SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ संक्षिप्त भावार्थ २३९ આસ્તિક–આ બાબતમાં નાસ્તિકની પાસે કોઈ પણ પ્રમાણ નથી. હૃદયમાં રહેલો વાયુ-અર્થાત્ નલિકા દ્વારા પ્રવેશ કરાએલો નહીં, એવો વાયુ ચૈતન્યને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો છે. આ વાત પ્રત્યક્ષ પ્રમાણથી નાસ્તિક બતાવી શકે તેમ નથી, અને અનુમાનાદિક પ્રમાણને તો તે માનતો જ નથી. નાસ્તિક-લોકપ્રસિદ્ધ જે અનુમાન તેને અમે માનીએ છીએ, તેથી જ ચૈતન્યની ઉત્પત્તિ છે તેજ હૃદયગત પ્રાણવાયુમાં ચૈતન્યજનક સ્વભાવને સિદ્ધ કરે છે. (૭૦) न तस्यामेव सन्देहात्, तवायं केन नेति चेत् ? । __तत्तत्स्वरूपभावेन, तदभावः कथं नु चेत् ॥७१॥ આસ્તિક–પ્રાણવાયુથી જ ચૈતન્યની ઉત્પત્તિ છે, એ વાતમાંજ સંદેહ છે; કારણ કે–આસ્તિક પક્ષ આત્માથી જ ચૈતન્યની ઉત્પત્તિ માને છે. નાસ્તિક આત્મવાદી મતમાં પણ આત્મજન્ય ચૈતન્યની ઉત્પત્તિ છે, એ વાત સંદેહવાળી છે; કારણકે–નાસ્તિક પ્રાણજન્ય ચૈતન્યોત્પત્તિ માને છે. આતિક-ચૈતન્ય આત્માનો સ્વભાવ હોવાથી આત્મજન્યજ છે, એમાં સંદેહને અવકાશ નથી. નાસ્તિક–ચૈતન્ય એ પ્રાણને સ્વભાવ શાથી નથી ? આનો જવાબ આસ્તિક નીચેના લોકથી જણાવે છે. (૭૧) ... तद्वैलक्षण्यसंवित्तेर्मातृचैतन्यजे ह्ययम् । * સુતે આજ રોજ ચા મવેડા માતારિ ૭ર આસ્તિક હું બુભક્ષાવાળો (ખાવાની ઈચ્છાવાળો છું, હું પિપાસાવાળો (પાણી પીવાની ઈચ્છાવાળો) છું; આ રીતે અદમ્ પણુની સાથે ઈચ્છાને સમાનાધિકરણપણું છે; અને પ્રાણવાયુ તો સ્પર્શવાળો છે. તે સ્પર્શની સાથે ઈચ્છાની અને મદમ્ પણની સમાનાધિકરણપણુએ પ્રતીતિ નહીં થતી હોવાથી નાસ્તિકની વસ્તુ વ્યાજબી નથી. નાસ્તિક–ચૈતન્યના આધારભૂત આત્મા નામની ભિન્ન વસ્તુ માનવાની જરૂરત નથી, પુત્રના ચૈતન્ય પ્રત્યે માતાનું ચૈતન્ય કારણ છે. આ રીતે માનવાથી વ્યવહારનો નિર્વાહ થઈ જશે.
SR No.022388
Book TitleShastra Vartta Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorSushilvijay
PublisherVijaylavanyasuri Gyanmandir
Publication Year1954
Total Pages300
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy