SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ ગાથા: દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૪ ગાથા ૧૭ ગુણવિકાર પજ્જવ કહી, દ્રવ્યાદિ કહેત; સ્યું જાણĚ મનમાંહિ તે, વેવસેન મહંત. શ્રી જિન૦ ||૧૪/૧૭| ગાથાર્થઃ ગુણના વિકાર પર્યાય છે એમ કહીને દ્રવ્યાદિને કહેતો=દ્રવ્યપર્યાય અને ગુણપર્યાય એમ કહેતો, તે દેવસેન મહંત મનમાં શું જાણે છે ? અર્થાત્ કાંઈ જાણતો નથી. ।।૧૪/૧૭।। ટબો = “મુળવિવારા: પર્યાયા:” ઈમ કહીનઈં, તેહના ભેદનઈં અધિકારÜ-તે પર્યાય દ્વિભેદદ્રવ્યપર્યાય, ગુણપર્યાય’ ઈત્યાદિક કહો નવધર્તા વિયંવર દેવસેન મનમાંહિ સ્સું જાણઈ છઈ ? અર્થાત્ કાંઈ જાણતો નથી, પૂર્વાપર વિરુદ્ધ ભાષણથી. તે માર્ટિ-દ્રવ્યપર્યાય જ કહવા, પણિ-ગુણપર્યાય જુદો ન કહો. એ પરમાર્થ. II૧૪/૧૭|| ટબાર્થ: “તુળવિારા: પર્યાયઃ”=ગુણના વિકારો પર્યાય છે, એમ કહીને તેના ભેદને અધિકારે=પર્યાયના ભેદના કથનના અવસરે, તે પર્યાય બે ભેદવાળા છે. દ્રવ્યપર્યાય અને ગુણપર્યાય ઇત્યાદિ કહેતો ‘નયચક્ર’ના કર્તા દિગંબર દેવસેન મનમાં શું જાણે છે ?=સ્યાદ્વાદની મર્યાદાને કાંઈ જાણતો નથી; કેમ કે પૂર્વાપર વિરુદ્ધ ભાષણથી કાંઈ જાણતો નથી=“ગુણના વિકારો પર્યાય છે” એમ કહ્યા પછી પર્યાયોના બે ભેદ બતાવતાં દ્રવ્યપર્યાય અને ગુણપર્યાય એમ કહે છે. તેથી દ્રવ્યનો વિકાર અને ગુણનો વિકાર પર્યાયો છે એ પ્રમાણે પૂર્વ અપર વિરુદ્ધ બોલે છે માટે કાંઈ જાણતો નથી. તે માટે=દેવસેનનું વચન અસંબદ્ધ છે તે માટે, દ્રવ્યપર્યાય જ કહેવા પણ ગુણપર્યાય જુદો ન કહેવો, એ પરમાર્થ છે. ।।૧૪/૧૭। ભાવાર્થ: દેવસેન નામના દિગંબર મુનિએ પર્યાયનું લક્ષણ કર્યું કે ‘ગુણના વિકારો છે એ પર્યાયો છે' તેથી એ પ્રાપ્ત થાય કે “દરેક પદાર્થોનો પોતાનો જે વિશેષ સ્વભાવ છે તે, જે જે વિકારરૂપે પરિણમન પામે છે, તે પર્યાયો છે.” જેમ આત્મા જ્ઞાનગુણવાળો છે, તે જ્ઞાનગુણ ક્યારેક મતિજ્ઞાન, ક્યારેક શ્રુતજ્ઞાન, ક્યારેક અન્યજ્ઞાનરૂપે પરિણમન પામે છે, તે જ્ઞાનગુણના પ્રતિક્ષણ થતા ભિન્ન ભિન્ન ભાવો એ પર્યાયો છે. આ પ્રકારનું પર્યાયનું લક્ષણ શ્વેતાંબર સંપ્રદાયને પણ સ્વીકૃત છે; કેમ કે દરેક દ્રવ્યો અન્ય દ્રવ્યોથી ભિન્ન કોઈ ગુણથી થાય છે. ગુણ સતત એક સ્વરૂપવાળો નથી પરંતુ તે તે ભાવરૂપે પરિણમન પામતા તે દ્રવ્યનું સ્વરૂપ છે, જે પર્યાય છે. શાસ્ત્રવચન, યુક્તિ અને અનુભવ અનુસાર ગુણના વિકાર પર્યાયસ્વરૂપે દેખાય છે. આ પ્રમાણે પર્યાયનું યથાર્થ લક્ષણ કર્યા પછી તે દિગંબર મુનિ દેવસેન પર્યાયના બે ભેદો કરે છે :
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy