SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૧/૧/૨૯ ६ १११. जैमिनीयास्तु धर्म प्रति अनिमित्तत्वव्याजेन "सत्सम्प्रयोगे पुरुषस्येन्द्रियाणां बुद्धिजन्म तत् प्रत्यक्षमनिमित्तं विद्यमानोपलम्भनत्वात्" [जैमि० १.१४ ] इत्यनुवादभङ्या प्रत्यक्षलक्षणमाचक्षते, થતદુ:- “ સત્યનુવાતિત્વ નક્ષસ્થાપિ તવેત ” [સ્નોવા કૂ૦ ૪.૩૧] इति । व्याचक्षते च-इन्द्रियाणां सम्प्रयोगे सति पुरूषस्य जायमाना बुद्धिः प्रत्यक्षमिति । ६११२. अत्र संशयविपर्ययबुद्धिजन्मनोऽपीन्द्रियसंप्रयोगे सति प्रत्यक्षत्वप्रसङ्गादतिव्याप्तिः । अथ 'सत्सम्प्रयोग' इति सता सम्प्रयोग इति व्याख्यायते तर्हि निरालम्बनविभ्रमा एवार्थनिरपेक्षजन्मानो निरस्ता भवेयुर्न सालम्बनौ संशयविपर्ययौ । अथ सति सम्प्रयोग इति सत्सप्तमी पक्ष एव न त्यज्यते संशयविपर्ययनिरासाय च 'सम्प्रयोग' इत्यत्र 'सम्' इत्युपसर्गो वर्ण्यते, यदाह જૈના - બૌદ્ધનું પ્રમાણનું આ લક્ષણ યુક્ત નથી, કારણ કે આ વ્યવહારમાં અનુપયોગી છે. એતસ્માદ્ આનાથી (પ્રમાણથી) અર્થનો નિશ્ચય કરી અર્થક્રિયાનો અર્થ સમર્થઅર્થમાં પ્રવૃત્તિ કરતા વિફળ ના બનો, એ કારણથી પ્રમાણના લક્ષણની પરીક્ષા કરવા પરીક્ષકો પ્રવૃત્તિ કરે છે- વ્યવહારમાં અનુપયોગી એવાં તેની= કલ્પનાપોઢ પ્રત્યક્ષની પ્રમાણની) પરીક્ષાનો પરિશ્રમ “કાગડાના દાંત છે કે નહિં, હોય તો કેટલાં છે?” એવી પરીક્ષા કરવાનાં પરિશ્રમની જેમ નિષ્ફળ નીવડે છે. કા.કે. તેવું જ્ઞાન પ્રમાણભૂત હોય તો પણ આપણા વ્યવહાર માટે તો ઉપયોગી ન બનતું હોવાથી પરીક્ષા કરવા છતાં કોઈ સંવાદિ પ્રવૃત્તિ સ્વરૂપ ફળ મળતું નથી. બૌદ્ધ – નિર્વિકલ્પ પછી સવિકલ્પક જ્ઞાન વ્યવહારમાં ઉપયોગી બને છે, માટે અમે નિર્વિકલ્પક જ્ઞાનને પ્રમાણરૂપ કહીએ છીએ. જૈના – સવિકલ્પકથી વ્યવહાર સાધ્ય હોય તો તેને જ પ્રમાણ માનવું ઉચિત છે. તો નપુંસક એવાં નિર્વિકલ્પક જ્ઞાનને પ્રમાણ માનવાનો શો મતલબ? અહીં બૌદ્ધ ચૂપ થઈ જાય છે. ૧૧૧. જૈમિનીયન્ટ (મીમાંસક) “પ્રત્યક્ષ ધર્મને જણાવવા નિમિત્ત નથી” એવું કહેવાના બહાને મીમાંસક પ્રત્યક્ષનું લક્ષણ આવું કરે છે. “સત્પદાર્થ સાથે ઈદ્રિયોનો સબંધ થતાં આત્માને બુદ્ધિ-જ્ઞાન પેદા થાય છે તે પ્રત્યક્ષ, તે ધર્મનો નિશ્ચય કરવા નિમિત્ત નથી બનતું, કારણ કે તેનાથી વિદ્યમાન પદાર્થ જ જાણી શકાય છે. (જૈમિનિ ૧.૧.૪) આ વિધાયક સૂત્ર દ્વારા સાક્ષાત્ પ્રત્યક્ષનું લક્ષણ નથી દર્શાવ્યું, પરંતુ અનુવાદ ભંગીતથી)રૂપે જણાવ્યું છે. મીમાંસક કુમારિલભટ્ટ શ્લોક વાર્તિક (૪.૩૯) માં કહે છે કે પ્રત્યક્ષને ધર્મમાં અનિમિત્ત બનાવવાની સાથોસાથ પ્રત્યક્ષના લક્ષણનો પણ અનુવાદ (ગૌણ રૂપે કથન) થઇ જાય છે. તેઓ લક્ષણની આવી વ્યાખ્યા કરે છે - ઈદ્રિયોનો (અર્થ સાથે) સંબંધ થતાં પુરૂષને ઉત્પન્ન થનારી બુદ્ધિ પ્રત્યક્ષ કહેવાય છે. ૧૧૨. શંકા - સંશય અને વિપરીત જ્ઞાન પણ ઈદ્રિય સાથે પદાર્થનો સંબંધ થતાં જ થાય છે. માટે १०वादत्वं-मु० । २ ०संयोगे-डे० । ૧ પ્રત્યક્ષનું પ્રકરણ ચાલતું હોય અને પ્રત્યક્ષ એટલે શું? ત્યારે મુખ્યરૂપે પ્રત્યક્ષની જાણ કરાવવા ઓળખ આપવા જે સૂત્ર દ્વારા લક્ષણ કરાય તે સૂત્ર પ્રત્યક્ષનું વિધાયક સૂત્ર કહેવાય. જ્યારે અહીં એવું નથી, પરંતુ એમને મુખ્યરૂપે વાત એમ કરવી છે કે પ્રત્યક્ષ એ ધર્મને જણાવવા નિમિત્ત નથી. ત્યારે “ગૌણ રૂપે તેનું સ્વરૂપ આવું હોવાથી” એમ અનિમિત્તનો હેતુ બતાવ્યો. તેનાથી પ્રત્યક્ષ દ્વારા ધર્મનું જ્ઞાન થઇ શકે નહીં. આમ અન્ય વાતનું કથન મુખ્યરૂપે હોય તેની- તે મુખ્ય વાતની પુષ્ટિ માટે જે વાતની રજૂઆત થાય, તે ગૌણ વિષયના કથનને અનુવાદ કહેવાય છે. અનુવાદિત સ્થાન-પશ્ચાથને સાથોનમ (ગૌતમવૃત્તિ) જાતસ્ય કથન અનુવાદઃ (જૈમિનીય ન્યાયમાલા)
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy