SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૧૩ તેનાથી જ આકાશદ્રવ્યથી જ, ઉપપન થાય. તમા–તેથી=જેમ આકાશથી અતિરિક્ત દિશાની સિદ્ધિ નથી તેમ પાંચ દ્રવ્યથી અતિરિક્ત કાળદ્રવ્યની સિદ્ધિ નથી તેથી, “વાઘેચે II-૨૮ાા” (તત્વાર્થાધિગમ સૂત્ર, અધ્યાય-૫, શ્લોક-૩૮) રૂતિ સૂરએ પ્રમાણેનું સૂત્ર, નક્ષતદ્રવ્યર્થનનેવ=અનપેક્ષિત દ્રવ્યાર્થિકનયથી જ છે=સ્વતંત્ર દ્રવ્ય સ્વીકાર્યા વગર ઉપચારથી સ્વીકારાયેલા દ્રવ્યાર્થિકનયથી જ છે. રતિ સૂક્યા વિભાવનીયએ પ્રમાણે સૂક્ષ્મ દૃષ્ટિથી વિભાવન કરવું જોઈએ. ૧૦/૧૩મા ભાવાર્થ : ગાથા-૧૧માં જીવ-અજીવના પર્યાયરૂપ કાળદ્રવ્ય છે તેમ સ્થાપન કર્યું અને ગાથા-૧રમાં અઢીદ્વીપપ્રમાણ કાળદ્રવ્ય છે તેમ અન્ય આચાર્યના મતે કહ્યું તે બંને મતો તત્ત્વાર્થસૂત્રમાં બતાવાયા છે; કેમ કે તત્ત્વાર્થકારે ચાર અજીવદ્રવ્યો છે અને જીવ એ પાંચમું દ્રવ્ય છે એમ બતાવ્યા પછી અન્ય એક આચાર્યના મતે “કાળ છે” તેમ કહેલું છે. વળી શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ.સા.એ “ધર્મસંગ્રહણી'માં તે બે મતો બતાવ્યા. વળી, આ બીજો મત તત્ત્વાર્થકારે જે બતાવ્યો છે, તે વ્યાખ્યાનથી વિચારીએ તો અનપેક્ષિતદ્રવ્યાર્થિકનયના મતે બતાવ્યો છે વર્તનાના અપેક્ષાકારણ એવા દ્રવ્યને સ્વીકારીને કહ્યો નથી, પરંતુ કોઈ દ્રવ્યની અપેક્ષા વગર ઉપચારથી દ્રવ્યને સ્વીકારનાર જે નયષ્ટિ છે તેને આશ્રયીને કહ્યો છે. અહીં પ્રશ્ન થાય કે, દ્રવ્યના સ્વીકારની અપેક્ષા ન હોય તેવા દ્રવ્યને માનવાનું પ્રયોજન શું છે? તેથી ગ્રંથકારશ્રી કહે છે – સ્થૂલ લોકના વ્યવહારથી સિદ્ધ એવું એ કાળ છે તેથી તેને દ્રવ્યની અપેક્ષારહિત જાણવું અર્થાતુ લોકમાં ઋતુ આદિ પરિવર્તનનું કારણ કાળ છે એ પ્રકારે પ્રસિદ્ધ છે તેની સંગતિ કરવા અર્થે કાળદ્રવ્ય સ્વીકાર્યું છે, પરંતુ સ્વતંત્ર દ્રવ્યરૂપે સ્વીકારની અપેક્ષા રહિત જાણવું. અહીં પ્રશ્ન થાય કે, જેમ જીવની અને પુદ્ગલની ગતિમાં સહાયક એવું અપેક્ષાકારણ ધર્માસ્તિકાય સ્વતંત્ર દ્રવ્ય સ્વીકારાય છે તેમ જીવાદિ પાંચ દ્રવ્યોમાં જે પરિવર્તન થાય છે તેનું અપેક્ષાકારણ એવું કાળદ્રવ્ય સ્વીકારીએ તો શું વાંધો ? તેથી ગ્રંથકારશ્રી કહે છે – જીવાદિ દ્રવ્યોમાં પ્રતિક્ષણ નવી નવી વર્તના થાય છે તેનું અપેક્ષાકારણ ધર્માસ્તિકાયાદિની જેમ કાળદ્રવ્ય સ્વીકારીએ તો “આ પૂર્વ દિશા છે”, “આ પશ્ચિમ દિશા છે' એ પ્રકારનો વ્યવહાર કરવા માટે “ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોથી વિલક્ષણ દિગુ દ્રવ્ય પણ માનવું પડે, જે પરત્વ-અપરત્વ આદિ પર્યાયનું નિયામક છે અર્થાત્ “આ વસ્તુ આ ક્ષેત્રથી પર છે,” “આ વસ્તુ આ ક્ષેત્રથી અપર છે, તેથી તે વસ્તુમાં રહેલા પરત્વઅપરત્વાદિના નિયામક દિગુ દ્રવ્યની પણ સિદ્ધિ થાય અને શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજીના “નિશ્ચયદ્વત્રિશિકાના અર્થનો વિચાર કરીને જો ‘આકાશથી જ દિશાના કાર્યની સિદ્ધિ થાય છે તેમ માનીએ તો કાળદ્રવ્યનું જે વર્તનારૂપ કાર્ય છે તે પણ તેનાથી જ=આકાશથી જ, ઉપપન્ન થાય છે=સંગત થાય છે. તે આ રીતે –
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy