________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧ગાથા-૩ અવતરણિકા:
પૂર્વમાં બે ગાથા દ્વારા સર્વ દ્રવ્યોને આશ્રયીને દસ સામાન્ય ગુણો બતાવ્યા. હવે તે તે દ્રવ્યોમાં વર્તતા વિશેષગુણને બતાવે છે – ગાથા :
જ્ઞાન, દષ્ટિ, સુખ, વીર્ય; ફરસ, રસ, ગંધ, વર્ણ એ જાણો જી, ગતિ-થિતિ-અવગાહન-વર્તના-હેતુભાવ મનિ આણો જી; ચેતનતાદિક ચ્યારઈ ભેલાવિ, વિશેષગુણ એ સોલઈ જી,
ષટ પુદ્ગલ-આતમનઈ તીનહ, અન્ય દ્રવ્યનઈ ટોલઈ જી. II૧૧/all ગાથાર્થ :
જ્ઞાન, દષ્ટિ=દર્શન, સુખ અને વીર્ય (એ આત્માના ગુણો) જાણો. ફરસ=સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ (એ પુગલના ગુણો) જાણો. ગતિ હેતુભાવ, થિતિહેતુભાવ, અવગાહન હેતભાવ અને વર્તનાહતભાવ (ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળના ગુણો) મનમાં આણો.
ચેતનતાદિક ચાર ભેળવવાથી=ચેતનતા-અચેતનતા-મૂર્તતા અને અમૂર્તતા એ ચારને પૂર્વના બાર સાથે ભેળવવાથી, એ સોળ વિશેષગુણ જાણવા. છ પુગલના અને છ આત્માના અને ત્રણ અન્ય દ્રવ્યના ટોળાના જાણવા. ll૧૧/II ટબો -
જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય એ જ આત્માના સ્પર્શ, રસ, ગંધ, વર્ણ એ ૪ પુદગલના વિશેષગુણ, શુદ્ધ દ્રવ્યઈ અવિકૃત રૂપ એ અવશિષ્ટ રહઈ, તિમાર્ટિ એ ગુણ કહિયા. વિકૃત સ્વરૂપ તે પર્યાયમાં ભલઈ. એ વિશેષ જાણોં. ૮. ગતિહેતુતા ૧, સ્થિતિહેતુતા ૨, અવગાહનાહેતતા ૩, વર્તનાહેતતા ૪ એ ૪-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાલ દ્રવ્યના પ્રત્યેકિં વિશેષગુણ. ૧૨ ગુણમાં ચેતનત્વ, અચેતનત્વ, મૂર્તત્વ, અમૂર્તત્વ એ ૪ ગુણ ભેલિઈ તિવારઈ ૧૬ વિશેષગુણ થાઈ. તે મળે પુદ્ગલ દ્રવ્યનઈં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, મૂર્તત્વ, અચેતનત્વ એ ૬ હોઈં. આત્મદ્રવ્યનઈં જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, અમૂર્તત્વ, ચેતનત્વ એ છ હહૈં, બીજા દ્રવ્યનઈં ઢલઈ= સમુદાયઈં ૩ ગુણ હોઈ, એક, નિજગુણ ૨. અર્ચતત્વ અમૂર્તત્વ, ઈમ ફલાવીનઈ ધારવું. ૧૧/all