SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૪૯ સાથે સંવલિત - સંમિશ્રિત – ઓતપ્રોત સહજ સંવેદનશક્તિપણું છે, અર્થાતુ પોતપોતાના ખાસ ખાસ આકારે પરિણમેલ સમસ્ત વસ્તુતત્ત્વ સાથે સંવલિત - તાણાવાણા જેમ વણાયેલી સહજ સ્વભાવભૂત વેદનશક્તિ જીવમાં છે, છતાં તે તે વસ્તતત્ત્વનું સંવેદનમાં અંત:પ્રવેશરૂપ સંવલન - ઓતપ્રોત સંમિશ્રણ હોતું નથી, એટલે “સ્વયમદ્વિતનોકસંવતનશૂન્ય' - સ્વયં-પોતે તો અખિલ લોકના સંવલનથી - સંમિશ્રણપણાથી - ભેળસેળપણાથી શૂન્ય રહિત એવી ઉપજી રહેલી નિર્મલ અનુભૂતિતાને લીધે - ઉપનાયમાનનિર્મનાનુભૂતિયા' - જીવનું અત્યંત - સર્વથા અસંસ્થાનપણું હોય છે - ‘યંતમસંસ્થાનવી ', તેથી પણ જીવનું કોઈ સંસ્થાન નિર્દેશી શકાતું નથી. એટલા માટે તેને “અનિર્દિષ્ટ સંસ્થાન' એવું વિશેષણ આપ્યું તે સર્વથા યથાર્થ જ છે. અને આમ આ જીવ અરસ, અરૂપ, અગંધ, અસ્પર્શ, અશબ્દ, અનિર્દિષ્ટ સંસ્થાન છે, એટલે જ તે અવ્યક્ત - મધ્યવતઃ છે, વ્યક્ત નથી. કારણકે - (૧) આ ષડૂ દ્રવ્યાત્મક ષટ્રપ્રકારે જીવ અવ્યક્ત લોક શેય-જણવાયોગ્ય છે તે વ્યક્ત છે, પ્રગટ દૃશ્યમાન છે, ઉદ્ભવ્યાત્મિ તોછડુ શેયાત્ વત્તાન્યતા - વ્યક્ત એવા આ જોય ષડૂ દ્રવ્યાત્મક લોકથી જ્ઞાયક - જાણનાર એવા આત્માનું અન્યપણું - જુદાપણું છે, માટે જીવ અદશ્યમાન - અપ્રગટ હોઈ અવ્યક્ત છે. (૨) ભાવક - ભાવન કરનારું - ભાવ ઉપજાવનારું એવું કષાયચક્ર છે તે વ્યક્તિ છે અને વ્યક્ત એવા આ ભાવક કષાયચક્રથી ભાવ્ય - ભાવન કરાવા યોગ્ય - ભાવવા યોગ્ય એવા આ જીવનું અન્યપણું - જૂદાપણું છે, માટે જીવ અવ્યક્ત છે, “ષાયકાત્ માવઠુ થતા ત્વતિ' (૩) વિત્સામાચનિમયનસમસ્તવ્યવિતવાતુ’ - જીવનું સમસ્ત વ્યક્તિત્વ - વ્યક્તિપણું - વિશેષપણું ચિતુ સામાન્યમાં નિમગ્ન છે - ડૂબેલું છે, અર્થાતુ ચૈતન્ય સામાન્યમાં જીવનું સંપૂર્ણ વ્યક્તિત્વ (Individual personality or manifestation) સમાઈ જાય છે, એટલે ચિત સામાન્યથી અતિરિક્ત - વધારે બાકી રહેતું એવું જીવનું કંઈ વ્યક્તિત્વ સ્કુરાયમાન થતું નથી, માટે જીવ અવ્યક્ત છે. (૪) જીવ જે ક્ષણિક વ્યક્તિ flash) - ક્ષણ માત્ર ચમકવારૂપ - ફૂટી નીકળવારૂપ આવિર્ભાવ પામતો હોય તો તેવા વ્યક્તિપણાને લીધે તે વ્યક્ત કરી શકાય, પણ જીવ તો સદા ખુરાયમાન “ચિતુ ચમત્કારમાત્રથી ચમકતો હોઈ તેને ક્ષણિક વ્યક્તિ માત્રના અભાવને લીધે અવ્યક્તિપણું છે, માટે ક્ષબ્રુિવ્યવિત્તમાત્રામાવત' - ક્ષણિક વ્યક્તિમાત્રના અભાવને લીધે જીવ અવ્યક્ત છે. (૫) વ્યસ્તવ્યિક્તવિમિશ્રપ્રતિમા - વ્યક્ત અવ્યક્ત અને વ્યક્તાવ્યક્તનો જીવને પ્રતિભાસ થાય છે, છતાં તેને વ્યક્તનો સ્પર્શ નથી – “વ્યસ્ત સ્પર્શતાત્', માટે જીવ અવ્યક્ત છે. (૬) “સ્વયમેવ દિ વહિરંતઃ સ્કૂટમનમૂયમાન - સ્વયમેવ વ્હારમાં અને અંતરમાં જીવનું ફુટપણે અનુભૂયમાનપણું - અનુભવાઈ રહ્યાપણું (અનુભવ ગોચરપણું) છે, છતાં ‘વતોપેક્ષન પ્રોતમત્વ' ઈદ્રિય ગોચર રૂપ વ્યક્તના (manifest, visible) ઉપેક્ષણથી તેનું પ્રદ્યોતમાનપણું - પ્રકષ્ટપણે – પ્રકાશમાનપણું છે અર્થાતુ જીવ સ્વયં જ હારમાં અને અંતરમાં પ્રગટ અનુભવાઈ રહ્યો છે, પણ ઈદ્રિયગમ્ય વ્યક્ત (physically visible or manifest) જણાતો નથી, માટે પણ જીવ અવ્યક્ત છે. આમ અનેક પ્રકારે આ જીવ સર્વથા અવ્યક્ત છે. આમ રસ, રૂ૫. ગંધ, સ્પર્શ, શબ્દ, સંસ્થાન (આકાર) અને વ્યક્તિત્વનો અભાવ છતાં, આ જીવ “સ્વ સંવેદનબલથી નિત્ય આત્મપ્રત્યક્ષપણું હોઈ અનુમેય માત્રપણાના આત્મ પ્રત્યક્ષ જીવ અભાવને લીધે અલગગ્રહણ છે.' અર્થાતુ ‘વસંવેઢનવજોન' - સ્વ સંવેદનના અલિંગ ગ્રહણ બલથી - આત્માનુભવના સામર્થ્યથી આત્માનું નિત્ય આત્મપ્રત્યક્ષપણું છે, નિત્યમતિપ્રત્યક્ષસતિ | આત્મા આત્માને સદા પ્રત્યક્ષ-પ્રગટ-સાક્ષાત આત્માનુભવ ગોચર છે, એટલે એ માત્ર લિંગનો - અનુમાનનો વિષય ન હોઈ તેને અનુમાન વડે ગ્રહણ કરવા રૂપ અનુમેય માત્રપણાનો અભાવ છે - અનુયમત્રત્વમાવત્ છે. આમ તે પ્રત્યક્ષ-પ્રગટ-સાક્ષાત્ આત્માનુભવનો વિષય છે, પરંતુ માત્ર લિંગનો-અનુમાનનો વિષય નથી, માટે જ ૩૮૯
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy