________________
૧૦૫
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૨ / ગાથા-૨ અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે સંસારી જીવોનો ચેતન સ્વભાવ છે અને અચેતન સ્વભાવ પણ છે એ પ્રકારનો અર્થ ચતુર નાર ધારો. ત્યાં પ્રશ્ન થાય કે આત્માનો ચેતન સ્વભાવ છે તેમ કહી શકાય, પરંતુ સંસારી જીવોનો અચેતન સ્વભાવ કેમ કહી શકાય ? તેથી કહે છે – ગાથા :
જી હો જો ચેતનતા સર્વથા, લાલા વિના અચેતનભાવ; જી હો ધ્યાન-ધ્યેય, ગુરુ-શિષ્યની, લાલા સી ખપ શુદ્ધ સ્વભાવ?
ચતુo II૧૨/શા
અચેતનભાવ વગર જે સર્વથા ચેતનતા હોય તો ધ્યાન-ધ્યેયની, ગુરુ-શિષ્યની શુદ્ધ સ્વભાવવાળા જીવને શી ખપ ? શો ખપ હોય ? II૧ર/રા. ટો :
જ જીવનઈ સર્વથા ચેતન સ્વભાવ કહિઈ, અચેતન સ્વભાવ ન કહિઈ, તો અચેતન કર્મનો કર્મદ્રવ્યપશ્લેષજનિતચેતનાવિકાર વિના શુદ્ધ સિદ્ધ સદાપણું થાઈ. તિવારઈ ધ્યાન-ધ્યેય, ગુરુ-શિષ્યની શી ખપ થાઈ? સર્વ શાસ્ત્રવ્યવહાર ઈમ ક થઈ જાઈં. શુદ્ધનઈં અવિદ્યાનિવૃતઈં પણિ સ્ય ઉપકાર થાઈ?તે માટઈં-“નવUT થવા ?” રૂતિ વ અચેતન આત્મા ઈમ પણિ કથંચિત કહિÓ. I/૧૨/ ટબાર્થ :
જો જીવતે સર્વથા ચેતન સ્વભાવ કહીએ અને અચેતન સ્વભાવ ન કહીએ, તો અચેતન કર્મનો કર્મદ્રવ્યના ઉપશ્લેષજનિત ચેતનનો વિકાર, તેના વગર તે ચેતનાના વિકાર વગર, શુદ્ધ સિદ્ધસદશપણું થાય. તે વખતે તેમ સ્વીકારીએ તો, ધ્યાન-ધ્યેય=ધ્યાનની ક્રિયા અને ધ્યેય એવા પરમાત્મા, ગુરુશિષ્ય તેનો શો ખપ થાય? અર્થાત્ કોઈ ખપ થાય નહીં. ઇમ=એમ સ્વીકારીએ તો=શુદ્ધ નિશ્ચયનયની એકાંત દષ્ટિથી ધ્યાન-ધ્યેય, ગુરુ-શિષ્યનો ખપ નથી એમ સ્વીકારીએ તો, સર્વ શાસ્ત્રવ્યવહાર ફોક થઈ જાય. વળી, શુદ્ધ એવો આત્મા હોય તો અવિદ્યાની નિવૃત્તિથી પણ તેનો શો ઉપકાર થાય ? અર્થાત્ કોઈ ઉપકાર થાય નહીં. તે માટે=સર્વ શાસ્ત્રવ્યવહાર અને ધ્યાન-ધ્યેય, ગુરુ-શિષ્ય આદિ સર્વ વસ્તુ સંગત છે અને અવિધાની નિવૃત્તિથી સંસારી જીવોને ઉપકાર થાય છે તે માટે, અલવણવાળી રાબ છે' એની જેમ ‘અચેતન આત્મા’ એમ પણ કથંચિત્ કહીએ. ll૧૨/રા