SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ /૧/૧/૧૩+૧૪ પ્રમાણમીમાંસા __विशदसम्यगर्थनिर्णयात्मकमिति साध्यो धर्मः । प्रत्यक्षत्वादिति हेतुः । यद्विशदसम्यगर्थनिर्णयात्मकं न भवति न तत् प्रत्यक्षम्, यथा परोक्षमिति व्यतिरेकी । धम्मिणो हेतुत्वेऽनन्वयदोष इति चेत्, न, विशेषे धर्मिणि धर्मिसामान्यस्य हेतुत्वात् । तस्य च विशेषनिष्ठत्वेन विशेषेष्यन्वयसम्भवात् । सपक्षे वृत्तिमन्तरेणापि च विपक्षव्यावृत्तिबलाद्मकत्वमित्युक्तमेव ॥१३॥ ४५. अथ किमिदं वैशा नाम ? यदि स्वविषयग्रहणम्, तत् परोक्षेप्यासूणम् । अथ स्फुटत्वम्, तदपि स्वसंविदित्वात् सर्वविज्ञानानां सममित्याशङ्ख्याह- . प्रमाणान्तरानपेक्षेदन्तया प्रतिभासो वा वैशद्यम् ॥१४॥ ६४६. प्रस्तुतात् प्रमाणाद् यदन्यत् प्रमाणं शब्दलिङ्गादिज्ञानं तत् प्रमाणान्तरतनिरपेक्षता वैशद्यम्' । नहि शाब्दानुमानादिवत् प्रत्यक्षं स्वोत्पत्तौ शब्दलिङ्गादिज्ञानं प्रमाणान्तरमपेक्षते इत्येकं वैशद्यलक्षणम्। “વિશદ સમ્યગુ અર્થ નિર્ણય” સ્વરૂપ સાધ્ય છે. પ્રત્યક્ષત્વા એ હેતુ છે. જે જ્ઞાન વિશદ અને સમ્યગુ અર્થ નિર્ણય સ્વરૂપ નથી તે પ્રત્યક્ષ પણ નથી. જેમ પરોક્ષ પ્રમાણ, એ પ્રમાણે અહીં કેવલવ્યતિરેકી હેતુ છે. દરેક પ્રત્યક્ષ પ્રમાણો પક્ષમાં સમાવિષ્ટ થઈ જતા હોવાથી અન્વય દષ્ટાન્ન મળી શકતું નથી. શંકાકાર - પક્ષને હેતુરૂપ બનાવાથી અનન્વય દોષ આવશે. જેમ ઘટ છે, ઘટ હોવાથી “પદો પર:” આવું બોલવું તે સંગત નથી એટલે એક પદ અન્ય પદથી સાકાંક્ષ ન હોવાથી અન્વય- સંબંધ ન થઈ શકે. • સમાધાન - દોષ નથી. કારણ કે પ્રત્યક્ષ વિશેષ એ પક્ષ છે. અને પ્રત્યક્ષ સામાન્ય હેતુ છે. બધા વિશેષમાં સામાન્યની વ્યાપ્તિ હોય છે. જેમ ઘટ પ્રત્યક્ષ પટ પ્રત્યક્ષ ઇત્યાદિ જે જે વિશેષ પ્રત્યક્ષ છે, તે બધામાં પ્રત્યક્ષત તો રહેલું જ છે. ઘટ પ્રત્યક્ષ પણ એક જાતનું પ્રત્યક્ષ છે, “પૈસાદાર માણસ પણ છે તો માણસ, કંઈ દેવ નથી, એમ વિશેષ માણસમાં માણસ સામાન્યનો અન્વય થઈ શકે છે, પરંતુ હા “માણસ માણસ છે” આવો સંબંધ ન બેસે. એટલે અમારે તો અનન્વય—અસંબંધ દોષ આવતો નથી. જો કે અહીં સપક્ષસત્ત્વ નથી. તો પણ હેતુ વિપક્ષવ્યાવૃત્તિના બલથી ગમક બને છે. જેમ ગંધત્વ હેતુ પૃથ્વી સિવાય અન્યત્ર નથી જ રહેતો છતાં તેના આધારથી તે પૃથ્વીની સિદ્ધિ કરી આપે છે. આ વાત પહેલાં કહેવાઈ ગઈ છે. આ ૧૩ ૪૫ શંકાકાર - આ વિશદતા શું છે? શું પોતાના વિષયને ગ્રહણ કરવું તેનું નામ વિશદતા છે? પણ તે તો પરોક્ષ પ્રમાણમાં હોય છે. સ્કુટતા એવો અર્થ માનો તો તે પણ યુક્ત નથી. કારણ કે બધા પ્રમાણો સ્વસંવેદી હોવાથી બધામાં સ્કુટતા તો અકબંધ રહેલી જ છે. આ શંકાનું સમાધાન કરવા ગ્રંથકાર કહે છે. અન્ય પ્રમાણની અપેક્ષા ન હોવી અથવા “આ ઘડો છે” એમ “આ' રૂપે જ પ્રતીતિ થવી તેનું નામ વિશદતા II ૧૪ના ૪૬. અહીં પ્રસ્તુત પ્રત્યક્ષ પ્રમાણથી ભિન્ન શબ્દ, લિંગ વગેરેનું જ્ઞાન તે પ્રમાણાન્તર કહેવાય. તેમની ૧૩.- ૬ -- II 28, 27, 28ા ૩ર થાતો [૨૮] રતિ ને પાપ: 1 ૨ શાહનુ૦-૦ ૧ નવય: સંબંધક અભાવ, જેમકે ના નારા (સંft)
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy