(અર્થ)નું પ્રતિપાદન કરે છે. ત્યારે શબ્દ અર્થના પરિણામમાં પરિણત થઈને જ પ્રતિપાદન કરી શકે છે. જે શબ્દ અર્થના સ્વરૂપમાં પરિણત ન થતું હોય તે ઘટ શબ્દના ઉચ્ચારણથી પટાદિ અર્થની પણ પ્રતીતિ થવી જોઈએ ! પરંતુ ઘટ શબ્દથી ઘટનું જ જ્ઞાન થાય છે. પટનું નહીં. તેથી સિદ્ધ થાય છે કે શબ્દ અને અર્થ કથંચિત ભિન્નભિન્ન સ્વરૂપ છે. (टीका) अथवा भङ्ग्यन्तरेण सकलं काव्यमिदं व्याख्यायते । वाच्यं वस्तु घटादिकम् । एकात्मकमेव एकस्वरूपमपि सत्, अनेकम् अनेकस्वरूपम् । अयमर्थः प्रमाता तावत् प्रमेयस्वरूपं लक्षणेन निश्चिनोति । तच्च सजातीयविजातीयव्यवच्छेदादात्मलाभ लभते । यथा घटस्य सजातीया मृन्मयपदार्थाः, विजातीयाश्च पटा તેનાં વછેરdછલીના પૃથુ,દનાથા લુણીવ ગઢાળsseरणादिक्रियासमर्थः पदार्थविशेषो घट इत्युच्यते । तेषां च सजातीविजातीयानां स्वरूपं तत्र बुद्धया आरोग्य व्यवच्छिद्यते । अन्यथा प्रतिनियततत्स्वरूपपरिच्छेदानुपपत्तेः । सर्वभावानां हि भावाभावात्मकं स्वरूपम् । एकान्तभावात्मकत्वे वस्तुनो वैश्वरूप्यं स्यात् । एकान्ताभावात्मकत्वे च निःस्वभावता स्यात् । तस्मात् स्वरूपेण सत्वात् पररूपेण चासत्त्वाद् भावाभावात्मकं वस्तु । यदाह "सर्वमस्ति स्वरूपेण पररूपेण नास्ति च । ગયા સર્વેસર્વ થાત્ પદાથસંમવાર ' યા. ૨૨
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy