SearchBrowseAboutContactDonate
Page Preview
Page 720
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૯૩ આગલી ગાથાના વિવેચનમાં વિસ્તારથી વિવરી દેખાડ્યું તેમ, - જેમ શીત-ઉષ્ણ એ પુદ્ગલ પરિણામ અવસ્થા છે અને તે શીત-ઉષ્ણ અનુભવના સંપાદનમાં સમર્થ છે, ગીતોષ્ણાતના રાણી પદિ શીત-ઉણ અનુભવ ઉપજવવાની શક્તિ ધરાવે છે; તેમ રાગ-દ્વેષ-સુખ દુઃખ પુગલ પરિણામ અવસ્થાનું આદિરૂપ પુદ્ગલપરિણામ અવસ્થા છે, તે પણ તથાવિધ અનુભવના અને તથાવિધ અનુભવનું સંપાદનમાં સમર્થ છે, “તથવિધાનમવસંપાનસમય:', તેવા પ્રકારનો ભિન્નપણે રાગદ્વેષ-સુખ દુઃખાદિ અનુભવ ઉપજાવવાની શક્તિ ધરાવે છે. આ શીત ઉષ્ણ પુદગલપરિણામ અવસ્થા જેમ પગલથી અભિન્ન છે - ભિન્ન - જુદી નથી, પણ આત્માથી તો નિત્યમેવ - સદાય ભિન્ન છે - જૂદી છે; તેમ આ રાગદ્વેષ-સુખ દુઃખાદિરૂપ પુદ્ગલપરિણામ અવસ્થા પણ પુદ્ગલથી અભિન્ન છે - ભિન્ન - જૂદી નથી, પણ આત્માથી તો નિત્યમેવ - સદાય અત્યંત ભિન્ન છે - જૂદી છે. અને આથી ઉલટું, આ રાગદ્વેષાદિ પુદ્ગલપરિણામ અવસ્થાના નિમિત્તે ઉપજતો જે તથાવિધ રાગદ્વેષાદિ અનુભવ છે, તે આત્માથી અભિન્ન છે - ભિન્ન - જૂદો નથી, પણ પુદગલથી તો નિત્યમેવ - સદાય અત્યંત ભિન્ન છે - જૂદો છે. આમ પુદ્ગલપરિણામ અવસ્થારૂપ રાગદ્વેષ-સુખદુઃખાદિ આત્માથી સર્વદા સર્વથા ભિન્ન છે - જૂદા છે અને તેના નિમિત્તે ઉપજતો તથા પ્રકારનો આત્મપરિણામરૂપ રાગદ્વેષ-સુખ દુઃખાદિ અનુભવ આત્માથી સર્વદા સર્વથા અભિન્ન છે - ભિન્ન - જૂદો નથી, એટલે પુદ્ગલપરિણામરૂપ રાગદ્વેષાદિનો ને તથાવિધ આત્મપરિણામરૂપ રાગ દ્વેષાદિ અનુભવનો પ્રગટ ભેદ છે. જ્ઞાન બલે - જ્ઞાનને લીધે જ્ઞાનાત્' - જેને આ ભેદજ્ઞાન હોય છે, એ બન્નેને “પરસ્પર વિશેષનું નિર્ણાન' હોય છે, એક બીજા સાથેના ભેદનું-તફાવતનું નિશ્ચયરૂપ જ્ઞાન હોય શાનને લીધે ભેદશાન છે, તેને તેના નાનાત્વનો વિવેક' હોય છે, “નાનાવિવેછાત', ભિન્નપણાનો સતે નાના– વિવેકથી - જુદાપણાનો વિવેક ઉપજે છે, કે પરભાવપ્રત્યયે ઉપજતા આ શાની રાગાદિ કર્મનો અકર્તા રાગદ્વેષ-સુખદુઃખાદિ તે હું નથી, હું તો શુદ્ધ અનુભવ સ્વરૂપ જ્ઞાયક આત્મા છું; આ રાગાદિ તે મ્હારૂં સ્વરૂપ નથી, વીતરાગ સ્વસંવેદનશાન એજ મ્હારૂં સ્વરૂપ છે, એમ વિવેક ઉપજે છે, એટલે પછી પુદગલપરિણામ અવસ્થારૂપ શીતોષ્ણરૂપે જેમ આત્માથી પરિણમવું અશક્ય છે, અર્થાત્ શીતોષ્ણ અનુભવ છતાં આત્મા પોતે કાંઈ શીત-ઉષ્ણ ટાઢો-ઉન્ડો થઈ જતો નથી, તેમ પુદ્ગલપરિણામઅવસ્થારૂપ રાગદ્વેષ-સુખ દુઃખાદિરૂપે આત્માથી પરિણમવું અશક્ય છે, અર્થાતુ રાગાદિ અનુભવ છતાં આત્મા પોતે કાંઈ પુગલમય રાગાદિરૂપ બની જતો નથી, પણ આત્મ અનુભવ સ્વરૂપ જ રહે છે. અને આ પરભાવ-પ્રત્યયી રાગાદિથી ઉપજતો જે અશુદ્ધ અનુભવ છે, તે પણ આત્માનું મૂળ શુદ્ધ સહજ સ્વરૂપ નથી; આત્માનું મૂળ શુદ્ધ સહજ આત્મસ્વરૂપ તો રાગાદિ પરભાવસ્પર્શથી રહિત - વીતરાગ શુદ્ધ ઉપયોગ છે. આમ રાગદ્વેષાદિ પુદ્ગલપરિણામ અવસ્થાનું અને તેના નિમિત્તે ઉપજતા અશુદ્ધ અનુભવનું જે શુદ્ધ સહાત્મ સ્વરૂપ આત્માથી ભિન્નપણું ભાવે છે, એવા ભેદજ્ઞાનનો વિવેક જેના આત્મામાં પ્રગટે છે, તે અજ્ઞાનાત્માથી રાગદ્વેષ-સુખદુઃખાદિ રૂપે જરા પણ પરિણમતો નથી, અને જ્ઞાનય જ્ઞાનત્વે પ્રશ્નટીર્વન - “જ્ઞાનનું જ્ઞાનપણું પ્રકટ કરતો' તે “સ્વયં જ્ઞાનમય' છે. “વ જ્ઞાનમીમત:' | એટલે જ્યાં કેવલ જ્ઞાન સિવાય બીજા કોઈ પણ રાગાદિ પરભાવનો સ્પર્શ લેશ નથી, એવો આ ખરેખરો જ્ઞાની પુરુષ “આ હું જાણું જ છું, રંગાય છે તો પુગલ” - ષોડું નાનાપેવ રખ્યત્વે તુ પુત્રાત: રૂલ્યવિવિfથના ઈત્યાદિ વિધિથી જ્ઞાનવિરુદ્ધ - જ્ઞાનના પ્રતિપક્ષી એવા સમગ્ર જ રાગાદિ કર્મનો અકર્તા પ્રતિભાસે છે, - “સમાજે રી'T: Mો જ્ઞાનવિરુદ્ધચ છત્ત પ્રતિમતિ ” અર્થાત્ જ્ઞાની હોય તે રાગાદિ કરે જ નહિ ને રાગાદિ કરે તે જ્ઞાની હોય જ નહિ. એટલે જ્ઞાનથી જ કર્મનો અકર્તા હોય છે એ સિદ્ધ થયું. આ અંગે પરમતત્ત્વ દેખા શ્રીમદ્ રાજચંદ્રજીના ટંકોત્કીર્ણ મનનીય વચનામૃત છે કે – જે રાગ-દ્વેષાદિ પરિણામ અજ્ઞાન વિના સંભવતા નથી, તે રાગ-દ્વેષાદિ પરિણામ છતાં ૫૬૯
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy