SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧] ઢાળ-૮| ગાથા-૧૧ ૨૬૧ ટબો: હિવઇં, ઈમ કહો જે-ગર્પિતાનર્ષિતસિડ' ૫. ઈત્યાદિ તત્ત્વાર્થ સૂત્રાદિકમાંહિ, જેઅર્પિત-અનર્પિતનય કહિયા છ0;-ક્ત અર્પિત-કહતાં-વિશેષ કહિઍ. અનપિંત-કહતાંસામાન્ય કહિઈ. અનર્પિત-સંગ્રહમાંહિ ભિલઈ, અર્પિત-વ્યવહાદિક વિશેષનામાંહિં ભિલઈ, તેં આદિ-અંત કહતાં-પહિલા-પાછિલા નયના થોકડાં માંહિ એહ દ્વવ્યાર્થિકપર્યાયાશ્ચિકન કિમ નથી “લતાં ? જિમ-સાત જ ભૂલના કહવાઈ છઈ, તે વચન સુબદ્ધ રહઈ. JI૮/૧ ટબાર્થ : હવે એમ કહેશો, જે=“અર્પિત દ્વારા અનધિતની સિદ્ધિ હોવાથી” એ પ્રકારના વગેરે તત્વાર્થ સૂત્ર' આદિમાં જે અર્પિત-અતપિતનય કહ્યા છે તે, અર્પિત કહેતાં વિશેષ કહીએ અર્થાત્ જે ધર્મની અર્પણા કરી તે ધર્મ વિશેષ કહેવાય અને અર્પિત કહેતાં સામાન્ય કહીએ અર્થાત્ જે ધર્મની અાપણા કરી તે સર્વ ધર્મ સામાન્ય કહેવાય તેથી અતપિત ધર્મો સંગ્રહમાં ભળે=સંગ્રહાયમાં અંતર્ભાવ પામે અને અર્પિત ધર્મો વ્યવહારાદિ વિશેષમાં ભળે=વ્યવહારાદિ તયમાં અંતર્ભાવ પામે, તો=આ પ્રમાણે દિગંબરો કહે તો, ગ્રંથકારશ્રી કહે છે – આદિઅંત કહેતાં પહેલાં અને પાછળના નયના થોકડામાં એ દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકાય કેમ ભળતા નથી ?=આદિના ત્રણ નયના થોકડામાં દ્રવ્યાર્થિકનય અને પાછળના ચાર વયના થોકડામાં પર્યાયાધિકાય કેમ ભેગા કરતાં નથી ? જેમ સાત જ મૂળ નય કહેવાય છે, તે વચન સુબદ્ધ રહે. પ૮/૧૧II ભાવાર્થ : પૂર્વમાં ગ્રંથકારશ્રીએ દિગંબરોને ૧૧ નય સ્વીકારવાની આપત્તિ આપી ત્યાં દિગંબર તરફથી કોઈક કહે કે, અર્પિત-અનર્પિતની સિદ્ધિ હોવાથી=અર્પિતનય દ્વારા નિર્મિતનયની સિદ્ધિ હોવાથી, પદાર્થ અનંતધર્માત્મક છે તેમ તત્ત્વાર્થસૂત્રમાં કહેલ છે તેથી અર્પિત અને અનર્પિતનય તત્ત્વાર્થસૂત્રના વચનથી કે અન્ય શાસ્ત્રોનાં અન્ય વચનોથી સિદ્ધ થાય છે તોપણ, તે બે નયોને સાત નયોમાં અંતર્ભાવ કરી શકાય છે; કેમ કે જે ધર્મની અર્પણા કરવામાં આવે તે વિશેષ કહેવાય અને જે ધર્મની અનર્પણા કરવામાં આવે તે સામાન્ય કહેવાય. આશય એ છે કે, જે ધર્મની અર્પણ કરવામાં આવે તે ધર્મ પદાર્થમાં રહેલા અન્ય ધર્મો કરતાં વિશેષરૂપે ઉપસ્થિત થાય છે માટે વિશેષ કહેવાય છે અને બાકીના સર્વ ધર્મો પ્રત્યેકરૂપે વિશેષથી ઉપસ્થિત થતા નથી પરંતુ “આ વિશેષ ધર્મ સિવાયના અન્ય સર્વ ધર્મો છે' એ રૂપે સામાન્યથી ગ્રહણ થાય છે એથી અર્પિત ધર્મને વિશેષ કહેવાય છે અને અનર્પિત કહેવાથી અન્ય સર્વ ધર્મોને સામાન્ય કહેવાય છે. તેથી અનર્પિત ધર્મો સંગ્રહમાં ભળે છે; કેમ કે સામાન્યથી અન્ય સર્વ ધર્મોનો સંગ્રહ છે અને અર્પિતનય
SR No.022385
Book TitleDravya Gun Paryayno Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages426
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy