SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૩ | ગાથા-૧૫ ૧૦૯ કહી. જે માટે ભેદનય પક્ષનું અભિમાન અભેદનય ટાળે છે. હવે ભેદનય અને અભેદનય – એ બંને નયના સ્વામી દેખાડીને સ્થિતપક્ષ કહે છે - ભાવાર્થ: ગ્રંથકારશ્રી સ્યાદ્વાદને માનનારા છે, આમ છતાં બીજી ઢાળમાં દ્રવ્યગુણપર્યાયનો ભેદ બતાવ્યો. ત્યારપછી તેના ઉપર ત્રીજી ઢાળમાં દ્રવ્યગુણપર્યાયનો અભેદ બતાવ્યો. ત્યાં પ્રશ્ન થાય કે, દ્રવ્યગુણપર્યાયનો ભેદ બતાવ્યા પછી અભેદપક્ષ કેમ બતાવ્યો ? તેથી કહે છે કે તેમ બતાવવાથી ભેદપક્ષનું અભિમાન અભેદપક્ષ ટાળે છે. તેથી એકાંત ભેદપક્ષ પણ અભિમાન વગરનો બને છે અને અભેદપક્ષ પણ ગ્રંથકારશ્રીને એકાંતે ઇષ્ટ નથી. ફક્ત ભેદપક્ષના અભિમાનને ટાળવા માટે અભેદ પક્ષ ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ઢાળમાં બતાવેલ છે. હવે ભેદનયને માનનારા કોણ છે અને અભેદનયને માનનારા કોણ છે તે બતાવીને ઉભયનયને માનનાર એવો સ્થિતપક્ષ બતાવે છે – ગાયા : ભેદ ભણઇ નડ્યાવિો જી, માંહ્ય અભેદ પ્રકાશ; નન ઉભય વિસ્તારતો જી, પામઇ સુનસ વિલાસ રે. ભવિકાo Il૩/૧૫ll ગાથાર્થ ઃ નૈયાયિક ભેદ ભણે છે=કહે છે, સાંખ્ય અભેદનું પ્રકાશ કરે છે. જૈન ઉભયને=ભેદાભેદને, વિસ્તારતો સુયશના વિલાસને પામે છે. II૩/૧૫।। ટબો ઃ ભેદ તે નૈયાયિક ભાષઈ, જે માટઈં તે અસત્કાર્યવાદી છઈ. સાંખ્ય તે અભેદનથ પ્રકાશઈ છઈ. જઈન તે બહુ નય સ્યાદ્વાદઈ કરીનઈં વિસ્તારતો ભલા યશનો વિલાસ પામઈ, જે માર્ટિ પક્ષપાતી બેહુ નય માંહોમાંહિ ઘસાતાં, સ્થિતપક્ષ અપક્ષપાતીસ્યાદ્વાદીનો જ દીપઈ. ૐ ચ 'अन्योऽन्यपक्षप्रतिपक्षभावाद् यथा परे मत्सरिणः प्रवादाः । नयानशेषानविशेषमिच्छन् न पक्षपाती समयस्तथा ते" ।। ३० ।। '' तथा "य एव दोषाः किल नित्यवादे, विनाशिवादेऽपि समास्त एव । પરસ્પરભ્રંસિપુ ટપુ, નવત્યવૃષ્ય નિન! શાસન તે” રદ્દ।। (શિવાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રાચાર્ય ત-અન્યયો વ્યવછે દ્વાત્રિંશિા) ||૩/૧૫||
SR No.022385
Book TitleDravya Gun Paryayno Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages426
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy