________________
२१०४
० द्रव्यान्तरसङ्क्रमोऽसम्मतः । (२) न वा कुड्यस्वरूपम्, तादृशसंयोगपूर्वमपि कुड्ये श्वैत्यप्रतीत्यापत्तेः, (३) न वोभयस्वरूपम्, ___ एकद्रव्यस्य द्रव्यान्तरसङ्क्रमापत्तेरिति भ्रान्तिगोचरस्य कुड्ये प्रतीयमानस्य तस्य अवस्तुत्वमेव,
तथेहापि कर्म-जीवसंयोगजाः कर्मोदयोपहिताः मिथ्यात्व-रागादिपरिणामाः (१) न कर्मस्वरूपाः, म जीवे मिथ्यादृष्टित्व-रागित्वादिप्रतीत्यनुपपत्तेः, (२) न वा जीवस्वरूपाः, मुक्तात्मन्यपि मिथ्यादृष्टित्वश रागित्वाद्यापत्तेः, जीवस्वरूपस्य तदानीमपि अप्रच्यवात्, (३) न वोभयस्वरूपाः, द्रव्यान्तरसङ्क्रमस्य विप्रतिषिद्धत्वादिति भ्रान्तिगोचरणाम् आत्मनि प्रतीयमानानां तेषामवस्तुत्वमेव प्रत्येयं महोपाध्याय
(૨) તે સફેદાઈ ભીંતસ્વરૂપ પણ નથી. કારણ કે ખડી-દીવાલસંયોગપૂર્વે પણ દીવાલ તો હાજર જ હતી. તેથી જો તે સફેદાઈ દીવાલસ્વરૂપ હોય તો તથાવિધ સંયોગની પૂર્વે પણ દીવાલમાં સફેદાઈની પ્રતીતિ થવાની સમસ્યા સર્જાશે.
(૩) ખડી અને દીવાલ ઉભયસ્વરૂપે તે સફેદાઈને માની ન શકાય. બાકી તો ખડી દીવાલસ્વરૂપ બની જાય અથવા દીવાલ ખડીસ્વરૂપ બની જાય – આવી સમસ્યા સર્જાશે. કેમ કે સફેદાઈ જો ઉભયસ્વરૂપ હોય તો સફેદઈ દીવાલથી અને ખડીથી અભિન્ન બનવાથી દીવાલ અભિન્ન સફેદાઈથી અભિન્ન ખડી થતાં દીવાલ અભિન્ન ખડી થવાની વાત ન્યાયપ્રાપ્ત છે. આવું માનવાથી એક દ્રવ્યનું બીજા દ્રવ્યમાં સંક્રમણ થતાં કાં દીવાલનો કાં ખડીનો ઉચ્છેદ થશે. પરંતુ આવું તો કોઈને પણ માન્ય નથી જ. આમ સફેદાઈ નથી તો ખડીસ્વરૂપ કે નથી તો દીવાલસ્વરૂપ કે નથી તો ઉભયસ્વરૂપ. તેથી દીવાલમાં પ્રતીત થતી તે સફેદાઈ ભ્રાન્તિનો જ વિષય હોવાથી અવસ્તુ = અસત્ = મિથ્યા જ છે.
(તળે.) તેમ પ્રસ્તુતમાં પણ કહી શકાય છે કે :છે (૧) કર્મ અને જીવ – બન્નેના સંયોગથી ઉત્પન્ન થતા અને કર્મના ઉદયથી આવી પડતા મિથ્યાત્વ, વા રાગ વગેરે પરિણામો કર્મસ્વરૂપ નથી. કારણ કે જો તે કર્મસ્વરૂપ હોય તો જીવમાં મિથ્યાદષ્ટિપણાની
કે રાગીપણાની જે પ્રતીતિ થાય છે, તે અસંગત બની જાય. જો તે પરિણામો કર્મસ્વરૂપ હોય તો “કર્મ સ મિથ્યાદષ્ટિ છે, કર્મ રાગી છે'- તેવી પ્રતીતિ થવી જોઈએ. તેવું તો લોકોમાં જણાતું નથી. તેથી તે પરિણામોને કર્મસ્વરૂપે માની ન શકાય.
(૨) તથા તે પરિણામોને જીવસ્વરૂપ પણ માની ન શકાય. કારણ કે જો મિથ્યાત્વાદિ જીવસ્વરૂપ હોય તો તો મુક્ત આત્મામાં પણ મિથ્યાદષ્ટિપણાની કે રાગીપણાની આપત્તિ આવીને ઊભી રહેશે. કેમ કે મોક્ષમાં પણ જીવનું સ્વરૂપ તો હાજર જ છે. મોક્ષમાં જૈનમતે જીવનું સ્વરૂપ નાશ ન પામતું હોવાથી જીવસ્વરૂપ મિથ્યાત્વાદિ પરિણામોને મુક્તાત્મામાં પણ માનવાની સમસ્યાને નકારી શકાશે નહિ.
(૩) તેમજ “મિથ્યાત્વ વગેરે પરિણામો કર્મ-જીવઉભયસ્વરૂપ છે' - તેવું પણ માની ન શકાય. કારણ કે ઉપર જણાવ્યું તેમ તેવી પરિસ્થિતિમાં કાં તો કર્મ જીવસ્વરૂપ બની જશે કાં તો જીવ કર્મસ્વરૂપ બની જશે. આવું માનતાં તો કર્મનો કે જીવનો ઉચ્છેદ થવાની આપત્તિ આવશે. માટે જ જિનાગમમાં એક દ્રવ્યનું બીજા દ્રવ્યરૂપે સંક્રમણ = પરિણમન થવાનો નિષેધ કરેલો છે. આમ આત્મામાં જે મિથ્યાત્વ, રાગ વગેરે પરિણામોની પ્રતીતિ થાય છે, તે પરિણામો નથી તો કર્મસ્વરૂપ, નથી તો જીવસ્વરૂપ કે નથી તો કર્મ-જીવઉભયસ્વરૂપ. આથી આત્મામાં જણાતા તે મિથ્યાત્વાદિ પરિણામો મૃગજળની જેમ