SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૨/૧/૨ ૨૩૧ वादिना प्रयुक्त झटिति तद्दोषतत्त्वाप्रतिभासे हेतुप्रतिबिम्बनप्रायाणि प्रत्यवस्थानान्यनन्तत्वात्परिसंख्यातुं न शक्यन्ते, तथाप्यक्षपाददर्शितदिशा साधादिप्रत्यवस्थानभेदेन साधर्म्यवैधोत्कर्षापकर्षवावर्ण्यविकल्पसाध्यप्राप्त्यप्राप्तिप्रसङ्गप्रतिदृष्टान्तानुत्पत्तिसंशयप्रकरणाहेत्वर्थापत्यविशेषोपपत्त्युपलब्ध्यनुपलब्धिनित्यानित्यकार्यसमरूपतया चतुर्विंशतिरुपदर्श्यन्ते । ६४. तत्र साधर्म्यण प्रत्यवस्थानं साधर्म्यसमा जातिः । यथा अनित्यः शब्दः कृतकत्वात् घटवदिति प्रयोगे कृते साधर्म्यप्रयोगेणैव प्रत्यवस्थानम्-नित्यःशब्दो निरवयवत्वादाकाशवत् । न चास्ति विशेष हेतुर्घटसाधात् कृतत्वादनित्यः शब्दो न पुनराकाशसाधान्निरवयवत्वान्नित्य इति (१)। શબ્દ છે. જ્યારે વાદીએ સમીચીન હેતુ કે હેત્વાભાસનો પ્રયોગ કર્યો હોય ત્યારે જલ્દીથી તરતમાં તે હેતુમાં વાસ્તવમાં શુ દોષ છે? તે ન જણાયો-સૂજ્યો; તેથી હેતુ સરખા દેખાતા હોય તેમનો જેમ તેમ પ્રયોગ કરી, હેતનું ખંડન કરે. આવાં નિરસન સ્થાનનાં પ્રકાર અનંત હોવાથી ગણવા શક્ય નથી. એટલે કે તેમની કોઈ નિયત સંખ્યા નથી. છતાં પણ કાણાદ (નૈયાયિક-વૈશેષિકે) દર્શાવેલ દિશા અનુસાર સાધર્ય-સમા આદિ પ્રત્યવસ્થાન–નિરસન સ્થાનનાં ભેદથી તેમનાં ૨૪ પ્રકાર છે. ૧. સાધચ્ચે સમા. ૭. વિકલ્પ સમા. ૧૩. અનુત્પત્તિ સમા. ૧૯. ઉપપત્તિ સમા. ૨. વૈધર્મ સમા. ૮. સાધ્ય સમા. ૧૪. સંશય સમા. ૨૦. ઉપલબ્ધિ સમા. ૩. ઉત્કર્ષ સમા. ૯. પ્રાપ્તિ સમા. ૧૫. પ્રકરણ સમા. ૨૧. અનુપલબ્ધિ સમા. ૪. અપકર્ષ સમા. ૧૦. અપ્રાપ્તિ સમા. ૧૬. અહેતુ સમા. ૨૨. નિત્ય સમા ૫. વર્ય સમા. ૧૧. પ્રસંગ સમા ૧૭. અર્થાપતિ સમા. ૨૩. અનિત્ય સમા ૬. અવર્ય સમા. ૧૨. પ્રતિદષ્ટાન્તસમા ૧૮. અવિશેષ સમા. ૨૪. કાર્ય સમા ૬૪. સાધર્મસમા(૧) – સાધર્મ બતાવી વાદીના સાધનનો નિરાસ કરવો તે. જેમ “શબ્દ, અનિત્ય છે, કૃતક હોવાથી” ઘટની જેમ, વાદીએ આવો પ્રયોગ કર્યો છતે સાધર્મ પ્રયોગથી જ તેનો નિરાસ કરવો. “શબ્દ નિત્ય છે નિરવયવ હોવાથી,” આકાશની જેમ, અહીં એવો કોઈ વિશેષ પ્રયોજક હેતુ જોવા નથી મળતો કે જેથી ઘટની સમાન કૃતક હોવાથી શબ્દ અનિત્ય હોય, તો આકાશની સમાન નિરવયવ હોવાથી નિત્ય ન હોય? આમ સમ્રતિપક્ષ ઉભો થવાથી મૂળ અનુમાન બાધિત થાય છે. અહીં કૃતક હેતુનું ખંડન કરવાનું સાચું શાસ્ત્ર-શસ્ત્ર મીમાંસકના હાથમાં આવ્યું નહિ એટલે આવો પ્રયોગ કર્યો, તાત્વોષ્ઠાદિના પ્રયત્નજન્ય હોવાથી શબ્દ કૃતક તરીકે પ્રસિદ્ધ જ છે. [અહીં જૈને ઉત્તર આપે છે કે શબ્દમાં તમે નિરવયવત્વ હેતુ મૂકો છો તે છે જ નહીં, કારણ કે ભાષાવર્ગણા જ શબ્દ રૂપે છે અને તે તો અનંતાનંતપ્રદેશની બનેલી હોય છે, માટે પક્ષાસિદ્ધ દોષ આવે, અને દાંત સાધ્યવિકલ છે, કારણ કે આકાશ પણ અનંતપ્રદેશી છે, તેથી નિરવયવત્વદષ્ટાંતમાં નથી. વળી જ્ઞાન નિરવયવ છે, છતાં અનિત્ય તો છે જ, માટે તમારો હેતુ નિત્ય-સાધ્યથી ભિન્ન સાધ્યાભાવ-અનિત્યમાં રહી १-०कार्यसत्य ता०।२ जैनः उत्तरं बूते निरवयवत्वं पक्षासिद्धं साधनविकलश्च दृष्टान्तः, ज्ञानेनानैकान्तिकोऽपि ।
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy