SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮૬ • 'पुत्रः अहम्' इत्युपचारमीमांसा 0 ૭/૧૭ શ તેહસું આત્માનો ભેદ વીર્થપરિણામસ્વાતિ, અભેદસંબંધ પરંપરાહેતુ ઉપચરિત છે.* प सद्भूतव्यवहारत्वमस्योपनयस्यावगन्तव्यम् । 'पुत्रः अहम्' इत्यादौ पुत्रे स्वत्वारोपाद् अभेदसम्बन्धेन उपचारो बोध्यः। 'पुत्रो मम' इत्यादौ च पुत्रे स्वीयत्वारोपाद् भेदसम्बन्धेन उपचारो बोध्यः । न चाऽत्र भेदस्य पारमार्थिकत्वाद् उपचरितत्वं कथमुच्यते ? इति शङ्कनीयम्, पुत्रस्य स्ववीर्यपरिणामरूपतया तत्र स्वभेदस्य उपचरितत्वात्। र्श न चैवं ‘पुत्रोऽहमि'त्यत्राऽभेदस्य पारमार्थिकत्वं स्यादिति वाच्यम्, तत्राऽभेदस्याऽप्युपचरितत्वात्, पुत्रं प्रति स्वस्य परम्परया हेतुत्वात् । घटं प्रति दण्डस्य - स्वजन्यभ्रमिद्वारा इव पुत्रं प्रति पितुः स्वशरीरजन्यवीर्यव्यापारेण कारणत्वेन तयोः अनुपचरिता ગમેવાડસન્મવાત્ का अथ पुत्रत्वादयः चेद् आत्मपर्यायाः तर्हि कथमसद्भूतत्वमत्रोपनये इति चेत् ? છીએ. પુત્ર, પત્ની વગેરે પર્યાયો આત્માના પર્યાયો હોવાથી સજાતીય છે. પણ સજાતીય પુત્ર વગેરે પર્યાયનો પુત્રશરીર વગેરેમાં ઉપચાર કરીને, તેમાં મારાપણાનો આરોપ કરનાર પ્રસ્તુત ઉપનય સ્વજાતીય ઉપચરિત અસભૂત વ્યવહાર સ્વરૂપ જાણવો. “પુત્ર હું ઈત્યાદિ સ્થળે પુત્રમાં સ્વત્વનો આરોપ થવાના લીધે અભેદસંબંધથી ઉપચાર જાણવો. તથા “પુત્ર મારો વગેરે સ્થળે પુત્રમાં સ્વયત્વનો આરોપ થવાના લીધે ભેદસંબંધથી ઉપચાર જાણવો. આટલો અહીં બન્ને ઉપચારમાં તફાવત છે – એમ પંડિતોએ જાણવું. પિતા પુત્ર વચ્ચે ભેદ-અભેદ ઔપચારિક છે શંકા :- (રા) “પુત્ર મારો છે' - આ વાક્યમાં છઠ્ઠી વિભક્તિ દ્વારા જે ભેદનું ભાન થાય @ છે, તે ભેદ તો પારમાર્થિક જ છે. તેથી પુત્રનિષ્ઠ સ્વભેદને ઉપચરિત કઈ રીતે કહી શકાય ? સમાધાન :- (પુત્ર) પુત્ર સ્વવીર્યપરિણામસ્વરૂપ છે. પોતાની ધાતુનો પરિણામ પોતાનાથી સર્વથા પણ ભિન્ન ન હોય. તેથી પુત્રમાં સ્વભેદ ઔપચારિક જ કહેવાય. શંકા :- (ન શૈ.) જો પિતા અને પુત્ર વચ્ચેનો ભેદ ઔપચારિક હોય તો એનો અર્થ એ થયો કે તે બન્ને વચ્ચે પરમાર્થથી અભેદ હશે. બેમાંથી એક તો પારમાર્થિક જ હોય ને ! તેથી “પુત્ર એ હું જ છું.” અહીં પિતા-પુત્ર વચ્ચે જણાતા અભેદને ઉપચરિત નહિ કહેવાય. સમાધાન :- (તત્ર.) “આ પુત્ર એ હું જ છું - આ વાક્યમાં પિતા અને પુત્ર વચ્ચે જે અભેદ જણાય છે તે પણ ઔપચારિક જ છે. કારણ કે પુત્ર પ્રત્યે પિતા પરંપરાસંબંધથી હેતુ છે. જેમ દંડ સ્વજન્ય ચક્રભૂમિ નામના વ્યાપાર દ્વારા ઘટનું કારણ હોવાથી દંડ અને ઘટ વચ્ચે પારમાર્થિક અભેદ નથી તેમ પિતા સ્વશરીરજન્ય વીર્યસ્વરૂપ વ્યાપાર દ્વારા પુત્રનું કારણ હોવાથી પિતા અને પુત્ર વચ્ચે પણ પારમાર્થિક અભેદ સંભવતો નથી. તેથી “આ પુત્ર એ હું જ છું - આ પ્રમાણે જે વ્યવહાર થાય છે તેના દ્વારા જણાતો અભેદ પણ ઔપચારિક જ છે. શંકા :- (ક.) જો પુત્રત્વ વગેરે ધર્મો આત્માના પર્યાય હોય તો તેનો વ્યવહાર કરનાર પ્રસ્તુત .. ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત B(ર)માં છે.
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy