SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ ઢાળ-૯ | ગાથા-૧૧-૧૨ થયો નથી અને નાશ પણ થયો નથી પરંતુ અવસ્થિત છે તેથી કહેવાય છે “મૃતૂપે ઘટો અવસ્થિતઃ ” વળી, ઘટ ઉત્પન્ન થયા પછી બીજી આદિ ક્ષણમાં અવસ્થિત ઘટને જોઈને કહેવાય કે, સ્વાતું ઘટ ઉત્પન્ન થયેલ છે.” સ્યા પિંડપર્યાય નાશ પામેલ છે.” સ્માત મૃદ્રવ્ય અવસ્થિત છે.” આને સામે રાખીને ઘટની બીજી આદિ ક્ષણમાં વચનપ્રયોગ થાય છે કે પદો પટોળ ઉત્પનઃ | ધરો પિંડળ નE: I; “કેમ કે ઘટ ઘટ સ્વરૂપે પૂર્વની ક્ષણોમાં ઉત્પન્ન થયેલો છે અને પિંડરૂપ અવસ્થામાં દ્રવ્યરૂપે ઘટ વિદ્યમાન હતો, તે, ઉત્પત્તિક્ષણમાં નાશ પામે છે અને બીજી આદિ ક્ષણમાં નાશ પામેલો છે માટે પિંડરૂપે જેમ ઘટ પ્રથમ ક્ષણમાં નથી તેમ બીજી આદિ ક્ષણમાં પણ નથી અને તે વખતે મૃદ્ધવ્યરૂપે ઘટ ઉત્પન્ન થયો નથી અને નાશ પણ થયો નથી પરંતુ અવસ્થિત છે તેથી કહેવાય છે કે “કૃતૂપેન પદો અવસ્થિતઃ ” વળી, જે માટીના પિંડમાંથી ઘટ ઉત્પન્ન થવાનો છે તેને જોઈને કહેવાય છે કે, “સ્માતુ ઘટ ઉત્પન્ન થશે.” “ચાતું પિંડપર્યાય નાશ પામશે.” સ્થાત્ મૃદ્રવ્ય અવસ્થિત રહેશે.' આને સામે રાખીને વચનપ્રયોગ થાય છે કે, “ધર પટરૂપે ઉત્પસ્તા પર પિંડરૂપેળ નક્શતા” આથી જ કુંભારને કોઈ પૂછે ત્યારે તે કહે છે કે “દસ દિવસ પછી ઘટ ઉત્પન્ન થશે અને પૃચ્છાકાળમાં “પિંડરૂપે અત્યારે ઘટ છે અને દસ દિવસ પછી પિંડરૂપે નાશ પામશે” એમ કહેવાય છે અને દસ દિવસ પછી જ્યારે ઘટ ઉત્પન્ન થશે ત્યારે પણ મૃદુરૂપે અવસ્થિત રહેશે તેથી કહેવાય છે કે “કૃપા પટો અવસ્થિતઃ ભવિષ્યતિ ” II/૧૧ના અવતરણિકા - ગાથા-૧૧માં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે, ઋજુત્રાયરૂપ પર્યાયાર્થિકનયથી અનુગૃહીત એવાં વ્યવહારનયને આશ્રયીને ઉત્પત્તિ-નાશનો અનુગમ સ્વીકારવામાં આવે તો ‘ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન થયેલું છે, ઉત્પન્ન થશે, નાશ થાય છે, તાશ થયેલું છે, નાશ થશે,' એ પ્રકારના ત્રણ પ્રયોગની સંગતિ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય પ્રતિક્ષણ સ્વીકારવાથી થઈ શકે છે. આ પ્રમાણે સ્યાદ્વાદીના મતાનુસાર ત્રણે કાળનો પ્રયોગ ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યો. ત્યાં તૈયાયિક જે તે ત્રણે પ્રયોગની અનુત્પતિ બતાવે છે તે તૈયાયિકની અનુત્પત્તિ બતાવીને તૈયાયિકને જ અભિમત યુક્તિ અનુસાર ઘટ નાશ પામીને મુગટ ઉત્પન્ન થાય છે તે સ્થાનમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય કઈ રીતે સ્વીકારી શકાય છે, અને ‘ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન થયેલું છે, ઉત્પન્ન થશે, નાશ થાય છે, નાશ થયેલું છે, નાશ થશે એ પ્રકારના ત્રણ પ્રયોગની સંગતિ સ્યાદ્વાદના મતે કઈ રીતે થઈ શકે છે તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
SR No.022385
Book TitleDravya Gun Paryayno Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages426
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy