SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ જશે. અને એમ થવાથી મોક્ષની પ્રાપ્તિ એકાંત સત્ અથવા એકાંત અસત માનવી પડશે. આ રીતે પોતાની ઈષ્ટ વસ્તુવડે કરીને મુક્તિને બાધ થતો હોવાથી ઇષ્ટ વિરોધ છે. (૩૧) વિરોધનો પરિહાર કરવા માટે તાન્ત્રિકનું સમાધાન– माध्यस्थ्यमेव तद्धतुरगम्यागमनादिना। साध्यते तत् परं येन तेन दोषो न कश्चन ॥ ३२॥ १४ ॥ અગમ્ય ગમનાદિકથી મુક્તિના હેતુભૂત જે ઉત્કૃષ્ટ માધ્યસ્થ તે જ અમારું સાધ્ય છે, માટે પૂર્વે જણાવેલો દોષ હેઈ શકતો નથી. અર્થાત જેટલે અંશે શક્ય છે તેટલે અંશે અગમ્યગમનાદિ કરીને ઉત્કૃષ્ટ માધ્યસ્થ દ્વારા મોક્ષને પ્રાપ્ત કરી શકીશું, માટે મોક્ષનો બાધ આવી શકશે નહીં. (૩૨) ઉપર જણાવેલ તાન્ટિક વિચારનું ખંડન एतदप्युक्तिमानं यदगम्यागमनादिषु । તથા પ્રવૃત્તિનો ગુચ, માધ્ય ગોપvઘરે રૂરૂ. ૧૪ / ઉપર જણાવેલી હકીક્ત વચનમાત્ર છે. અર્થાત યુક્તિથી રહિત છે. કારણકે–અગમ્ય ગમનાદિકમાં સમાન પ્રવૃત્તિ કરવાથી બતાવાતું જે માધ્યસ્થ તે બુદ્ધિથી વિચાર કરીએ તો કોઈપણ રીતે ઘટી શકતું નથી. (૩૩) આજ વાતને પરમાધ્યસ્થ જણાવવા દ્વારા સ્પષ્ટ કરે છે – अप्रवृत्त्यैव सर्वत्र, यथासामर्थ्यभावतः । विशुद्धभावनाभ्यासात् , तन्माध्यस्थ्यं परं यतः ॥ ३४ ॥ १४६ ॥ કારણકે-ગમ્ય છે કે અગમ્ય હો, દરેક સ્થળમાં સ્વશકિતને અનુસારે અપ્રવૃત્તિ રાખવાથી જ એટલે પ્રવૃત્તિનો અભાવ કે નિવૃત્ત રાખવાથી માધ્યસ્થ જળવાય છે. અને તે માધ્યશ્ચ વિશુદ્ધ ભાવનાના અભ્યાસથી પરમમાધ્યચ્ય બને છે, એ સિવાય નહીં. અર્થાત અગમ્ય ગમનાદિકથી નહીં જ. (૩૪) તાત્રિકનું વક્તવ્યयावदेवंविधं नैतत् , प्रवृत्तिस्तावदेव या। साऽविशेषेण साध्वीति, तस्योत्कर्षप्रसाधनात् ॥ ३५॥ १४७ ॥
SR No.022389
Book TitleShastra Vartta Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorSushilvijay
PublisherVijaylavanyasuri Gyanmandir
Publication Year1956
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy