SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ ઉપર જણાવ્યા પ્રમાણે આજીવક વગેરે મતમાં જણાવેલી હિંસા પણ વ્યાજબી નથી. એ વાત જણાવે છે – अन्येषामपि बुद्ध्यैवं, दृष्टेष्टाभ्यां विरुद्धता। दर्शनीया कुशास्त्राणां, इतश्च स्थितमित्यदः ॥ ४९ ॥ १६१ ॥ બીજા પણ આજીવક વગેરેના કુશાસ્ત્રોની પણ દષ્ટ અને ઇષ્ટથી વિરુદ્ધતા સવિચારણાથી પ્રતિપાદન કરવી. [ઉપર જણાવેલ ચર્ચાનો સારાંશ એ નીકળે છે કે-મંડળ ત–વાદી, સંસાર મેચકવાદી, યાજ્ઞિક અને આજીવક વગેરેના આગમો ભલે હિંસાને માન્ય રાખનારા સામે દેખાતા હોય, છતાં પણ દષ્ટ અને ઈષ્ટથી વિરોધ આવતો હેવાથી તે આગમ જ નથી પરંતુ દષ્ટ અને ઈષ્ટના વિરોધથી રહિત શ્રીજિનેન્દ્ર દેવનું જે આગમ તે જ સત્ય આગમ છે. તેમાં જણાવે છે કે હિંસાદિકથી અશુભકર્મ અને અહિંસાદિકથી શુભ કર્મ બંધાય છે. આ આગમ પ્રમાણને અનુસારે પૂર્વે બતાવેલો નિયમ (હિંસાદિકથી પાપ અને અહિંસાદિકથી. પુણ્ય) પ્રામાણિક છે.] (૪૯) ઉપરોક્ત પુણ્ય-પાપ કર્મને કાં પોતાનો આત્મા જ છે. એ વાત બતાવે છે– क्लिष्टं हिंसाधनुष्ठाने, न यत् तस्यान्यतो मतम् । ततः कर्ता स एव स्यात् , सर्वस्यैव हि कर्मणः ॥ ५० ॥ १६२ ॥ જીવને ક્લિષ્ટ એવા હિંસાદિ અનુષ્ઠાન બીજાની ક્રિયાથી હોતા નથી. અર્થાત પોતાની ક્રિયાથી જ હોય છે. આથી કરીને દરેક કર્મનો કર્તા તે જીવ પિતે જ છે. (૫૦) આવા અનિષમાં જીવ શાથી પ્રયત કરતે હશે, તેની સ્પષ્ટતા– અનાવિયુવા[િ, તો પ્રવર્તતા. હિતેડમિન કાયો, ચારિદિત્તિવર છે પ૧ ૧૬૨ જેમ વ્યાધિથી વ્યગ્રચિત્તવાળો પ્રાણી, પોતાની અહિતકર વસ્તુમાં પણ પ્રવૃત્તિ કરે છે, તેમ અનાદિકાળથી લાગેલા કર્મને ઉદયે મૂઢતાને લઈને જીવ પ્રવૃત્તિ કરે છે. (૫૧)
SR No.022389
Book TitleShastra Vartta Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorSushilvijay
PublisherVijaylavanyasuri Gyanmandir
Publication Year1956
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy