SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૩ દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૬ | ગાથા૩ એ શિવસુખ તે-મોક્ષસુખ, તદ્રુપ જે સુરત-કલ્પવૃક્ષ, તેહના જે-ફળ, તેહનો જે-સ્વાદ, તેહની-નિશાની છઈ, યાદગીરી છઈ મોક્ષસુખની. ૧૬/૩ બાર્થ : અને એ નથાર્થના વ્યાખ્યાનનેદ્રવ્યગુણપર્યાયનું અત્યાર સુધી વર્ણન કર્યું જેમાં અનેક નયદષ્ટિઓ વણાયેલી છે તેના વ્યાખ્યાનને, સામાન્ય છે=આ ગ્રંથ સામાન્ય છે. એમ ન જાણો એમ જાણશો નહીં. એ તો આ ગ્રંથ તો, જિનપ્રણીત બ્રહ્માણી છે. કેમ જિનપ્રણીત બ્રહ્માણી છે ? તેથી કહે છે – જે કારણથી ભગવાનશ્રી ઋષભદેવે બ્રાહ્મીપુત્રીને જમણા હાથથી ઉપદેશ કરાયેલી તે છે-બ્રાહ્મી લિપિ છે. તે ‘બ્રહ્માણી' એ પ્રમાણે કહેવાય છે. ભલી પરિ સાંભળોઃગ્રંથનું તાત્પર્ય ગ્રહણ થાય એ પ્રકારના ઉપયોગપૂર્વક ધારો, તો તત્વરૂપ જે રત્ન=આત્મામાં મોક્ષને અનુકૂળ ગુણસંપતિસ્વરૂપ જે રત્ન, તેની એ ખાણ છે= પ્રસ્તુત ગ્રંથ ઉત્પત્તિનું સ્થાન છે. એ=પ્રસ્તુત વાણી, શુભમતિ=ભલી જે મતિ=મોહના ઉમૂલનનું કારણ બને એવી જે મતિ, તેની માતા છે; કેમ કે રૂડી મતિને પ્રસવનારી જન્મ આપનારી, આ વાણી છે. વળી, દુરમતિ મિથ્યાત્વાદિરૂપ જે દુર્મતિ, તદ્રુપ જે વેલી, તેને છેદવા માટે કૃપાણીતુલ્ય કુહાડી જેવી છે. એ=પ્રસ્તુત વાણી, શિવસુખ=તે મોક્ષસુખ, તદ્રુપ જે સુરતરુ કલ્પવૃક્ષ, તેનાં જે ફળ, તેનો જે સ્વાદ=કલ્પવૃક્ષના ફળનો જે સ્વાદ, તેની નિશાની છે મોક્ષસુખની યાદગીરી છે. ૧૬/મા. ભાવાર્થ : ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથ સ્વમતિથી ર નથી પરંતુ સર્વજ્ઞના વચનાનુસાર પદાર્થને જોનારી જે નયદૃષ્ટિ છે, તે નયદૃષ્ટિનો બોધ થાય તે રીતે પ્રસ્તુત ગ્રંથ રચ્યો છે. માટે સામાન્ય વક્તા કોઈ સુંદર કથન કરે તેના જેવો આ સામાન્ય ગ્રંથ છે તેમ જાણશો નહીં, પરંતુ સર્વ મોહનું ઉમૂલન કરીને જ્ઞાનાવરણીય કર્મનો નાશ કર્યો, તેથી તેઓને જગતનું યથાર્થ સ્વરૂપ સાક્ષાત્ કેવળજ્ઞાનમાં દેખાય છે અને કેવળજ્ઞાનમાં દેખાતા પદાર્થો યોગ્ય જીવોને કઈ રીતે હિતપ્રાપ્તિનું કારણ બને ? તેના પરમાર્થને બતાવે તેવી નયદૃષ્ટિથી શાસ્ત્રનું કથન કર્યું છે. તે શાસ્ત્ર અનુસાર પ્રસ્તુત ગ્રંથ છે માટે આ ગ્રંથને અન્યના ગ્રંથોની જેમ સામાન્ય ગ્રંથ જાણશો નહીં. વળી, આ જિનપ્રણીત બ્રહ્માણી છે; કેમ કે ભગવાનશ્રી ઋષભદેવે બ્રાહ્મી અને સુંદરીરૂપ પોતાની બે પુત્રીઓમાંથી બ્રાહ્મીને દક્ષિણ હાથથી બ્રાહ્મી લિપિ શીખવાડેલ અને તે બ્રાહ્મી લિપિ બતાવીને તે બ્રાહ્મી લિપિ દ્વારા જ ભગવાને સર્વજ્ઞ થયા પછી જે મોક્ષમાર્ગ બતાવ્યો છે. આ મોક્ષમાર્ગને બતાવનાર પ્રસ્તુત ગ્રંથ છે; કેમ કે “ઉપન્નઈ વા વિગમેઈ વા ધુએઈ વા' એ ત્રણ પદો દ્વારા પોતાનો આત્મા ધ્રુવ છે, જે તે તે
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy