SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ o ૬/૭ २५२८ * प्रायोग्यलब्धिसहकारेण सूक्ष्मभेदविज्ञानगोचरा परिपक्वपरिणतिः निजशुद्धात्मगोचरं परोक्षं बोधम् उपलभ्य निजशुद्धात्मतत्त्वप्रकटीकरणाऽऽशय-सङ्कल्पादिकम् उपजायते। પ્ તતો 'નિનશુદ્ધાત્મસ્વરૂવિવારા- વિનિશ્વય- શ્રદ્ધા- રુચિ- પ્રીતિ- ‘ત્તિ- પ્રળિયાન- ધારા- ધ્યાનાવો पौनःपुन्येन प्रयतते। तच्च परिणमति आसन्नभव्यात्मनि एव, न त्वभव्य - दूरभव्यादौ । ३ X ७ . आसन्नभव्यस्य तु धैर्य-शान्तिपूर्वं देहादिभिन्ननिजात्मतत्त्वप्रतीत्या तत्स्वरूपेण तादृशनिजात्मतत्त्वे निजोपयोगः स्वरसतो लीयते । इत्थं सूक्ष्मं तात्त्विकं परिपक्वञ्च भेदविज्ञानं विशुद्धपरिणतिस्वरूपं र्श सम्पद्यते । अतीन्द्रियम् अपरोक्षम् आंशिकं निजशुद्धचैतन्यं प्रादुर्भवति । " ज्योतिर्मयीव दीपस्य क्रिया सर्वाऽपि चिन्मयी” (ज्ञा.सा. १३/८) इति ज्ञानसारोक्तिः इत एव प्रारम्भरूपेण लब्धाधिकारा मन्तव्या । अतः ध्यानाद्युत्तरकाले निजशुद्धस्वरूपानुसन्धानं मनसा स नैव मुञ्चति, कायेन अन्यत्र प्रवर्त्तनेऽपि । णि तत्प्रभावेण निजद्रव्य-गुण-पर्यायाः आशु शुद्धस्वरूपेण सानुबन्धतया च परिणमन्ति । का “स्वबोधादपरं किञ्चिन्न स्वान्ते क्रियते परम् । कुर्यात् कार्यवशात् किञ्चिद् वाक्- कायाभ्यामनादृतः।।” ( ध्या.दी. १७८) इति सकलचन्द्रोपाध्यायकृतध्यानदीपिकाकारिकातात्पर्यार्थ इह लब्धावसरो विज्ञेयः । દ્વારા અનંત આનંદમય, અનંત શક્તિમય, અનંત જ્ઞાનાદિમય પોતાના શુદ્ધ આત્માનો પરોક્ષ બોધ મેળવીને પોતાના તેવા શુદ્ધાત્માને ઝડપથી પ્રગટ કરવાનો ભાવ-આશય-પરિણામ-સંકલ્પ વગેરે સાધકમાં ઉત્પન્ન થાય છે. તેથી સાધક ગુરુવાણી દ્વારા જાણેલ શુદ્ધ આત્મસ્વરૂપની વારંવાર (૧) વિચારણા, (૨) વિનિશ્ચય, (૩) શ્રદ્ધા, (૪) રુચિ, (૫) પ્રીતિ, (૬) ભક્તિ ઉપાસના, (૭) પ્રણિધાન, (૮) ધારણા, (૯) ધ્યાનપ્રક્રિયા વગેરેમાં પ્રકૃષ્ટ ઉદ્યમ કરે છે. પરંતુ તેવી વિચારણા, વિનિશ્ચય, શ્રદ્ધા વગેરે આસન્નભવ્ય આત્મામાં જ પરિણમે છે. જો તે સાધક અભવ્ય કે અચરમાવર્તી દૂરભવ્ય વગેરે હોય તો તેનામાં તેવું પરિણમન થતું નથી. તે ત્યાં અટકી જાય છે કે પાછો વળે છે. # સુ al (ઞાત.) જ્યારે આસન્નભવ્ય આત્માને તેવા પરિણમન પછી ધીરજ અને શાંતિપૂર્વક ‘હું દેહ-ઈન્દ્રિય -મન વગેરેથી ભિન્ન આત્મતત્ત્વ છું’ - આવો અંદરમાં અહેસાસ થવાથી તે સ્વરૂપે પોતાના જ આત્મતત્ત્વમાં તેનો ઉપયોગ સ્વરસથી સહજપણે લીન બને છે. આ રીતે સૂક્ષ્મ, તાત્ત્વિક અને પરિપક્વ ભેદવિજ્ઞાન એ વિશુદ્ધપરિણતિસ્વરૂપ બને છે. અતીન્દ્રિય, અપરોક્ષ એવું પોતાનું શુદ્ધ ચૈતન્ય આંશિક રીતે પ્રબળપણે પ્રગટે છે. ‘દીવાની જ્યોત જેમ પ્રકાશમય હોય છે, તેમ સાધકની ક્રિયા જ્ઞાનમય હોય છે, ચૈતન્યરસથી વણાયેલી હોય છે' - આ મુજબ જ્ઞાનસારમાં જે જણાવેલ છે, તેનો આંશિક પણ તાત્ત્વિક શુભારંભ અહીંથી જ થાય છે – તેમ જાણવું. આગળની દશામાં તેનો વિકાસ થતો જાય છે. ધ્યાનાદિ ક્રિયા ચૈતન્યમય થવાના લીધે ધ્યાનાદિ સમાપ્ત થયા પછી પણ તે પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું અનુસંધાન મનથી નથી જ મૂકતા, ભલે ને કાયાથી બીજા પ્રયોજનમાં તે પ્રવર્ત્તતા પણ હોય. આવી બળવાન પ્રયોગલબ્ધિના પ્રભાવથી પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયો અત્યંત ઝડપથી અને સાનુબંધપણે શુદ્ધસ્વરૂપે પરિણમતા જાય છે. ♦ માત્ર નિજશુદ્ધસ્વરૂપને જાણીએ-માણીએ (“સ્વ.) શ્રીસકલચન્દ્ર ઉપાધ્યાયજીએ ધ્યાનદીપિકામાં જણાવેલ છે કે ‘પોતાના શુદ્ધ સ્વરૂપને જાણવું. એ સિવાય બીજું કંઈ પણ પોતાની અંદર ન કરાય. પરંતુ પ્રયોજનવશ બીજું કંઈ વાણીથી કે કાયાથી સાધક કરે તો પણ તેમાં આદરભાવે તે ભળે નહિ.' આ વચનના તાત્પર્યાર્થને અહીં ચરિતાર્થ = કૃતાર્થ
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy