SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧ ગાથા-૮ કેમ ઘટે નહીં ? તેથી કહે છે ચણુકનું કારણ એવું જે પરમાણુરૂપ દલ છે તેની કાર્યરૂપતાની પરિણતિ છે=ચણુકાદિરૂપે પરિણતિ છે, તેમ સ્વીકારીએ તો પરમાણુમાં દ્વચણુકરૂપ અર્થને કરનારી ક્રિયા ઘટે અને તેમ સ્વીકારીએ તો કથંચિત્ ઉત્પન્નપણું જ આવેતે પરમાણુઓ પરમાણુભાવને છોડીને ચણુભાવરૂપે ઉત્પન્ન થયા અને તે પરમાણુભાવરૂપે રહેલું દ્રવ્ય તે દ્રચણુકભાવમાં અનુગત છે તેમ પ્રાપ્ત થાય. જો આમ સ્વીકારીએ તો પરમાણુ સર્વથા નિત્ય છે એમ સ્વીકારી શકાય નહીં, પરંતુ કથંચિત્ નિત્ય સ્વભાવવાળો છે તેમ સિદ્ધ થાય જ્યારે નૈયાયિક કહે છે કે, પરમાણુ આદિમાં સર્વથા અનિત્યપણું છે, તે વિઘટન પામે છે. જો નૈયાયિક એમ કહે કે, કારણ તે નિત્ય જ છે અને તવૃત્તિ કાર્ય તે અનિત્ય જ છે અર્થાત્ બે ભિન્ન પરમાણુરૂપ કારણ નિત્ય જ છે અને તે બે પરમાણુઓમાં દ્રચણુકરૂપ કાર્ય ઉત્પન્ન થયું તે અનિત્ય જ છે, તેથી કારણ એવા પરમાણુને નિત્ય સ્વીકારી શકાશે અને કાર્ય એવા ચણુકને અનિત્ય જ સ્વીકારી શકાશે. તેથી પરમાણુમાં એકાંત નિત્ય સ્વભાવ છે અને હ્રચણુકમાં એકાંત અનિત્ય સ્વભાવ છે તેમ સ્વીકા૨વામાં વિરોધ નથી, એ પ્રમાણે નૈયાયિક કહે તો, ગ્રંથકારશ્રી કહે છે – ટક કાર્ય અને કારણ વચ્ચે અભેદ સંબંધ કેવી રીતે ઘટે ? અર્થાત્ ઘટે નહીં. આશય એ છે કે, પરમાણુભાવરૂપે રહેલ દ્રવ્યમાં જ ૫૨માણુભાવનો નાશ થાય છે અને ચણુકભાવ પ્રગટ થાય છે તેમ સ્વીકા૨વામાં આવે તો પરમાણુભાવમાં વિદ્યમાન એવું કારણ જ ચણુકભાવરૂપે પરિણમન પામ્યું એમ સિદ્ધ થાય. તેથી પરમાણુભાવથી અભિન્ન એવું દ્રવ્ય જ હ્રચણુકરૂપે થયું માટે પરમાણુરૂપ કારણ અને દ્વચણુકરૂપ કાર્ય વચ્ચે અભેદ સંબંધ સંગત થાય અને તેમ સ્વીકારીએ તો, પદાર્થ દ્રવ્યરૂપે નિત્ય સ્વભાવવાળો છે અને પર્યાયરૂપે અનિત્ય સ્વભાવવાળો છે એમ સિદ્ધ થાય. અહીં નૈયાયિક કહે કે, કાર્ય અને કા૨ણ વચ્ચે અભેદ સંબંધ નથી પરંતુ ભેદ સંબંધ જ છે તેથી બે ભિન્ન પરમાણુરૂપ કારણો નિત્ય જ છે અને તેમાં સમવાય સંબંધથી ચણુકરૂપ કાર્ય ઉત્પન્ન થયું છે તે અનિત્યસ્વભાવવાળું છે તેથી નિત્ય અન્ય બે વસ્તુ છે અને અનિત્ય અન્ય વસ્તુ છે અર્થાત્ નિત્ય બે ભિન્ન પરમાણુઓ છે અને અનિત્ય તે બે પરમાણુમાં સમવાય સંબંધથી રહેલો દ્વચણુક છે તેથી બે પરમાણુઓ અને હ્રચણુક વચ્ચે અનુગત કોઈ ધ્રુવ દ્રવ્ય નથી જેથી સ્યાદ્વાદી બે પરમાણુઓ જ ચણકરૂપે પરિણમન પામ્યા એમ કહીને દ્રવ્યને ધ્રુવ કહે છે અને ૫૨માણુભાવનો નાશ થયો અને હ્રચણુકભાવ ઉત્પન્ન થયો તેમ કહીને કાર્યકારણભાવ વચ્ચે અભેદ સંબંધ છે એમ જે કહે છે તે સંગત નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે - જો નૈયાયિક બે પરમાણુને એકાંત નિત્ય સ્વીકારે છે અને તે બે પ૨માણુથી અતિરિક્ત તે બે પરમાણુમાં ચણુક ઉત્પન્ન થાય છે તથા તે દ્વચણુક ભિન્ન એવા સમવાય સંબંધથી પરમાણુમાં રહેલો છે તેમ માને તો, તે બે પરમાણુ વચ્ચે સમવાયરૂપ સંબંધ કયા સંબંધથી ૨હેલો છે ? અને ચણુક સાથે કયા સંબંધથી રહેલો છે ? તે પ્રકા૨ના સંબંધાંતરની ગવેષણા કરવી પડે; કેમ કે બે પરમાણુમાં ચણુકને રાખવા માટે તે બે પરમાણુ અને ચણુકથી ભિન્ન એવો સંબંધ જો નૈયાયિક સ્વીકારે તો, તે સમવાયને બે પરમાણુમાં રાખવા માટે અને હ્રચણુકમાં રાખવા માટે નવા સંબંધની કલ્પના નૈયાયિકને ક૨વી પડે. વળી, જે નવો સંબંધ
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy