________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૫ | ગાથા-૧૩
ગાથા =
૨૩૫
‘આવશ્ય’માંહિ ભાષિઉં, તિણિ ગહી જ્ઞાન પ્રધાનો રે;
આચરણાપથિ ચાલતાં, લહિઈં નસ બહુમાનો રે. શ્રી જિન૦ ||૧૫/૧૩/
ગાથાર્થ ઃ
‘આવશ્યક’માં કહ્યું છે, તેણે=‘આવશ્યક’ના વચને, જ્ઞાન પ્રધાન ગ્રહ્યું છે. આચરણા પથમાં ચાલતા યશ અને બહુમાન લઈએ. ૧૫/૧૩||
ટબો ઃ
આવશ્યસૂત્ર સૂત્રમાંહિ-કહીઉં છઈ-પ્રવચનદ્વારે પ્રરૂપ્યું છે, તેણે-ગ્રહ્યું જ્ઞાને પ્રધાનત્વપણું, “જ્ઞાનમેવ પર મોક્ષઃ” કૃતિ વચનાત્, આચરણા-પથ, તે-શુદ્ધ માર્ગો, તે આચરણા ક્રિયા વ્યવહારરૂપ માર્ગે ચાલતાં, લહીયે-પામીઈ, યશ અને બહુમાન ઈહલોકે-પરલોકે= સર્વથાનીકે, અનેક જ્ઞાનનો અભ્યાસક પ્રાણી સઘલેં પૂજાઈ.
यतः श्लोकः
विद्वत्त्वं च नृपत्त्वं च नैव तुल्यं कदाचन ।
स्वदेशे पूज्यते राजा विद्वान् सर्वत्र पूज्यते ।।१।।
वलीपलितकायेऽपि कर्तव्यः श्रुतसंग्रहः ।
ન તંત્ર ધનિનો યાન્તિ યત્ર યાન્તિ વહુશ્રુતાઃ ।।૨|| ||૧૫/૧૩||
ટબાર્થ ઃ
‘આવશ્યકસૂત્ર'માંહે કહ્યું છે=પ્રવચનદ્વારમાં પ્રરૂપ્યું છે. તેણે=‘આવશ્યકસૂત્ર'ના વચને, જ્ઞાનમાં પ્રધાનપણું ગ્રહ્યું છે; કેમ કે ‘જ્ઞાન જ પરં મોક્ષ છે' એ પ્રકારનું વચન છે. આચરણાપથ=સમ્યજ્ઞાનથી નિયંત્રિત આચરણાપથ, તે શુદ્ધ માર્ગ છે=જ્ઞાનપથ પૂર્ણ નથી પરંતુ જ્ઞાન અને જ્ઞાનથી નિયંત્રિત આચરણા-તે પૂર્ણ માર્ગ છે, માટે તે શુદ્ધ માર્ગ છે. તે આચરણા, ક્રિયાવ્યવહારરૂપ માર્ગે ચાલતા યશ અને બહુમાન આલોકમાં અને પરલોકમાં-સર્વસ્થાનકે લઈએપામીએ. અનેક જ્ઞાનનો અભ્યાસક=સર્વ પદાર્થો વિષયક જ્ઞાનનો જાણનાર, પ્રાણી સઘળે પૂજાય છે. યતઃ શ્લો:=જે કારણથી શ્લોક છે
વિદ્વત્ત્વ ૬ ગૃપત્ત્વ વ=વિદ્વાનપણું અને નૃપપણું, વાચન નૈવ તુi=ક્યારેય તુલ્ય નથી જ. રાના સ્વવેશે શૂન્યતે=રાજા સ્વદેશમાં પૂજાય છે. વિદ્વાન સર્વત્ર પૂન્યતે–વિદ્વાન સર્વત્ર પૂજાય છે. ૧
વસ્તીનિતાયેઽપિ=વલીપલિતકાયાવાળાએ પણ=કરચલીઓ પડેલી કાયાવાળા પુરુષે પણ, શ્રુતસંગ્રહ: ર્તવ્ય:=શ્રુતસંગ્રહ કરવો જોઈએ. તત્ર=ત્યાં=જે સ્થાનમાં મુંઝવણ થાય તેનું નિરાકરણ કરવામાં, નિનો ન યાન્તિ=ધનિકો જતા નથી, યંત્ર વહુશ્રુતાઃ યાન્તિ=જ્યાં બહુશ્રુતો જાય છે. ।।૨ા ||૧૫/૧૩