SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ संक्षिप्त भावार्थ २२९ પ્રતિબંધક થઈ શકે છે. એ નિયમને અનુસારે ઉપર જણાવેલા પરિણામના અભાવના અભાવને કારણે માનીએ તો જ પરિણામના અભાવને પ્રતિબંધકપણું હોઈ શકે. આની અપેક્ષાએ પરિણામને જ ચૈતન્યનો વ્યંજક માનવો. એમાં જ લાઘવ હોવાથી પરિણામને જ વ્યજકપણું કારણ પણું માનવું પડશે. (૩૭) શરીરાકાર જે પરિણામ તેને ચિતન્યનો અભિવ્યંજક અમે માનીએ છીએ. એ તો અમારે ઈષ્ટ જ છે. આવું સમાધાન કદાચ નાસ્તિક કરે તો તેને જવાબ આપે છે– न चासौ भूतभिन्नो यत् , ततो व्यक्तिः सदा भवेत् । भेदे त्वधिकभावेन, तत्त्वसङ्ख्या न युज्यते ॥ ३८॥ આ દેહાકાર પરિણામ ભૂતથી ભિન્ન છે કે અભિન્ન છે? જે ભૂતથી અભિન્ન માનીએ તે ભૂત કાયમ છે, મારે પરિણામ પણ કાયમ રહે; અને તેથી કાયમ ચૈતન્યનો સાક્ષાત્કાર થવો જોઈએ. અને ભૂતથી ભિન્ન જે માનીએ તો પણ એક પૃથ> વસ્તુ થઈ માટે તત્ત્વ સંખ્યાનો વિરોધ આવશે. (૩૮) નાસ્તિક–દેહાકાર જે વિશિષ્ટ પરિણામ તે કાયમ રહેતો નથી, પરંતુ જ્યારે તે પરિણામ હોય છે ત્યારે તે ભૂતથી અભિન્ન છે. આથી સર્વદા આ પરિણામ નહિં રહેતો હોવાથી હમેશાં ચૈતન્યની ઉપલબ્ધિનો પ્રસંગ આવતો નથી, પરંતુ જ્યારે તે પરિણામ હોય ત્યારે ચૈતન્ય જણાય છે. આવું નાસ્તિકનું જે કથન તે પણ યુક્ત નથી. એ જ વાત અહીં જણાવે છે – स्वकालेऽभिन्न इत्येवं, कालाभावे न सङ्गतम् । ઢોસિદ્ધા વાત્મા, દુઃ! નાશ્રીને થ? ૨૨ આસ્તિક–જે કાળમાં પરિણામ છે તે કાળમાં ભૂતથી તે પરિણામ અભિન્ન છે, એમ ક્યારે કહી શકાય કે-કાળ નામની વસ્તુ માનતો હોય તે, કિન્તુ કાળ નામની વસ્તુ નહીં માનનાર નાસ્તિક આ રીતે કહી શકતો નથી. નાસ્તિક ભલે અમે કાળ નામની વસ્તુ માનતા નથી, પણ લોકસિદ્ધ કાળ નામની વસ્તુ છે; તેને આશ્રય કરીને આ અમારું કથન છે.
SR No.022388
Book TitleShastra Vartta Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorSushilvijay
PublisherVijaylavanyasuri Gyanmandir
Publication Year1954
Total Pages300
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy