SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨/૩ • अनेकस्वभावमिथ्यात्वविमर्शः 0 १९७७ एकस्यैवाऽनेकस्वभावे सति एकत्वभानं प्रति विभिन्नद्रव्य-गुणादिषु पदार्थानुगमलक्षणस्य देशान्वयस्यापेक्षितत्वात् । न हि अनेकस्वभावशालिनो वस्तुन एकत्वम् अन्वयद्रव्यार्थिकनयाद् विना ग्रहीतुं ५ शक्यते। तथाहि - वस्तुत्वावच्छिन्नस्य स्वद्रव्य-गुण-पर्यायात्मकतया स्वद्रव्यादौ तदस्तित्वं वर्तते। रा अत एव 'मृण्मयं नीलं नवीनं घटवस्तु' इत्येवं यथाक्रमं स्वद्रव्य-गुण-पर्यायरूपेण एकमेव वस्तु म अनेकस्वभावतया ज्ञायते । इत्थं सर्वत्र एकस्मिन्नेव हि वस्तुनि तस्य अनेकस्वभावग्रहणपरतया अनेकस्वभावोपेतेषु स्वद्रव्य-गुण-पर्यायलक्षणेषु एकवस्त्वन्वयेऽभिप्रेते सति पूर्वोक्तः (५/१६) अन्वयद्रव्यार्थिकः प्रवर्तते, तस्य तथास्वभावत्वाद् इति भावनीयम् । प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - यथा मृत्तिकायाः श्याम-रक्तादिगुणमुखेन मृत्पिण्ड-स्थासणं -कोश-कुसूल-शिवक-कपाल-घटादिपर्यायद्वारा चानुभूयमानत्वे अन्वयद्रव्यार्थिकदृष्ट्या अनेकस्वभावः का सत्यार्थतया भासते तथाऽपि सर्वगुण-पर्यायेषु अस्खलन्तम् एकं मृत्तिकाद्रव्यस्वभावम् उपेत्य मृत्तिकाया પ્રત્યે દેશાન્વય = વિભિન્ન દ્રવ્ય-ગુણાદિમાં વસ્તુનો અનુગમ અપેક્ષિત છે. અનેકસ્વભાવવાળી એક જ વસ્તુમાં એકત્વનું ભાન ક્યારેય પણ અન્વયદ્રવ્યાર્થિક નય વિના શક્ય જ નથી. તે આ રીતે – પ્રત્યેક વસ્તુ સ્વદ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક હોવાથી સ્વદ્રવ્યમાં, સ્વગુણમાં અને સ્વપર્યાયમાં તેનું અસ્તિત્વ રહેલું છે. તેથી જ સ્વદ્રવ્યસ્વરૂપે, સ્વગુણસ્વરૂપે તથા સ્વપર્યાયસ્વરૂપે એક જ વસ્તુનું જ્ઞાન લોકોને થાય છે. તે આ પ્રમાણે – “આ મૃણમય નીલ નૂતન ઘટવસ્તુ છે' - આ પ્રમાણે લોકોને પ્રતીતિ થાય છે. “મૃમ્ભય ઘટ’ અહીં ઘટ સ્વદ્રવ્યાત્મક જણાય છે. “નીલ ઘટ’ - આ પ્રતીતિમાં ઘટ સ્વગુણસ્વરૂપે સિદ્ધ થાય છે. “નૂતન ઘટ’ - અહીં ઘડો સ્વપર્યાયરૂપે નિશ્ચિત થાય છે. મતલબ કે એક જ વસ્તુ અનેકસ્વભાવરૂપે છે અન્વયદ્રવ્યાર્થિક દ્વારા જણાય છે. આ રીતે સર્વત્ર એક જ વસ્તુમાં અનેક સ્વભાવનું ગ્રહણ (= જ્ઞાન) કરવામાં અન્વયદ્રવ્યાર્થિક નય તત્પર હોવાથી અનેકસ્વભાવયુક્ત સ્વદ્રવ્ય-ગુણ-પર્યાયસ્વરૂપ વિભિન્ન . દેશોમાં એક વસ્તુનો અન્વય = દેશાન્વય અભિપ્રેત હોય તો પૂર્વે (૫/૧૬) જણાવેલ અન્વયદ્રવ્યાર્થિક નય પ્રવર્તે છે. કારણ કે અન્વયદ્રવ્યાર્થિક નય અનેકસ્વભાવવાળી વસ્તુમાં એકત્વનું ભાન કરાવીને : વસ્તુના અનેકસ્વભાવને જણાવવાના સ્વભાવને ધારણ કરે છે. “માટીનો લાલ વર્ણ, માટીનો કાળો વર્ણ, માટીનું કોડિયું, માટીનું ઠીકરું, માટીનો ઘડો...' ઇત્યાદિ સ્વરૂપે અન્વયંદ્રવ્યાર્થિક નય માટીનો સર્વત્ર અનુગમ કરીને એક જ માટીમાં જુદા-જુદા સ્વભાવને દેખાડે છે. તથા જુદા-જુદા વિવક્ષિત ગુણ -પર્યાયોમાં દ્રવ્યની એકતાને તે જણાવે છે. આ રીતે અહીં ઊંડાણથી વિચારવું. - દ્રવ્યાર્થિકનયની વિચારણા નિર્વિકલ્પદશાને પ્રગટાવે છેઆધ્યાત્મિક ઉપનય :- માટીનો શ્યામ-રક્ત વગેરે ગુણો દ્વારા અનુભવ થાય ત્યારે માટીમાં અનેકસ્વભાવ જણાય છે. તથા મૃત્પિડ, સ્થાસ, કોશ, કુશૂલ, શિવક, કપાલ, ઘટ વગેરે પર્યાયો દ્વારા માટીનો અનુભવ થાય ત્યારે પણ અન્વયેદ્રવ્યાર્થિકની દષ્ટિએ માટીમાં અનેકસ્વભાવ જણાય છે. અન્વયદ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ આ અનેકસ્વભાવ સત્યસ્વરૂપે જણાય છે. તેમ છતાં ઉપરોક્ત સર્વ ગુણ-પર્યાયોમાં વણાયેલ
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy