SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦. દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૩| ગાથા-૧૫ ટબાર્થ : ભેદ=દ્રવ્યગુણપર્યાયનો ભેદ, તૈયાયિક બોલે છે, જે માટે તે અસત્કાર્યવાદી છે. સાંખ્ય, તે અભેદાયને પ્રકાશે છે. જે-તે બેઉ નયને સ્યાદ્વાદે કરીને વિસ્તારતો ભલા યશના વિકાસને પામે છે. બેઉ નયને વિસ્તારતો જૈન કેમ ભલા યશના વિલાસને પામે છે ? તેથી કહે છે – જે માટે પક્ષપાતી બેઉ નયતૈયાયિકનો ભેદ નય અને સાંખ્યનો અભેદ નય, માંહોમાંહે=પરસ્પર, ઘસાતા=એકબીજાથી નિરાકરણ કરાતા, અપક્ષપાતી એવાં સ્વાદ્વાદીનો જ=બેઉ નય પ્રત્યે પક્ષપાત વગરના એવાં સ્યાદ્વાદીનો જ, સ્થિતપક્ષ દીપે છે=બેઉ નયને સ્વીકારવારૂપ સ્થિત પક્ષ દીપે છે. દં ર અને કહેવાયું છે – “અજોડચપક્ષપ્રતિપક્ષમાવા=અન્યોન્ય પક્ષ-પ્રતિપક્ષભાવને કારણે=તે તે નય પર ચાલનારા તે તે દર્શન વચ્ચે અન્યોન્ય પક્ષ-પ્રતિપક્ષ હોવાને કારણે, યથા પરે=જે પ્રમાણે પર અર્થાત્ અન્ય દર્શનવાળા, મેરિણ: પ્રવાતા =મત્સરિ પ્રવાદો છે–પોતાનાથી ભિન્ન દર્શનો પ્રત્યે દ્વેષવાળાં દર્શનો છે, તથા તે સમય અને તારો સમય=ભગવાનનો સિદ્ધાંત, નયાનશેષાવિશેષમચ્છ-અશેષ નયોને અર્થાત્ બધા વયોને, અવિશેષ સ્વીકારતો, પક્ષપાતી પક્ષપાતી નથી કોઈ નય પ્રત્યે પક્ષપાતવાળો નથી." [૩૦ગા. તથા=અને – u gવ વિન=જે જ ખરેખર, નિત્યવારે રોણા =નિત્યવાદમાં દોષો છે. તે પર્વ=તે જ, વિનાશિવારેડપિક વિનાશીવાદમાં પણ=અનિત્યવાદમાં પણ, સમ=સમાન છે નિન != જિન, તે શાસન તમારું શાસન, પરસ્પરäસિપુ =પરસ્પર ધ્વંસ કરનારા કાંટાઓમાં, અસ્પૃષ્ય ગતિ=નહીં ઘસાતું, જય પામે છે.” રા. (કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય કૃત અવ્યયોગવચ્છેદક દ્વાáિશિકા) ૩/૧પો ભાવાર્થ : પ્રસ્તુત ઢાળમાં દ્રવ્યગુણપર્યાયનો અભેદ સ્થાપન કર્યો અને તેની પૂર્વની ઢાળમાં દ્રવ્યગુણપર્યાયનો ભેદ સ્થાપન કરેલ, તેથી એ ફલિત થયું કે, ભગવાનનું શાસન દ્રવ્યગુણપર્યાયનો કોઈક દૃષ્ટિથી ભેદ સ્વીકારે છે અને કોઈક દૃષ્ટિથી અભેદ સ્વીકારે છે. વળી, જે દૃષ્ટિથી ભેદ સ્વીકારે છે તે દૃષ્ટિથી ભગવાનનું શાસન અસત્કાર્યવાદી છે અર્થાત્ અસતું જ વસ્તુ ઉત્પન્ન થાય છે તેમ સ્વીકારે છે અને જે દૃષ્ટિથી દ્રવ્યગુણપર્યાયનો અભેદ સ્વીકારે છે તે દૃષ્ટિથી ભગવાનનું શાસન સત્કાર્યવાદી છે અર્થાત્ સત્ જ વસ્તુ ઉત્પન્ન થાય છે તેમ સ્વીકારે છે. આ રીતે બે ઢાળો દ્વારા સ્થિતપક્ષ સ્થાપન થયો. તેથી હવે ભેદપક્ષ અને અભેદપક્ષ માનનારા કોણ છે તે બતાવતાં કહે છે – નૈયાયિક દર્શન દ્રવ્યગુણપર્યાયનો ભેદ માને છે. કેમ ભેદ માને છે તે બતાવતાં કહે છે – નૈયાયિક અસત્કાર્યવાદી છે. તેથી જ્યારે દ્રવ્ય હતું ત્યારે પર્યાયરૂપ કાર્ય ન હતું અને સામગ્રીથી અસતું એવું પર્યાય ઉત્પન્ન થાય છે, જે દ્રવ્યથી જુદું છે અને દ્રવ્યમાં સમવાય સંબંધથી રહે છે એમ નયાયિક માને છે.
SR No.022385
Book TitleDravya Gun Paryayno Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages426
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy