________________
પન સમય મા - ૨ * 10
પૂર્વકાળનો માન-મોભો-પંડિતાઈ-આદિ દરેકનો ત્યાગ કરી જૈનાગમોના આરાધક બન્યા, પારદર્શી, પારંગત બન્યા. જેમ જેમ નાગમોની પંક્તિઓનો તેઓ સ્પર્શ કરતા ગયા, તેમ તેમ તેમની આંખ સામે મિથ્યાદર્શનોની વાતો-તત્ત્વો ઉભરાવા લાગ્યા. બન્નેની માધ્યસ્થભાવે તુલના-પરીક્ષા કરી તેઓશ્રીમદ્
મિત્ વચનં યસ્ય તસ્ય વાર્થ પરિપ્રદ: | “યુક્તિપૂર્વકનું (ન્યાયસંગત=સત્ય) વચન જેમનું હશે તેનો હું સ્વીકાર કરીશ”
આ ન્યાયે જૈનવચન જ સંપૂર્ણ યુક્તિમતુ–ન્યાયસંગત=સત્યવચન જણાતાં ડંકાની ચોટ પર તેની સત્યતા જગત સામે જાહેર કરી.
જૈનાગમોના અભ્યાસ દ્વારા જ આ શક્ય બન્યું હોઈ, તેઓશ્રીમદ્ “સંબોધ પ્રકરણ' નામના મહાગ્રંથમાં એક સ્થળે ખૂબ જ માર્મિક શબ્દોમાં જૈન આગમનું મહિમાગાન કર્યું છે.
कहं अम्हारिसा पाणी दुसमादोसदूसिया ।
हा । ऊणाहा कहं हुंता जई न हुँतो जिणागमो ।। અર્થ-દુષમકાળની વિચિત્રતાઓથી દોષિત બનેલા અમારા જેવા અનાથ જીવોનું, જો જિનાગમ ન મળ્યા હોત તો શું થાત ?
એવા એ પ્રાજ્ઞવર મહાપુરુષે જગતમાં પ્રસિદ્ધ દરેક દર્શનોની માન્યતા- આચરણાઓનું જ્ઞાન મળે એ માટે ષડ્રદર્શનસમુચ્ચય નામના મહાન સંગ્રહગ્રંથની રચના કરી મહોપકાર કરેલો છે. આ ગ્રંથમાં એઓશ્રીમદ્ ૧- બૌદ્ધદર્શન ૨- નૈયાયિક(ન્યાય)દર્શન, ૩ – સાંખ્ય(યોગ)દર્શન ૪ - સર્વજ્ઞ પ્રરૂપિત જૈનદર્શન, ૫ - વૈશેષિકદર્શન અને ૬ - મીમાંસકદર્શનની ખૂબ જ સુંદર, સંગ્રહાત્મક શૈલીમાં પ્રામાણિક માહિતી આપેલ છે. સાથોસાથ દર્શન નામ ધરાવવા છતાં વાસ્તવિક રીતે જોતાં દર્શનની કક્ષામાં ન આવી શકે એવા લોકયત = ચાર્વાક મતની પણ જરૂરી જાણકારી આપી છે.
આ મહત્ત્વપૂર્ણ ગ્રંથ પર પૂ.આ.શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજે ખૂબ જ વિશદ વૃત્તિની રચના કરી છે. જેમાં તે તે અસદુ-દર્શનોની અસદુ માન્યતાઓનું પ્રબળ ખંડન કરવાપૂર્વક જૈનદર્શનની સદ્માન્યતાઓનું ઠોસ મંડન જૈનદર્શનના નિરૂપણ અવસરે કરેલું છે.
આ ગ્રંથ તે તે દર્શનોના મહત્ત્વના દરેક સિદ્ધાંતો આદિનું ખૂબ જ અસરકારક રીતે વર્ણ કરે છે. તે વર્ણન પણ ન્યાયની શૈલીમાં કરાયેલું છે. એની એક-એક પંક્તિને સમજવા માટે બુદ્ધિને ખાસી કસવી પડે છે અને એ માટે ભાષાજ્ઞાન ઉપરાંત તર્કના પ્રારંભિક ગ્રંથો અને સૂક્ષ્મયોપશમની જરૂર પડે છે. એવી જ્ઞાનલક્ષ્મી ખૂબ ઓછા પુણ્યાત્માઓ પાસે હોઈ, આ ગ્રંથનો અભ્યાસ કરનારની સંખ્યા પણ ઓછી જ હોય એ સમજી શકાય તેમ છે.
સેંકડો વર્ષોથી જૈનસંઘમાં આ ગ્રંથનો અભ્યાસ થતો આવ્યો છે. એ ગ્રંથનો ભાવ મધ્યમક્ષયોપશમવાળા અભ્યાસુઓને પણ જાણવા-માણવા મળે એ ઉદ્દેશથી એનો સરળશૈલીમાં ભાવાનુવાદ થવો અનિવાર્ય છે, એમ જૈનશાસનશિરતાજ તપાગચ્છાધિરાજ પૂ.આ.શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા અનેકવાર કહેતા. જોકે આ પૂર્વે હિંદી ભાષામાં અનુવાદ થયેલો, પરંતુ અનેકાનેક ગ્રંથોનો આધાર લઈને, વિશદ ટીપ્પણીઓ, પરિશિષ્ટો, સંદર્ભો, સાક્ષિઓ આદિ સુસમૃદ્ધ પ્રકાશન થવું જરૂરી હતું. આ પ્રકાશનમાં તે કાર્ય સંપન્ન થયું હોવાથી આની ઉપયોગિતા ખૂબ વધી જવા પામી છે. વધુ આનંદદાયક બાબતરૂપે આ ગ્રંથમાં પરિશિષ્ટરૂપે