SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ८/२३ . सकलनयग्राहकत्वेन निश्चयस्य प्रमाणत्वम् । १०८९ जं जहाभूयं ।।” (वि.आ.भा.३५९०) इति । अत्र कोट्याचार्यवृत्तिः एवम् “अथवा यावत् किञ्चिद् एकनयमतं स सर्वो व्यवहारः, असत्यत्वात्, विवक्षितैकहस्त्यवयवस्पर्शने हस्तिव्यपदेशवत् । तथा चाह - यस्मात् कारणद् असौ व्यवहारो न सर्वथा = सर्वात्मना सर्वं वस्तु सर्वनयसमूहात्मकं प्रतिपद्यते । विनिश्चयतस्तु अभिधीयते ય યથામૃતમ્, સીન્દ્રા, વસુખસ્તિદર્શન” (વિ.મ.વો.વૃ.TI.૪રૂરૂ૩) રૂતિા. ___ प्रकृतव्याख्यायां व्यवहारः दुर्नयत्वाक्रान्तः, “सव्वे वि णया मिच्छद्दिट्ठी” (स.त.१/२१) इति ॥ सम्मतितर्कवचनात् । निश्चयस्तु जिनमतलक्षणः प्रमाणत्वाऽऽक्रान्तः, सर्वनयसमाहारेण पारमार्थिकवस्तुप्रतिपादनप्रवणत्वात् । ‘दुर्नय-प्रमाणभेदेन ज्ञानं द्विविधमिति परिभाषेहाऽनुसृता। પર્તન “સત્તનયાદ પ્રમાણ” (ન..સા.કૃ.૨૧૮) રૂતિ નવસારે ટ્રેવદ્રવાહોરિપિ વ્યાધ્યિાતા, सर्वनयसमाहारस्य निश्चयात्मकतया प्रमाणत्वोपपत्तेः । કે “અથવા એકનયના મતને જ માને તે વ્યવહાર છે. કેમ કે તે સર્વનયસમૂહમય સર્વ વસ્તુને સર્વથા માનતો નથી. જ્યારે વિનિશ્ચય તો યથાભૂત વસ્તુને માને છે.” પ્રસ્તુત વિશેષાવશ્યકભાષ્યગાથાની વ્યાખ્યા કરતાં કોટ્યાચાર્ય ભગવંતે જણાવેલ છે કે “અથવા જે કાંઈ પણ એક નયનું મંતવ્ય હોય તે સર્વ વ્યવહારનયરૂપે જ્ઞાતવ્ય છે. કારણ કે તે અસત્ય છે. જેમ અંધ વ્યક્તિ હાથીના પગ વગેરે એક અવયવને સ્પર્શીને “સંપૂર્ણતયા હાથી થાંભલા જેવો છે' - આવો વ્યવહાર કરે તે અસત્ય છે તેમ એક-એક નયના મંતવ્ય સ્વરૂપ વ્યવહાર અસત્ય છે. કારણ કે આ વ્યવહાર ક્યારેય સર્વનયસમૂહાત્મક સર્વ વસ્તુને સર્વાત્મના = સંપૂર્ણતયા સ્વીકારતો નથી. નિશ્ચય દ્વારા તો જે વસ્તુ જે સ્વરૂપે હોય તે તમામ સ્વરૂપે બતાવાય છે. કારણ કે તે સત્ય છે. જેમ દેખતો માણસ હાથીના દર્શન સંપૂર્ણતયા કરે છે, તેમ નિશ્ચયનય સંપૂર્ણતયા વસ્તુનો યથાર્થ બોધ કરે છે.” સુનય, દુર્નય અને પ્રમાણ- આમ ત્રણ પ્રકારના જ્ઞાનના વિભાગની એક પરિભાષા છે. બીજી પરિભાષા મુજબ જ્ઞાન દ્વિવિધ છે – દુર્નય અને પ્રમાણ. બીજી પરિભાષાને અનુસરીને, કોસ્યાચાર્યવ્યાખ્યા મુજબ, વિશેષાવશ્યકભાષ્યની ઉપરોક્ત ગાથામાં વ્યવહારને દુર્નય સ્વરૂપ અને નિશ્ચયને પ્રમાણાત્મક જણાવેલ છે. વ્યવહાર દુનય, નિશ્વય પ્રમાણાત્મક (ત્તિ.) કોટ્યાચાર્યજીએ કરેલી ઉપરોક્ત વ્યાખ્યામાં “બધા ય નયો મિથ્યાવાદી છે' - આ પ્રમાણે સમ્મતિતર્ક પ્રકરણના વચનને આશ્રયીને વ્યવહાર દુર્નયસ્વરૂપ બતાવાયેલ છે. જ્યારે નિશ્ચય તો ઉપરોક્ત વ્યાખ્યામાં જિનમતસ્વરૂપ પ્રમાણસ્વરૂપે બતાવાયેલ છે. કારણ કે ઉપદર્શિત નિશ્ચય સર્વનયોનો સમન્વય કરીને પારમાર્થિક વસ્તુનું પ્રતિપાદન કરવામાં તત્પર છે. 8 સકલનચગ્રાહક પ્રમાણ : શ્રીદેવચન્દ્રજી (S (ક્ત) અમે ઉપર જે છણાવટ કરી તેનાથી ખરતરગચ્છીય ઉપાધ્યાય શ્રીદેવચન્દ્રજી મહારાજની એક વાતની પણ સ્પષ્ટતા થઈ જાય છે. તેઓશ્રીએ નયચક્રસાર ગ્રંથમાં જણાવેલ છે કે “સર્વ નયોને ગ્રહણ કરે તે પ્રમાણ છે.” સર્વ નયોના અભિપ્રાયોને સમ્યફ રીતે ભેગા કરવાથી વાક્યમાં કે બોધમાં નિશ્ચયાત્મકતા આવવાથી પ્રમાણરૂપતા તેમાં સંગત થઈ શકે છે. આ રીતે તેનું અર્થઘટન ઉપરોક્ત 1. સર્વે ગરિ નયા મિર!
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy