SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૩ | ગાથા-૧૧ ગાથાર્થઃ ૧૫૩ જ્યાં=જીવના શરીરમાં, મૂર્તતા અનભિભૂત છે ત્યાં અમૂર્તતા નથી. જ્યાં=શરીરધારી જીવમાં, અમૂર્તતા અભિભૂત છે, તે માંહિ=તે જીવમાં, મૂર્તિ=મૂર્તતા, અનંત્ય છે=અનુગમજનિત સાધારણ ધર્મરૂપ છે. II૧૩/૧૧|| ટોઃ જિહાં, પુદ્ગલદ્રવ્યઈ મૂર્તતા અભિભૂત નથી, કિંતુ ઉદ્ભૂત છઈ, તિહાં, અમૂર્તતા સ્વભાવ ન હોઈં. તે માર્ટિ-અમૂર્તતા અપુદ્ગલ દ્રવ્યનો અંત્ય વિશેષ. અનઈં જિહાં, આત્મદ્રવ્યઈં કર્મદોષઈ અમૂર્તતા અભિભૂત છઈ, તિહાં, મૂર્તતા અનંત્ય અનુગમજનિત સાધારણ ધર્મરૂપ હોઈ. તથા ચ अन्योऽन्यानुगमाविशेषेऽपि क्वचिदेव किञ्चित् केनचित् कथञ्चिदनुभूयते इति यथागमવ્યવહારમાશ્રયળીયમ્ । ||૧૩/૧૧|| ટબાર્થઃ જિહાં=જીવના શરીરમાં, પુદ્ગલદ્રવ્યની મૂર્તતા અભિભૂત નથી=શરીર સાથે સંબંધવાળા જીવદ્રવ્યની અમૂર્તતાથી પુદ્ગલદ્રવ્યની મૂર્તતા અભિભૂત નથી, પરંતુ ઉદ્ભુત છે અર્થાત્ ઇન્દ્રિયોથી સ્પષ્ટ દેખાઈ રહી છે માટે ઉદ્ભુત છે, તિહાં=જીવ સાથે સંબંધવાળા શરીરમાં, અમૂર્તતા સ્વભાવ ન હોય. તે માટે= શરીર સાથે સંબંધવાળા પુદ્ગલમાં મૂર્તસ્વભાવ ઉદ્ભૂત હોવાને કારણે અમૂર્તતા સ્વભાવ કહેવાતો નથી તે માટે, અમૂર્તતા અપુદ્ગલદ્રવ્યનો=પુદ્ગલદ્રવ્ય સિવાયના અન્ય દ્રવ્યનો, અંત્યવિશેષ છે=શરીરધારી જીવમાં અનંત્ય એવા અનુગમજનિત મૂર્તતા છે તેવી અમૂર્તતા નથી પરંતુ અંત્યવિશેષ છે અર્થાત્ દેહથી પૃથક્ જીવ થાય ત્યારે તે અમૂર્તતા જીવમાં છે તેમ સર્વ અપુદ્ગલદ્રવ્યોમાં પણ અંત્યવિશેષ અમૂર્તતા છે, અને જ્યાં=શરીરધારી જીવમાં, કર્મદોષથી અમૂર્તતા અભિભૂત છે ત્યાં મૂર્તતા અનંત્ય=અંત્ય નહીં એવી, અનુગમજનિત=જીવ અને પુદ્ગલના અનુગમજનિત, સાધારણ ધર્મરૂપ થાય છે. (તેથી શરીરધારી જીવને મૂર્ત કહેવાય છે.) તથા ર=અને તે રીતે=પુદ્ગલ દ્રવ્યમાં અમૂર્તતાનો ઉપચાર ન થઈ શકે અને જીવદ્રવ્યમાં મૂર્તતાનો ઉપચાર થઈ શકે તેમ યુક્તિથી સ્થાપન કર્યું તે રીતે, કહે છે અન્વોડન્યાનુળમાવિશેષેપિ=અન્યોન્ય અનુગમનો અવિશેષ હોવા છતાં પણ=દેહધારી જીવમાં જીવનો અને પુદ્ગલનો પરસ્પર અનુગમ સમાન હોવા છતાં પણ, વેિવ ક્વચિત્ જ=કોઈક વસ્તુમાં જ=જીવરૂપ વસ્તુમાં જ, નિશ્ચિ=કાંઈક, જૈનચિ=કોઈકના વડે=કોઈક વિચારક પુરુષ વડે, ચિત્—કોઈક અપેક્ષાથી=પુદ્ગલની મૂર્તતાને કારણે જીવની અમૂર્તતા અભિભૂત થયેલી છે એ
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy