SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ૬ દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૩ | ગાથા-૧૨ પરમાણ છ, તેહનઈ અમૂર્ત કહિઈ. व्यावहारिकप्रत्यक्षागोचरत्वममूर्त्तत्वं परमाणौ भाक्तं स्वीक्रियते इत्यर्थः। 13/१२|| બાર્થ : ઉપચારથી પણ અમૂર્ત સ્વભાવ પદગલને ન થાય” એમ કહેતાં તો એકવીસમો ભાવ લોપાયઢાળ-૧૨ની ગાથા-૧રમાં કહ્યું કે જીવને અને પુદ્ગલને એકવીસ સ્વભાવ છે તેમાંથી એકવીસમો ભાવ પુગલમાં લોપાય, તિવારઈ=ઢાળ-૧રની ગાથા-૧૩ના ટબામાં ઉદ્ધરણની ગાથા બતાવી તે પ્રમાણે, વિરાતિપાવા: ચુર્નાવપુયોર્મતા =એકવીસ ભાવો છે, (જે) જીવન અને પુદ્ગલના મનાયા છે.' એ વચનનો વ્યાઘાત થવાથી અપસિદ્ધાંત થાય. તે ટાળવાનઈ કાર્જિકતે વચનનો વ્યાઘાત ટાળવા માટે, અસભૂત વ્યવહારનયથી પરોક્ષ જે પુગલ પરમાણુઓ છે તેને અમૂર્ત કહેવાય અમૂર્તસ્વભાવ છે તેમ કહેવાય. વ્યાવહારિવપ્રસારિરત્વમમૂર્વ વ્યાવહારિક એવું પ્રત્યક્ષના અગોચરપણારૂપ અમૂર્તપણું, પરમાળો= પરમાણુમાં, મા=ગૌણ, સ્વીજિયતે સ્વીકારાય છે. ત્યર્થ એ પ્રકારનો અર્થ છે. ૧૩/૧૨ાા. ભાવાર્થ : શરીરધારી જીવો પ્રત્યક્ષથી રૂપ દેખાય છે તેથી અમૂર્ત એવા આત્માના સંબંધને આશ્રયીને પ્રત્યક્ષથી દેખાતા દેહને અમૂર્ત કહી શકાય નહીં; કેમ કે પ્રત્યક્ષબાધા છે અને જો તેમ સ્વીકારીએ તો “જીવના અને પુદ્ગલના એકવીસ ભાવો મનાયા છે” એ વચનનો વ્યાઘાત થાય; કેમ કે પુદ્ગલમાં અમૂર્તસ્વભાવ ઉપચારથી પણ સ્વીકારીએ તો જ પુદ્ગલમાં એકવીસ સ્વભાવ સંગત થાય. જેમ, સિદ્ધના જીવો કર્મરહિત છે તેથી તેમનામાં મૂર્તસ્વભાવ નથી તોપણ પૂર્વના દેહ સાથેના સંબંધકાલીન ભાવોને આશ્રયીને મૂર્તસ્વભાવ સિદ્ધના જીવોનો છે તેમ સંગત થાય છે પરંતુ પુદ્ગલમાં કોઈ રીતે અમૂર્ત સ્વભાવ ન સ્વીકારવામાં આવે તો, પુદ્ગલમાં એકવીસ ભાવોના સ્વીકારના કથનમાં વિરોધ આવે. તે ટાળવા માટે અસભૂત વ્યવહારનયથી “જે પુદ્ગલ પરમાણુઓ અર્થાત્ પરમાણુ-રાણુક કે અનંત પરમાણુના સ્કંધો, વ્યવહારથી પ્રત્યક્ષ નથી, તે સર્વમાં અમૂર્તસ્વભાવ કહેવો જોઈએ.” કેમ અસદ્દભૂત વ્યવહારનયથી ઇન્દ્રિય અગોચર એવા પરમાણુ આદિમાં અમૂર્તસ્વભાવ કહેવો જોઈએ? તેમાં યુક્તિ બતાવે છે – પ્રત્યક્ષનું અગોચરપણું તે જ વ્યાવહારિક અમૂર્તપણું છે અને તેવું અમૂર્તપણું ગૌણ અમૂર્તપણું છે. વળી, ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોમાં વર્તતું અમૂર્તપણું મુખ્ય અમૂર્તપણું છે તેથી ચક્ષુથી જેનું ગ્રહણ કોઈ રીતે થઈ શકે તેમ નથી તેવા સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોના શરીરરૂપ સૂક્ષ્મ સ્કંધો કે પરમાણુના સ્કંધોમાં વ્યાવહારિક પ્રત્યક્ષ અગોચરપણું છે માટે અસભૂત વ્યવહારનય તેઓને અમૂર્ત કહે છે. નિશ્ચયનય તો સર્વપુદ્ગલો રૂપવાળા હોવાથી સર્વ પુદ્ગલોને મૂર્તસ્વભાવવાળા જ કહે છે. ll૧૩/૧ાા
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy