SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૧૮ • त्रयोदशशाखातिदेश: . વિષયઈ અછતા પર્યાય તેહથી. “પરવ્યાવિદિ વ્યર્થિો નમઃ | "ત્તિ ૭૨મી ગાથાર્થ.* /પ/૧૮ विवक्षितो घटादिः पदार्थः नास्त्येवेति वादी परद्रव्यादिग्राहको नवमो द्रव्यार्थिकः ज्ञेयः । परद्रव्यादिभिः वस्तुनो नास्तित्व-पर्यायं नवमो द्रव्यार्थिको गृह्णातीति तात्पर्यम् । ___तदुक्तम् आलापपद्धतौ “परद्रव्यादिग्राहकद्रव्यार्थिकः, यथा - परद्रव्यादिचतुष्टयापेक्षया द्रव्यं नास्ति' (आ.प.पृ.७) इति । एतन्नयोपयोगः त्रयोदशशाखायां (१३/१) वक्ष्यत इत्यवधेयम् । परद्रव्यादिचतुष्टयापेक्षया म वस्तुनोऽसत्त्वं कथम् ? इति तु चतुर्थशाखायामुक्तमिति (४/९) न पुनरुच्यते। ___प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'कस्याऽपि वस्तुनः परद्रव्य-क्षेत्राद्यधीनमस्तित्वं नास्ति' इति । नवमद्रव्यार्थिकनयाभिप्रायं जानानः आत्मार्थी भोजन-वस्त्र-गृह-नाणक-देहसौन्दर्यादिपरद्रव्य-क्षेत्रादिवियोगे क विह्वलो न भवति, सदा परद्रव्यादिसंरक्षणाद्यायासतः स्वभाव-स्वगुणादिप्रातिकूल्येन न वर्तते, परद्रव्यादि-णि ममतादिना पापकर्माणि न निबध्नाति । ततश्च “यत्र न जरा मरणम्, न भवः, न च परिभवः, न च का क्लेशः” (आत्मा.७४) इति आत्मानुशासने पार्श्वनागगणिनोक्तम् अनाबाधं सिद्धस्वरूपमाविर्भवेत् । ।५/१८ ।। અસ્તિત્વ નથી જ' - આ પ્રમાણે બોલનાર પરદ્રવ્યાદિગ્રાહક નવમો દ્રવ્યાર્થિકનય જાણવો. તાત્પર્ય એ છે કે પરદ્રવ્ય, પરક્ષેત્ર વગેરેની અપેક્ષાએ વસ્તુના નાસ્તિત્વ પર્યાયને નવમો દ્રવ્યાર્થિક નય ગ્રહણ કરે છે. પરદ્રવ્યાદિસાપેક્ષ નાસ્તિત્વ છે (દુ) તેથી આલાપપદ્ધતિમાં જણાવેલ છે કે “પરદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિકનો નવમો ભેદ જાણવો. જેમ કે “પદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવ - આ ચાર તત્ત્વની અપેક્ષાએ દ્રવ્ય વિદ્યમાન નથી” - આવું વચન.” દ્રવ્યાર્થિકનયના પ્રસ્તુત નવમા ભેદનો ઉપયોગ તેરમી શાખાના પ્રથમ શ્લોકમાં જણાવવામાં આવશે. આ વાતને વાચકવર્ગે ખ્યાલમાં રાખવી. “પદ્રવ્ય-ક્ષેત્રાદિ ચારની અપેક્ષાએ વસ્તુ કઈ રીતે અસત્ = અવિદ્યમાન છે ?' - આ બાબતની વિસ્તારથી છણાવટ ચોથી શાખાના નવમા શ્લોકમાં છે સપ્તભંગીના બીજા ભાંગાની વિચારણાના અવસરે કરેલ હોવાથી અહીં ફરીથી તેનું પુનરાવર્તન કરતા વા નથી. સ્મૃતિબીજને દઢ કરવા માટે વાચકવર્ગ ત્યાં પુનઃ દષ્ટિપાત કરી શકે છે. જ વિભાવદશાથી અટકો આધ્યાત્મિક ઉપનય :- નવમા દ્રવ્યાર્થિકનયના અભિપ્રાયથી પરદ્રવ્ય-ક્ષેત્રાદિની અપેક્ષાએ કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ નથી હોતું' - આ પ્રમાણે જાણતો આત્માર્થી સાધક રોટી-કપડા-મકાન-સત્તા-સંપત્તિ -સ્વાથ્ય-સૌંદર્ય વગેરે પરદ્રવ્ય-ક્ષેત્રાદિના વિયોગમાં વિહ્વળ ન બને. તેને સાચવવાની કાયમ મથામણ કરવામાં સ્વભાવને સ્વગુણને ગુમાવવાની ભૂલ ન કરે. તેના પ્રત્યે મમત્વભાવને કરવા દ્વારા પાપકર્મબંધ કરી ન બેસે. આ સાવધાની રાખવાની સૂચના આ શ્લોક દ્વારા પ્રાપ્ત થાય છે. તેનાથી આત્માનુશાસનમાં જણાવેલ પીડારહિત સિદ્ધસ્વરૂપ પ્રગટ થાય. ત્યાં પાર્શ્વનાગગણીએ જણાવેલ છે કે “એ સિદ્ધગતિમાં ઘડપણ, મોત, સંસાર, પરાભવ અને ક્લેશ નથી.” (પ/૧૮) 8 પુસ્તકોમાં “મેર પાઠ નથી. ફક્ત કો.(૧૩)માં છે. ...* ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી.ફક્ત કો.(૧૩) + લા.(૨)માં છે.
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy