________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧, ગાથા-૮
ગાથા :
જો નિત્યતા ન છઈ તો, અન્વય વિના ન કારય હોવઈ જી, કારયકાલે અછતું કારણ, પરિણતિરૂપ વિગોવાઈ જી; અનિત્યતા જ નહીં સર્વથા, અર્થક્રિયા તો ન ઘટઈ જી,
દલનિં કારણરૂપ પરિણતિ, અનુત્પન્ન તો વિઘટઈ જી. I૧૧/૮ ગાથાર્થ :
જો નિયતા નથી=દેખાતા પદાર્થમાં નિયતા નથી, તો અન્વય વગર નિત્યકારૂપ અન્વય વગર, કાર્ય થાય નહીં.
કેમ નિત્યતા વગર કાર્ય થાય નહીં ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
કાર્યકાળમાં કારણ અછતું છે=જો પદાર્થને નિત્ય ન સ્વીકારવામાં આવે અને એકાંતે અનિત્ય સ્વીકારવામાં આવે તો નિત્યતા નહીં હોવાને કારણે ઉત્તરના કાર્યકાળમાં પૂર્વાણનું કારણ અછતું છે, તેથી પરિણતિરૂપ વિગોપન થાય છે=કારણની પરિણતિરૂપ કાર્ય છે તેનો અપલાપ - થાય છે.
જો સર્વથા અનિયતા નથી તો અર્થક્રિયા ઘટે નહીં *દરેક પદાર્થો કોઈક સ્વરૂપે થવારૂપ અર્થક્રિયા કરે છે તે ઘટે નહીં. જેમ માટી જ ઘટરૂપે થાય છે ત્યારે તે પ્રકારની કોઈક ક્રિયા * માટીમાં થાય છે તે ઘટે નહીં.
કેમ અર્થક્રિયા ઘટે નહીં ? તેથી કહે છે –
દલની કાર્યરૂપ પરિણતિ સ્વીકારીએ તો અનુત્પન્ન વિઘટઈ=સર્વથા અનુયાપણું ઘટે નહીં. ll૧૧/૮ ટબો:
જ નિત્યતા નથી અનઈ એકાંત ક્ષણિક જ સ્વલક્ષણ છઈ તો, કારણના અન્વય વિના કાર્ય ન નીપજë. જે માર્ટિ કારણક્ષણ કાર્યક્ષણોત્પત્તિકાલઈ નિર્દેતુકનાશ અનુભવતો અછતો કઈં, તે કાર્યક્ષણપરિણતિ કિમ કરઈ? અછતઈં કારણક્ષણ કાર્યક્ષણ કરશું, તો ચિરનષ્ટકારણથી અથવા અનુત્પન્ન કારણથી કાર્ય નીપનું જઈઈ. ઈમ તો, કાર્યકારણભાવની વિડંબના થાઈ. “અવ્યવહિત જ કારણક્ષણ કાર્યક્ષણ કરઈં” ઈમ કહિઈ, તઈ, રૂપાલોકમનસ્કારાદિકનઈં વિષઈ ઉપાદાન, આલોકાદિકનઈં વિષ નિમિત્ત, એ વ્યવસ્થા કિમ ઘટઈ? જે માટØ અન્વથ વિના શક્તિમાત્રઈ ઉપાદાનતા નિમિતમાંહિં પણિ કહી સકાઈ, તે માટઈં ઉપાદાન તે અન્વથી માનવું, અવકિપણું તે જ નિત્ય સ્વભાવ.