SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ James * ज्ञानोपयोगकाले ज्ञानाऽभिन्नः ज्ञानी ८/२ निरुपाधिकपर्याय-पर्याय्यभेदविषयकत्वेन वा शुद्धनिश्चयेऽन्तर्भावनीयम्, सजातीयद्रव्य-गुणादेरभिन्नत्वात् । द्रव्य-भावकर्मोदयाऽप्रतिहतस्य दर्शनसामान्यस्य दर्शनत्वेन चारित्रसामान्यस्य च चारित्रत्वेन रूपेण शुद्धात्मगुणत्वं तु प्रसिद्धमेव । एवमेवाऽहिंसासामान्यस्याऽहिंसात्वेन रूपेण आत्मनः शुद्धपर्यायत्वम् अवसेयम्। इत्थञ्च निश्चयनयत्वावच्छिन्नो गुण- गुणिनोः पर्याय- पर्यायणोश्चाऽभेदमेवोपदर्शयतीति सिद्धम्। परं ज्ञानोपयोगकाले एव ज्ञानानन्यो ज्ञानी निश्चयेनोच्यते । इदमेवाभिप्रेत्य विशेषावश्यकभाष्ये “નદ વા નાળાડળો નાળી નિયોવઓ ાનંમિ" (વિ.સ.મ.રૂ૪રૂ૮) રૂત્યુત્તમ્ | ९१४ - णि इदञ्चात्राऽवधेयम् – केवलमनावृतं चैतन्यम् आत्मनः स्वभावगुणः कर्मनिरपेक्षत्वात्। अत एव स शुद्धगुणः निरुपाधिकगुणश्चोच्यते । केवलज्ञानं तु स्वभावगुणपर्याय उच्यते । सावृतं चैतन्यञ्चात्मनो का विभावगुणः, कर्मकृतत्वात् । केवलज्ञानावरणोदयजन्यत्वादेव मत्यादयो मतिज्ञानावरणादिक्षयोपशमપર્યાયસ્વરૂપે જે દર્શાવેલ છે, તે નિરુપાધિક પર્યાય અને પર્યાયી વચ્ચેના તાદાત્મ્યને પોતાનો વિષય બનાવે છે. તેથી તે તમામ કથન શુદ્ધનિશ્ચયનયમાં અંતર્ભાવ કરવા યોગ્ય છે. આનું પણ કારણ એ છે કે આત્મા અને દર્શન, ચારિત્ર, સામાયિક, જ્ઞાન વગેરે ગુણો પરસ્પર સજાતીય છે. સજાતીય દ્રવ્ય અને ગુણ વગેરે તો પરસ્પર અભિન્ન હોય છે. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન વગેરે દર્શનના ભેદોનો ઉલ્લેખ કર્યા વિના, દર્શનત્વરૂપે દર્શનગુણ તો આત્માનો શુદ્ધ ગુણ જ છે. કેમ કે તે દ્રવ્યકર્મ-ભાવકર્મના ઉદયથી હણાયેલ નથી. તથા સામાયિક, છેદોપસ્થાપનીય વગેરે ભેદોનો ઉલ્લેખ કર્યા વિના ચારિત્રત્વરૂપે ચારિત્ર પણ આત્માનો શુદ્ધ ગુણ જ છે. આ વાત તો પ્રસિદ્ધ જ છે. તેથી ઉપરોક્ત ભગવતીજી વગેરેના વચનનો શુદ્ધ નિશ્ચયનયમાં સમાવેશ વ્યાજબી છે. તે જ રીતે એકેન્દ્રિયની દયા, કીડીની અહિંસા વગેરે પ્રકાર પાડ્યા વિના અહિંસાત્વરૂપે અહિંસાસામાન્ય આત્માના શુદ્ધપર્યાય તરીકે જ્ઞાતવ્ય છે. હિંસા, જૂઠ વગેરે પ્રતિયોગીના ઉલ્લેખ વિના પચ્ચક્ખાણસામાન્ય પણ પ્રત્યાખ્યાનત્વરૂપે આત્માનો શુદ્ધપર્યાય જ જાણવો. આ રીતે સિદ્ધ થાય છે કે નિશ્ચયનયત્વઅવચ્છિન્ન = સર્વ નિશ્ચયનય ગુણ-ગુણી વચ્ચે તથા પર્યાય-પર્યાયી વચ્ચે અભેદને દર્શાવે છે. પરંતુ જ્ઞાનના ઉપયોગ સમયે જ ‘જ્ઞાની જ્ઞાનથી અભિન્ન છે’ - આવું નિશ્ચયનય કહે છે. આ જ આશયથી વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે ‘જ્ઞાનોપયોગકાળે જ્ઞાની જ્ઞાનથી અભિન્ન છે.’ * નિરુપાધિક-સોપાધિક ગુણની સમજણ al (વગ્યા.) પ્રસ્તુતમાં એક વાત ધ્યાનમાં રાખવી કે આત્માનું કેવલ ચૈતન્ય અનાવૃત ચૈતન્ય તે આત્માનો સ્વભાવગુણ છે. કેમ કે તે કર્મથી નિરપેક્ષ છે. તેથી જ અનાવૃત ચૈતન્ય શુદ્ધ ગુણ અને નિરુપાધિક ગુણ કહેવાય છે. કેવલજ્ઞાન તો સ્વભાવગુણપર્યાય કહેવાય છે. આત્માનું ચૈતન્ય આવરાય તો તે સાવૃત ચૈતન્ય આવરણયુક્ત ચૈતન્ય એ આત્માનો વિભાવગુણ કહેવાય છે. કારણ કે તે કર્મજન્ય છે. મતિજ્ઞાન વગેરે ગુણો કર્મજન્ય છે, કેવલજ્ઞાનાવરણઉદયજન્ય છે. તેથી જ મતિજ્ઞાન વગેરે વિભાવગુણના પર્યાય સાવૃત ચૈતન્યના પર્યાય કહેવાય છે. મતિજ્ઞાનાદિ જ્ઞાનોમાં ફક્ત કેવલજ્ઞાનાવરણોદયજન્યત્વ માનવાથી મતિજ્ઞાનાદિની તરતમતા સંગત થઈ શકતી નથી. તેથી તેમાં તારતમ્યની 1. यथा वा ज्ञानानन्यो ज्ञानी निजकोपयोगकाले । = =
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy