SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભારા, ઢાળ-૧૪ | ગાથા-૧૩-૧૪ ૧૮૯ પુદ્ગલના ભાવો પુદ્ગલમાં રહે છે. તેથી એક ક્ષેત્રમાં રહેલા મનુષ્યશરીર આદિ પુદ્ગલના ભાવો અને આત્મામાં વર્તતા આત્માના ભાવો બેય સ્વતંત્ર છે માટે મનુષ્યાદિ પર્યાય આત્માનો અશુદ્ધ પર્યાય કહી શકાય નહીં. અસદ્દભૂત વ્યવહારનય આત્મા સાથે મનુષ્યભાવરૂપે પામેલા પુદ્ગલોનો કથંચિત્ એકત્વભાવ સ્વીકારે છે, તેથી અદ્ભુત વ્યવહારનયથી આત્માનો મનુષ્યપર્યાય ગ્રહણ થાય છે. માટે મનુષ્યપર્યાયને દિગંબરોએ અસભૂત કહેવો જોઈએ પરંતુ અશુદ્ધ કહેવો જોઈએ નહીં. જો અસભૂત વ્યવહારનયથી ગ્રાહ્ય એવા મનુષ્યપર્યાયને એકક્ષેત્રમાં આત્મપ્રદેશો સાથે અણુ-તણુની જેમ રહેલા મનુષ્ય શરીરના પુગલોને જોઈને દિગંબરો મનુષ્યપર્યાયને અશુદ્ધ પર્યાય કહે, તો તે રીતે ધર્માસ્તિકાયની સાથે એક ક્ષેત્રમાં રહેલા અધર્માસ્તિકાયના સંયોગને ગ્રહણ કરીને અધર્માસ્તિકાયનો સંયોગ ધર્માસ્તિકાયનો અશુદ્ધ પર્યાય છે, એમ પણ સ્વીકારવું જોઈએ. આ રીતે અધર્માસ્તિકાયાદિ દ્રવ્યોનો પણ અન્ય અન્ય દ્રવ્યની સાથેનો સંયોગ ગ્રહણ કરીને તે તે દ્રવ્યના અશુદ્ધ પર્યાયો દિગંબરોએ સ્વીકારવા જોઈએ. ll૧૪/૧૩ અવતારણિકા - દ્વિતંતુકાદિ પર્યાયની પરિ એકદ્રવ્યજનકાવાવસંઘાતનઈં જ અશુદ્ધ દ્રવ્યંજનપર્યાયપણું જ કહતાં રૂડું લાગઈ, “તસ્મા અપેક્ષાનપેક્ષાાં શુદ્ધ શુદ્ધાનેન્તિવ્યાપકત્વમેવ શ્રેયઃ” તેહ જ દેખાડઈ થઈ – અવતરણિકા - બે તંતુકાદિ પર્યાયની જેમ=બે-ત્રણ-ચાર આદિ તંતુઓ ભેગા થઈને સ્કંધ બનતા હોય તેની જેમ, એકદ્રવ્યજનક અવયવના સંઘાતને અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાયપણું જ કહેતાં રૂડું લાગે છે. તેથી ધર્માસ્તિકાય અને અધમસ્તિકાયનો સંયોગ એકદ્રવ્યજનક અવયવસંઘાતરૂપ નથી માટે તેને અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાયપણું કહેવું એ સુંદર જણાતું નથી' એ પ્રકારનો દિગંબરનો આશય છે.) તે વાતને સ્વીકારીને “તાથી ગ્રંથકારશ્રી કહે છે – ત —તે કારણથી=એકદ્રવ્યજનક અવયવના સંઘાતને જ અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાયપણું કહેવું ઉચિત છે તે કારણથી, અપેક્ષાનપેક્ષા=અપેક્ષા-અપેક્ષા દ્વારા, શુદ્ધ શુદ્ધાનેરાવ્યા ત્વમેવ શ્રેયઃ=શુદ્ધાશુદ્ધ અનેકાંતનું વ્યાપકપણું જ શ્રેય છે =કોઈક અપેક્ષાએ સર્વ દ્રવ્યો શુદ્ધ છે અને કોઈક અપેક્ષાએ સર્વ દ્રવ્યો અશુદ્ધ છે એ અપેક્ષાએ શુદ્ધાશુદ્ધરૂપ અનેકાંત સર્વ દ્રવ્યોમાં વ્યાપક છે, માત્ર જીવ-પુદ્ગલમાં જ શુદ્ધાશુદ્ધપણું છે અને અન્ય દ્રવ્યમાં નથી તેમ માનવું શ્રેય નથી પરંતુ સર્વ દ્રવ્યમાં શુદ્ધાશુદ્ધપણું છે તેમ માનવું શ્રેય છે.” તે જ ગાથામાં દેખાડે છે – ભાવાર્થ - બે તાંતણાઓ સ્વતંત્ર પડેલા હોય ત્યારે તે તાંતણાઓમાં અંશુદ્ધ પર્યાય નથી પરંતુ બે તંતુ આદિ પટની
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy