SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૪ | ગાથા-૧-૨ ઢાળ-૧૪ છે પૂર્વની ઢાળ સાથેનું જોડાણ - ગ્રંથકારશ્રીએ પૂર્વની ઢાળોમાં દ્રવ્યના ભેદો બતાવ્યા. ત્યારપછી ગુણના ભેદો બતાવ્યા. તે ગુણના ભેદો બતાવ્યા પછી તેની સાથે સંલગ્ન કરીને સ્વભાવના ભેદો દિગંબર જે બતાવે છે તે પ્રમાણે પૂર્વની ૧૨મી અને ૧૩મી ઢાળમાં બતાવ્યા. વળી પ્રસ્તુત ગ્રંથનું જે મુખ્ય પ્રયોજન છે કે “દ્રવ્યગુણપર્યાયનો બોધ કરાવવો' - તે પ્રયોજન સિદ્ધ થાય, તેથી હવે પર્યાયના ભેદો બતાવે છે – ગાથા : સુણો ભેદ પજાયના, તે દોઈ પ્રકાર; વ્યંજન, અર્થ વિભેદથી, સંખેપઈ સાર. શ્રી જિનવાણી આદરો. I/૧૪/૧૫ ગાથાર્થ : પર્યાયના ભેદ સાંભળો. તે બે પ્રકારના છે : વ્યંજન અને અર્થના વિભેદથીeભેદથી, સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. શ્રી જિનવાણી આદરો. II૧૪/૧૫ ટબો: હવઈ, પર્યાયના ભેદ સાંભર્યાં. તે-પર્યાય સંક્ષેપઈ-૨ પ્રકારÒ હોઈ. એક-વ્યંજન પર્યાય, બીજ-અર્થ પર્યાય સંક્ષેપઈ કહ્યા. ll૧૪/૧૫ ટબાર્થ : હવે પર્યાયના ભેદ સાંભળો. તે પર્યાય સંક્ષેપથી બે પ્રકારના છે : (૧) વ્યંજનપર્યાય, (૨) અર્થપર્યાય, સંક્ષેપથી કહ્યા છે=સંક્ષેપથી બે પ્રકારે કહ્યા છે. II૧૪/૧TI ભાવાર્થ પર્યાયના સંક્ષેપથી બે ભેદો છે: (૧) વ્યંજનપર્યાય, (૨) અર્થપર્યાય. જે પર્યાય દીર્ઘકાળ સુધી વર્તતો હોય અને તે પર્યાય દ્વારા તે વસ્તુનો બોધ થતો હોય તે વ્યંજનપર્યાય છે. સામાન્યથી જે પર્યાય વર્તમાનમાં દેખાતો હોય તે અર્થપર્યાય છે. આ પ્રકારે સંક્ષેપથી પર્યાયના બે ભેદો કહ્યા છે, જે ભગવાનની વાણી સમાન છે માટે તેને સ્વીકારો, જેથી સુખની પ્રાપ્તિ થાય. ll૧૪/૧ અવતરણિકા - હવે વ્યંજનપર્યાય અને અર્થપર્યાયવું લક્ષણ બતાવે છે –
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy