________________
|| અથ નિર્ના ધારઃ સદા સમયસાર વ્યાખ્યા “આત્મખ્યાતિ'માં
નિર્જરા પ્રરૂપક
ષષ્ઠ અંક આમ સંવરની વિદાય પછી આ “સમયસાર' અધ્યાત્મ-નાટકમાં “નિર્જરા” નામક પાત્ર પ્રવેશ કરે છે અને આ નિરા પાત્રને અત્રે આ નાટકની રંગભૂમિ પર ઉતારતાં, મહાઅધ્યાત્મ નાટ્યકાર મહાકવિ અમૃતચંદ્રજી નિર્જરાનું સંપૂર્ણ તત્ત્વ વ્યક્ત કરતું અને જ્ઞાન જ્યોતિનો અપૂર્વ અનન્ય મહિમા દાખવતું આ પરમામૃત સંભૂત મંગલ સમયસાર કલશ કાવ્ય (૧) લલકારી, આ છઠ્ઠા નિર્જરા અંકનું મંગલ ઉદ્ઘાટન કરે છે - | ગઇ પ્રવિતિ નિર્જરા - હવે નિર્જરા પ્રવેશે છે -
शार्दूलविक्रीडित - रागाद्यासवरोधतो निजधुरां धृत्वा परः संवरः, कर्मागामि समस्तमेव भरतो दूरानिलंधन स्थितः । प्रारबद्धं तु तदेव दग्धुमधुना व्याजृम्भते निर्जरा, ज्ञानज्योतिरपावृतं न हि यतो रागादिभि मूर्छति ॥१३३॥ રોધી આસ્રવ રાગ આદિ સ્વધુરા ધારી ઉભો સંવરો, ભાવી કર્મ સમસ્ત એવ દૂરથી નિરુંધતો આ પરો; હાવાં પૂર્વ નિબદ્ધ તે જ દહવા વ્યાજૂભતી નિર્જરા, રાગાદિકથી જ્ઞાન જ્યોતિ ઉઘડી પાસે ન મૂર્છા જરા. ૧૩૩
અમૃત પદ-(૧૩૩) જ્ઞાન જ્યોતિ અપાવૃત તે તો, રાગાદિથી મૂચ્છ ન પામે, જ્ઞાન જ્યોતિ અપાવૃત તે તો, અમૃત અનુભવ જામે.... જ્ઞાન જ્યોતિ. ૧ રાગાદિ આસ્રવ રોધથી પર સંવર, નિજ ધુરા ધારતો, કર્મ આગામી સમસ્ત ભારથી, દૂરથી સ્થિતો રુંધતો.. જ્ઞાન જ્યોતિ. ૨ પૂર્વ બદ્ધ તો તે હવે દહવા, અત્યંત નિર્જરા વિકાસે, ભગવાન અમૃતચંદ્રની વાણી, અનુભવ અમૃત પ્રકાશે... જ્ઞાન જ્યોતિ. ૩
આકૃતિ
રાગાદિ પર
આસ્રવ રોધ રાગાદિથી
જ્ઞાનન મૂચ્છ
જ્યોતિ નિર્જરા પ્રાગુ બદ્ધ કર્મ
અપાવૃત, સંવર -]કર્માગામી રોધ
અર્થ - રાગ આદિ આગ્નવોના રોધ થકી નિજ ધુરા ધારીને પર એવો સંવર આગામી સમસ્ત જ
૧૮૯