SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૧/૧/૧૭ ૫૯ पुरुषत्वं हि यदि रागाद्यदूषितं तदा विरुद्धम्, ज्ञानवैराग्यादिगुणयुक्तपुरुषत्वस्य सर्वज्ञतामन्तरेणानुपपत्तेः । रागादिदूषिते तु पुरुषत्वे सिद्धसाध्यता । पुरुषत्वसामान्यं तु सन्दिग्धविपक्षव्यावृत्तिकमित्यबाधकम् । ६६२. नाप्यागमस्तद्वाधकः तस्यापौरुषेयस्यासम्भवात्, सम्भवे वा तद्वाधकस्य तस्यादर्शनात् । સામાન્ય વક્નત્વ સર્વશ / અસર્વજ્ઞ બનેમાં જોવા મળે છે. કારણ કે જેમ જેમ જ્ઞાનની વૃધ્ધિ થાય છે, તેમ તેમ વક્નત્વ હાનિ જોવા મળતી નથી. ઉર્દુ જ્ઞાનાતિશયવાળામાં વકતૃત્વનો ઉત્કર્ષ જોવા મળે છે. માટે સર્વજ્ઞમાં વક્નત્વનો નિષેધ કરવો શક્ય નથી. આ કથનથી પુરૂષત્વ હેતુપણ ખંડિત થઈ જાય છે. અહીં પણ ત્રણ વિકલ્પ કરી શકાય છે. રાગાદિથી અદૂષિત પુરૂષત્વને હેતુ માનશો તો વિરૂદ્ધ દોષ આવશે. કારણ કે જ્ઞાન વૈરાગ્યાદિથી યુક્ત (રાગાદિ વગરનું) પુરૂષત્વ સર્વજ્ઞત્વ વિના સંભવી શકે નહિ. આપણા જેવા અલ્પજ્ઞમાં તો અજ્ઞાનતાના કારણે સર્વથા રાગાદિનો અભાવ સંભવી શકતો નથી. કા. કે. તે તે પદાર્થના સાચા સ્વરૂપની સંપૂર્ણ માહિતી ન હોવાથી કંઈક અંશે તો પરિસ્થિતિના આધારે રાગદ્વેષ થઈ જ જાય છે. એટલે સાધ્યાભાવથી=સર્વજ્ઞથી હેતુ વ્યાપ્ત બનવાથી તેનો હેતુ વિરૂદ્ધ દોષથી દુષ્ટ બને છે. હવે રાગાદિ દોષથી દૂષિત એવું પુરૂષત્વ હેતુ તરીકે અભિપ્રેત હોય તો સિદ્ધસાધ્યતા દોષ આવશે. કારણ રાગાદિથી દૂષિત પુરૂષને તો અમો પણ સર્વજ્ઞ માનતાં જ નથી. હવે પુરૂષત્વ સામાન્યને હેતુ માનશો તો તેની વિપક્ષમાં– સર્વશમાં વ્યાવૃત્તિ= પુરુષત્વનો અભાવ સંદિગ્ધ હોવાના કારણે સર્વજ્ઞત્વાભાવનો વ્યભિચારી હોવાથી તે સર્વજ્ઞત્વનો બાધક બની શકતો નથી. જેમ દ્રવ્યત્વ હેતુ અગ્નિનો વ્યભિચારી ખરો પણ બાધક નથી. પર્વતો વહિમાનું ધૂમાત,” અહિં કોઈ દ્રવ્યત્વ હેતુ મૂકીને અગ્નિનો અભાવ સિદ્ધ કરવા જાય ત્યારે વદ્ધિના અધિકરણમાં રહેલ હોવાથી વહુન્યભાવનો દ્રવ્યત્વ હેતુ વ્યભિચારી બનવાથી કાંઈ અગ્નિની સિદ્ધિનો બાધક બનતો નથી. કા. કે. દ્રવ્યત્વ હોય ત્યાં કાંઈ પ્રમાણ દ્વારા અગ્નિનો બાધ થાય એવું નથી. કેમકે અગ્નિ સાથે દ્રવ્યત્વ રહેલું છે. એમ તમારી પાસે એવું કોઈ પ્રમાણ નથી કે જેનાથી “સર્વજ્ઞત્વ હોય ત્યાં પુરૂષત્વાભાવ હોય” એવું સિદ્ધ કરી શકાય. (વસ્તુના વાસ્તવિક સ્વરૂપને પૂર્ણ રૂપે ન જાણીએ ત્યાં સુધી તેમાં રાગદ્વેષ સંભવે છે, જ્યારે આપણને જણાઈ આવે આ વસ્તુ મને કશી ઉપયોગી નથી, તેમજ કશું નુકસાન કરનારી નથી આવું જણાઈ આવે તો તે વસ્તુમાં રાગદ્વેષ થતા નથી. હવે જે તમામ પદાર્થનો આવો સ્વભાવ જણાઈ જાય તો કોઈના ઉપર રાગાદિ થાય જ નહીં, એ યુક્તિ યુક્ત છે માટે “સર્વજ્ઞત્વ” રાગાદિથી અદૂષિત પુરુષત્વ માટે ઉપયોગી છે જ.) ૬૨. આગમ પણ સર્વશનું બાધક નથી. પહેલી વાત તો એ છે કે આગમ અપૌરૂષય હોઈ શકે નહિં. કારણ કે વર્ણ તે તાલ્લાદિના પ્રયત્ન જન્ય જ જોવા મળે છે, એટલે સુઘટિત વર્ણાત્મક શાસ્ત્ર પુરુષના પ્રયત્ન
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy