SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૨-૪ ० खलोऽन्यदोषदर्शी 0 २३०३ કપટ ન જાણઈ રે આપણું, પરનાં ગુહ્ય તે ખોલઈ રે; ગુણનિધિ ગુરુથી બાહિરા, વિરૂઉં નિજમુખિં બોલઈ રે .૧૫/-૪(૨૫૭) શ્રી જિન. રી જે પ્રાણી (આપણું=) પોતાની કપટ દશાને જાણતા નથી, સ્યા પરમાર્થે ? અજ્ઞાનરૂપ પડલઈ કરીનેં. સ. અને વલી (તે) પરનાં ગુહ્ય = પારકા અવર્ણવાદ (ખોલઈ =) મુખથી બોલઈ જઈ. मार्गबाह्यानेव साध्वाभासान् विशेषतो दर्शयन्ति - ‘स्वे'ति । स्वकपटं तु न जानन्ति, ते परगुह्यानुद्घाटयन्ति रे। गुणनिधिगुरुतो बाह्या विरूपं स्वमुखाद् वदन्ति रे।।१५/२-४॥ प्रकृते दण्डान्वयस्त्वेवम् - ते (यत्याभासाः) स्वकपटं तु न जानन्ति, परगृह्यान् उद्घाटयन्ति, म गुणनिधिगुरुतः (च) बाह्याः स्वमुखाद् विरूपं वदन्ति ।।१५/२-४ ।। ते हि यत्याभासाः स्वकपटं = निजशठदशां न तु = नैव जानन्ति, अज्ञानतिमिरपटलावृतत्वात्। के किञ्च ते परगुह्यान् = परकीयदोषान् उद्घाटयन्ति = स्वमुखतो यथेच्छं प्रलपन्ति, स्वदुर्गतिञ्च । नैव पश्यन्ति। तदुक्तं योगसारे “परं पतन्तं पश्यन्ति, न तु स्वं मोहमोहिताः। कुर्वन्तः परदोषाणाम्, ग्रहणं भवकारणम् ।।” (यो.सा.२/१२) इति। तदुक्तं महाभारतेऽपि व्यासेन “खलः सर्षपमात्राणि परच्छिद्राणि का અવારણિકા :- મોક્ષમાર્ગની બહાર રહેલા તથા સાધુ ન હોવા છતાં પણ લોકોને સાધુ તરીકેનો આભાસ કરાવનારા એવા જીવોને ગ્રંથકારશ્રી વિશેષ રીતે આગળના શ્લોકમાં જણાવે છે : _) સાધ્વાભાસની ઓળખાણ ) શ્લોકાર્ચ - તે સાધ્વાભાસ જીવો પોતાના કપટને નથી જ જાણતા અને પારકાના દોષોને ઉઘાડા પાડે છે. ગુણના નિધાન સમાન એવા ગીતાર્થ ગુથી છૂટા પડીને પોતાના મોઢેથી ગુરુના દોષોને જણાવે છે.(૧૫/ર-૪) પરદોષને મોટા કરે તે કપટી જ વ્યાપાર્થ - પરમાર્થથી સાધુ ન હોવા છતાં પણ લોકોમાં પોતાની જાતનો સાધુ તરીકે આભાસ કરાવનાર એવા સાધુવેશધારી જીવો સાધ્વાભાસ કહેવાય છે. તે સાધ્વાભાસ જીવો પોતાની કપટદશાને છે નથી જ જાણતા. કારણ કે અજ્ઞાન સ્વરૂપ અંધારાના પડલોથી તેની જ્ઞાનદૃષ્ટિ આવરાઈ ગયેલ છે. વળી, તે સાધ્વાભાસ જીવો પારકાના દોષને પોતાના મુખથી યથેચ્છપણે ઉઘાડા પાડે છે. પારકાના દોષોનો બકવાશ કરવામાં તેવા જીવો કદી થાકતા નથી અને નિંદા દ્વારા થનારી પોતાની દુર્ગતિને જોતા નથી. આ અંગે યોગસાર ગ્રંથમાં ચિરન્તનાચાર્યે જણાવેલ છે કે “મોહથી મૂઢ થયેલા જીવો બીજાને પડતા જુએ છે પણ પોતાને પડતા જોતા નથી. બીજાના દોષનું ગ્રહણ સંસારકારણ છે. પરદોષગ્રહણ કરનારા જીવો સંસારવર્ધક છે.” મહાભારતમાં પણ વ્યાસ મહર્ષિએ જણાવેલ છે કે “કપટી જીવ માત્ર સરસવ જેવા નાનકડા પારકાના દોષોને જુવે છે. પરંતુ બીલના વિશાળ ફળ જેટલા મોટા પોતાના • કો.(૯)+સિ.માં ‘રેના બદલે “તે' પાઠ. # કો.(૧)માં “ગુરુથકા’ પાઠ. પુસ્તકોમાં “ગુરુ થકી’ પાઠ. લા.(૨)માં ‘ગુરુથી” પાઠ.
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy